________________
કહાન રત્ન સરિતા
૭૧ આબરૂ, કીર્તિ, પૈસા, દાગીના, મોટર-ગાડી, મકાન, સગાં-સંબંધી, કુટુંબપરિવારથી માંડીને જેટલું ગણો એ બધાં વાળો આવો હું - એ બધું એનું મિથ્યા અભિમાન છે. એ બધામાંથી અભિમાન છોડીને એને શુભ રાગ આવે
એવો હું થાય છેતો ત્યાં અભિમાન થયું. “આ બધાંયનો ત્યાગ કરનારો હું : “ત્યાગી' તો એ ત્યાગનું અભિમાન કર્યું. અરે...! હું અભિમાન કરનારો નહિ હું તો નરમ... નરમ...નરમ... સ્વભાવવાળો - નમ્રતાવાળો ! તો નમ્રતાનું અભિમાન કર્યું. માન એવું છેતરામણું છે કે એને ખબર પડે નહિ કે મને
ક્યાં માન થાય છે ? મને આવો અવગુણ થાય તે સારું નહિ એમ કરીને નમ્રતામાં માન કેળવે (તો) ત્યાં પણ એ માનમાં છેતરાય છે.
એટલે શ્રીમદ્જીએ આત્મસિદ્ધિમાં ગાયું છે. કે, માનાદિક શત્રુ મહા નિજ દે ન મરાય, જાતાં સદ્ગુરુ ચરણમાં અલ્પ પ્રયાસે જાય.'
પોતે એ માનને છોડવાં જાય, ત્યાગી થઈને જંગલમાં જાય તો ત્યાગીપણાનું માન થાય. અરે...! માન કરવા જેવું નથી . એમ કરીને નમ્રતા સેવવાં જાય તો હું નરમ... હું નરમ... હું નમ્રતાવાળો... હું નમ્રતાવાળો... એવું માન કરી બેસે ! એ પરિણામમાં એને માન થાય. એ પોતાના સ્વચ્છેદે છોડવા ગયે છૂટતું નથી. જ્યાં (એને) ગુણવાન સપુરુષ મળે છે, ગુણવાન જ્ઞાની મળે છે ત્યાં એને બહુમાન થાય છે. ત્યારે એને પોતાનામાં ગુણ પ્રગટ્યાં નથી, આવા ગુણ મને પ્રગટ્યાં નથી, એવું ભાસે છે. એટલે પોતાની અવસ્થાનું જે અભિમાન થતું હતું એ બહુ અલ્પ પ્રયાસે છૂટે છે. (માન) બહુ મોટો દુશ્મન છે. વિભાવ મોટો રીપુ છે. એમાં - વિભાવમાં પણ માન મોટો રીપુ છે. એ એક સપુરુષના ચરણમાં જાય, ત્યાં એક ચૂટકી વગાડે એમ અલ્પ પ્રયાસથી જાય છે. તેથી સદ્ગુરુનો - સત્પરુષનો આશ્રય વારંવાર બતાવવામાં આવ્યો છે. (કેમકે) આવો મોટો અવગુણ ટાળ્યો ટળે નહિ, એ અલ્પ પ્રયાસમાં ત્યાં ટળે છે.
ત્રણ-ચાર દિવસ પહેલાં પૂજ્ય બહેનશ્રીને (એક મુમુક્ષુએ) પ્રશ્ન પૂછ્યો હતો કે આ જે કાંઈ સમજવું થાય) છે એ તો ઠીક છે; સમજાય છે પણ બરાબર સમજાવાં છતાં જ્ઞાન ચઢતું નથી, જ્ઞાન પરિણમતું નથી – એનું કારણ શું? (પૂજ્ય બહેનશ્રીએ કહ્યું) કે એને જે મહિમા આવવો જોઈએ -