________________
८४
[પરમાગમસાર.૧૯૧] ? પણ એવી એક કલ્પના કરી છે.
એના (સામ્યવાદના) એક નેતા . પ્રખર માણસ મળી ગયાં હતાં, મેં કીધું, આવું તમે ધર્મને માટે વિચારો છો (તો) એકાદો પ્રશ્ન પૂછવાનો વિચાર છે કે આવું (ધર્મને માનવાવાળાને તમે અંધશ્રદ્ધાળુ કહો છો ! પણ અમે તો એમ કહીએ છીએ, ધર્મના ક્ષેત્રમાં રહેલાં એવા અમે તો એમ કહીએ છીએ કે, જે જગતની દોડ જડ રજકણના અનુકૂળ ગણાતાં પર્યાયો પાછળ, એની પ્રાપ્તિ પાછળ . એના Achievement પાછળ, શ્રદ્ધા ધરાવે છે કે આમાં સુખ છે, એ પંદરસો વર્ષ પહેલાં યજ્ઞ કરીને, પ્રાણીઓનો વધ કરીને હોમહવન કરનારા અંધશ્રદ્ધાળુઓ જેટલાં જ અંધશ્રદ્ધાળુ છે ! ઠીક ! પહેલાં તો એને પંદરસો વર્ષ પાછળ મૂક્યાં ! બુદ્ધિશાળી માણસ હતાં. બુદ્ધિમાં તેજસ્વી માણસ હતો એટલે એમ થયું કે આને થોડો ફટકો મારવા દ્યો ! માથામાં કોઈ હથોડો મારે ને ! એમ કીધું કે તમે લોકો ૧૫૦૦ વર્ષ પહેલાં અંધશ્રદ્ધામાં એ પ્રક્રિયા ચાલતી કે વરસાદ લાવવો છે (તો) કરો, યજ્ઞ કરો અને એની અંદર બકરાંને, પાડાને, પશુને–બધાંને હોમ કરો એટલે ઉપર વરૂણઇન્દ્ર છે એ પ્રસન્ન થાશે અને ઉપરથી વરસાદને મોકલશે ! એ વાત જેટલી બાલિશ અને મુર્ખાઈ ભરેલી હતી, એટલી જ આ વાત બાલિશ છે ! (એ કહે તમે આ વાત ભારે કરી ! ઇ (અંધશ્રદ્ધાળુ) કેવી રીતે ? મેં કીધું, (તમે) એમાં સુખ છે (એમ માનો છો, અને તમે Materialistic માણસ (કહેવાઓ છો) ! એ પોતાને એમ માને છે કે અમે તો Materialistic છીએ !! Materialism માં માનીએ છીએ, આમાં કઈ રીતે તમે Materialise કર્યું છે ? સુખને તમે જડ રજકણમાં કઈ રીતે Materialize કરો છો ? (પ્રશ્ન સાંભળીને) ઊભો રહી ગયો ! બુદ્ધિશાળી માણસ હતો. તેમને કહ્યું કે “તમે વેપારી જેવા દેખાઓ છો, પણ વાત તો બધી વિજ્ઞાનથી કરો છો !” મેં કીધું. એમાં શું વાંધો છે ? વેપારીને કાંઈ વિજ્ઞાન ન આવડે એવું થોડું છે કાંઈ ? (પછી મને કહ્યું, “વાત તો ઠીક છે તમારી. મેં એવું કાંઈ વિચાર્યું નથી” કહ્યું. તો એમ સાંભળ્યું છે કે તમે તો બહુ બુદ્ધિશાળી છો અને દુનિયાના સર્વ ધર્મમતોનું સાહિત્ય તમે વાંચ્યું છે. આ વાત કેટલી સાચી છે ? તો કહે,
એ વાત સાચી છે કે મેં તો ઘણાં ચાલતા સંપ્રદાયોનું અને ધર્મમતોનું સાહિત્ય વાંચ્યું છે, પણ કમનસીબે જૈનદર્શનનું જ સાહિત્ય નથી વાંચ્યું !” તો તો