________________
૮૨
પિરમાગમસાર-૧૯૧] છે. મૃત્યુ કે લિયે તૈયાર રહના ! અત્યારથી એની પરિણામની એવી સાવચેતી છે, સાવધાની છે કે કોઈપણ કાળે, કોઈપણ ક્ષણે દેહત્યાગનો પ્રસંગ ઉત્પન્ન થાય, તો એકદમ એક સેંકડમાં અંતર સાવધાનીમાં આવીને, પુરુષાર્થને એક સેંકડમાં એટલા જોરથી પ્રગટાવે છે, સહજપણે હોં ! પ્રગટાવે છે એટલે કત્રિમપણે નહિ, સહજપણે પ્રગટે છે કે કેટલાંક સાધકો તો શુદ્ધોપયોગમાં દેહત્યાગ કરે છે. ઠીક ! એવી વાત લીધી છે. મને સંભળાવો’ એ વાત પણ એને નથી. ઠીક ! લીધું છે. એવું તું બીજાં ઉપર શું કરવા લક્ષ કરે છે ? કે મને તમે ધર્મ સંભળાવો. ધર્મી એવો જે આત્મા, અનંતગુણનું નિધાન એ સ્વયમ્ તું છો. તારી પાસે છે એને સંભાળને ! એને સંભાળતા ધર્મ છે. એટલે ખરેખર એ મૃત્યુના કાળમાં જેવી જે જે સાધકની યોગ્યતા હોય તે તે પ્રકારની સાધનામાં આવી જાય છે. યોગ્યતાવાળા જીવને તો દરેક પ્રતિકૂળતા અનુકૂળતા જ થઈ પડે છે. પ્રતિકૂળતા પ્રતિકૂળતા નથી થતી પણ અનુકૂળતા થઈ પડે છે. * શ્રીમદ્જી એક જગ્યાએ એવું કહે છે કે આ કાળમાં મુમુક્ષુ જીવને પ્રતિકૂળતાઓનું ઉત્પન્ન થવું તે સંસારથી તરવા બરાબર છે. આમ નાખ્યું છે, ઠીક ! જગતના જીવો એમ ઇચ્છે છે કે વર્તમાનમાં મને બધું અનુકૂળ રહો અને મારા ભવિષ્યકાળના બધાં પ્રસંગો અનુકૂળતાથી પસાર થાઓ ! વગર વિચાર્યું પણ બધાનો આ અભિપ્રાય છે. વિચાર્યું હોય કે ન વિચાર્યું હોય, અહીંયા આખી Line જુદી છે. અહીંયા તો કહે છે કે મુમુક્ષુ જીવને આ કાળમાં પ્રતિકૂળતાઓનું ઉત્પન્ન થવું, એ તો સંસારથી તરવા બરાબર છે. કેમકે સંસારનું ખરું સ્વરૂપ એ વખતે અવલોકવાનો તેને અવસર મળે
પ્રતિકૂળતામાં શું થાય છે કે જે અનુકૂળ વર્તનારાઓ હોય છે તે પણ પ્રતિકૂળતાએ વર્તવા લાગે છે. જેના પ્રત્યે જીવને મમત્વ હોય છે તે મમત્વ પણ કેટલું નિરર્થક હતું. એ આ બધું જોતાં એ એને સ્પષ્ટ સમજવાનો અવસર પ્રાપ્ત થાય છે. આ નજીકમાં નજીક હોય ને ! કુટુંબ-પરિવારમાં - દીકરા, દીકરી, પિતા, માતા, પતિ, પત્ની નજીકમાં નજીક હોય છે પ્રતિકૂળ વર્તવા લાગે ત્યારે એને એમ થાય કે હવે મફતનો. આ જીવ મમતા કરે છે. જે મમતા કરી કરીને એ ભવભ્રમણ વધારે છે. એ કેટલી મૂર્ખાઈ ભરેલી