________________
of
..
૭૦
પિરમાગમસાર-૧૬૮] પરિણામ પ્રત્યક્ષ ઝેર રૂપ ન ભાસે' એવો શબ્દ લખ્યો છે. પ્રત્યક્ષ ઝેર રૂપ ન ભાસે ત્યાં સુધી જીવને ત્યાંથી વૃત્તિ મોળી પડતી નથી અને ત્યાં સુધી એને પોતાના સ્વરૂપનો નિર્ણય થતો નથી. ભલેને ઊઘાડ ગમે તેટલો હોય પણ નિર્ણય પણ થાય નહિ ! આ સ્થિતિ આવે છે, નિર્ણય થયાં વિના કોઈ કાર્ય થાય; જેવું સ્વરૂપ છે એનો ચોક્કસ નિર્ણય થયા વિના એ સંબંધિત કોઈ હિતનું કાર્ય થાય એવું કદી બની શકે નહિ. એટલે એ પણ અટકવાનું કારણ છે.
(હવું બીજું કારણ કહે છે) - કાં રાગનું અભિમાન... કાં પરનું અભિમાન અને કાં રાગનું અભિમાન. - રાગનું અભિમાન એવી રીતે થાય છે કે “મારાં પરિણામ બહુ સારાં થાય છે. મને જે ભાવો આવે છે એમાં મારાં ભાવ બહુ સારાં થાય છે. એમાં હોય છે બધાં રાગ ! પછી શાસ્ત્ર સ્વાધ્યાયનો રાગ હોય, પૂજાનો રાગ હોય, ભક્તિનો રાગ હોય, વ્રતાદિનો રાગ હોય, દાનનો રાગ હોય, દયાનો રાગ હોય, યાત્રાનો રાગ હોય . ગમે તે પ્રકારનાં જે રાગનાં પરિણામ છે, એ સારાં છે, મારાં છે ને સારાં છે.” . એમાં એને એનું અભિમાન વર્તે છે. એ પરપદમાં સ્વપદપણું એને સ્થાપવાનું ત્યાં બને છે. ત્યાં એ પોતાના સ્વપદને ચૂકી જાય છે. એવું ઊલટું છે. એટલે કાં પરનું અભિમાન કરે છે કાં રાગનું અભિમાન કરે છે.
મુમુક્ષુ - રાગની એકતામાં પરનું અભિમાન આવી જ જાય.
પૂજ્ય ભાઈશ્રી :- આવી જ જાય. એકતા થાય છે ત્યાં એમાં હું (પણું થાય છે), અભિમાન એટલે શું ? કે પોતાની સ્થાપના ત્યાં કરવી. પોતે
જ્યાં છે ત્યાં રહેતો નથી. ત્યાં રહેતો નથી એટલે ત્યાં એનો અનુભવ કરતો નથી અને જ્યાં પોતાનું સ્થાન નથી ત્યાં પોતાનું સ્થાન કલ્પનામાં સાચું માને છે . એ એનું અભિમાન છે. - “આવો, “હું આવો બોલનારો.' લ્યો, ઠીક ! તેણે એ ભાષાની જે પુદ્ગલ વર્ગણા છે એમાં પોતાના સ્વરૂપને સ્થાપ્યું. ભાષાના રજકણરૂપે આત્મા થઈ શકતો નહિ હોવા છતાં એણે પોતાનું સ્વરૂપ એવું સ્થાપ્યું. તેથી એને મિથ્યા અભિમાન કહેવામાં આવે છે. - શરીરે હું આવો સારો' તો એ શરીરરૂપ આત્મા નથી. એ રજકણો છે છતાં એણે એને (એમાં) સ્થાપ્યો. ત્યાંથી માંડીને પછી જેટલાં સાધન છે -