________________
-
'*
* * *
*
પિરમાગમ સાર-૧૬૮] તો થાય છે. એ થાય છે એનું કારણ શું ? કેમ થાય છે ? એને ટાળવા માટે ત્યાંથી એને ખસવાની જે તૈયારી છે એ તેણે પહેલાં કરી લેવી જોઈશે.
ભેદજ્ઞાનમાં એજ તેયારી થાય છે કે અંદરમાં ઉત્પન્ન થતો જે રાગ - મંદરાગ એ મંદરાગ તે હું નહિ. એમ એ મંદરાગના મંદ કષાયના રસમાં પણ જેને રોકાવું નથી. અથવા તો એ સૂક્ષ્મ વિકલ્પમાં પણ જેને દુઃખ અને
કુળતા લાગે છે. કેટલી ધીરજથી અંદર પ્રવૃત્તિ કરે છે) ! કે, આ જ્ઞાન, (અને જ્ઞાનની સાથે સાથે જે વિકલ્પનું ઉત્થાન થાય છે) એ આકુળતારૂપ ભાવ છે. એનો નકાર ન આવે ત્યાં સુધી એને એમાં રસ છે. રસ છે ત્યાં સુધી એ છૂટે નહિ. ચીકણી ચીજ છે . રાગ છે તે ચીકણો છે. જ્યાં સુધી એની ચીકાશ, લૂખાશને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એ છૂટે નહિ. એટલો અંદરમાં ધીરો થઈને કામ કરે અને ઉગ્રતામાં પુરુષાર્થ લાવીને કામ કરે. એમ (કહેવું છે).
એટલે શું કહેવું છે કે આ રાગ છે એ તો નાસ્તિનું પદ છે અને અસ્તિનું પદ પોતાનો શુદ્ધાત્મા છે. એ શુદ્ધાત્માની મહિમામાં ઉગ્રતા આવે.” ઉગ્રતા આવે....! ઘૂંટાઈ.. લૂંટાઈ... લૂંટાઈને... એવું ચૂંટાય....!અને આ બાજુ રાગના નિષેધમાં એટલો જાય. એમ એક જ સાથે - એક જ સમયમાં બન્ને કાર્ય થતાં જાય તો એને નિર્વિકલ્પ સમ્યગ્દર્શનનો અનંતભવના છેદક સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો પ્રસંગ આવ્યા વિના રહે નહિ. પણ એવું અંતરંગમાં કાર્ય કરે નહિ તો અંતરમાં જઈ શકતો નથી અને બહારને બહાર કાર્ય કરે ને ક્રિયા કરે ને રાગ કરે - એ તો અટકવાનાં સ્થાન છે. એમાં ક્યાંય આત્માનો પત્તો લાગે એવું નથી. એ બહુ મુદ્દાની વાત ૧૬૮ના બોલમાં કરી છે. અહીં સુધી રાખીએ.