________________
७८
[પરમાગમસાર-૧૯૧]
આવે અને એ પ્રયોગ કરવાં, અપનાવવા બધાં તૈયાર હોય; માત્ર ‘વાતે વડા નહિ થાય,' - સૂત્ર અપનાવવા તૈયાર હોય પણ સાથે એનો પ્રયોગ અપનાવવા તૈયાર હોય તો જ પરસ્પર એ પ્રેમ રહેશે.
દાખલા તરીકે, એક નળ છે અને ચાર ભાડૂત બાલદી લઈને પાણીનો આવવાનો ટાઈમ શરૂ થાય ત્યારે પાણી ભરવા નીકળ્યાં. હવે ઘર્ષણ ક્યારે થાય ? કે, “પહેલો હું !' (એમ જો બધાં કરવાં લાગે) તો ઘર્ષણ થાય અને ‘પહેલાં તમે’ (એમ કહે) તો ? તો ઘર્ષણ ન થાય. તમે પહેલાં ભરી લ્યો આપણે ભલે સાથે નીકળ્યાં. અહીંયા સાથે ભેગા થયાં પણ પહેલાં તમે પતાવો, તો સામો માણસ એમ કહેશે કે ના, ના, પહેલાં તમે ભરી લ્યો. મને શું બીજો ફરક પડે છે ? તો ઘર્ષણ ન થાય. પણ એ તો તું કરવામાં અને ત્યાગ કરવામાં છે અને એ ત્યાગનો સિદ્ધાંત અને ત્યાગનો પ્રયોગ જૈનદર્શનમાં જે છે કે ૫૨૫દાર્થ તને સુખનું કારણ નથી. આ બહા૨ની સંપદા એ ખરેખર સંપદા નથી.’આ વિષય ત્યાં (જૈન દર્શનમાં) છે,
–
વળી, એ (રવિન્દ્રનાથ ટાગોરે આપેલો) સિદ્ધાંત તો જૈનદર્શનના સિદ્ધાંત પાસે સંકુચિત છે ! માનવી માનવીનો સંહાર ન કરે, પ્રેમ કરે. (એમ) જેને તમે વિશાળતા, વિશ્વની વિશાળતા કહો છો અમે તો હજી એને સંકુચિતતા કહીએ છીએ. જૈનદર્શન તો કહે છે કે એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય પર્યંતના કોઈ જીવનો સંહાર ન થાઓ, ઠીક ! આ માનવીને બચાવવા માટે માછલાંને મા૨વાનો કાયદો ઘડવામાં તો તમને વાંધો નથી ! (ચાલે) છે ને અત્યારે ? મત્સ્ય ઉદ્યોગ’ રાજ્યમાં ચાલે છે. ગુજરાત રાજ્યમાં પણ ચાલે છે અને બધાંય રાજ્યોમાં ચાલે જ છે. જ્યાં જ્યાં સમુદ્રનો કિનારો લાગુ પડે છે ત્યાં લાખો - હજારો માછલાં નહિ પણ હજારો ટન માછલાં મારવામાં આવે છે ! હજારો માછલાં નહિ, હજારો ટનમાં માછલાં મારવામાં આવે છે ! આ જાફરાબાદની ખાડી છે, વેરાવળનો દરિયા કિનારો છે (ત્યાં આ ઉદ્યોગ ચાલે છે). એ માછલાંને મા૨ીને રાખવાની જગ્યા એકરમાં રાખવી પડે છે ! ગોડાઉનોમાં તો એ સમાય નહિ. આમ તો એને ખુલ્લામાં રાખવાં પડે છે, સૂકવે છે ને (એટલે). પણ એ બાજુ માઈલો સુધી હવા ખરાબ થાય છે. હવે એ શું કરવા (ચાલે) છે ? કે માણસને બચાવવો છે. માણસને ખોરાક જોઈએ છે. જ્યારે માણસને જીવવું છે ત્યારે બીજાંને મરવું કે જીવવું એનો