________________
૬૮
[પરમાગમસાર-૧૬૮] જે વિભાવ પરિણામ ચાલે છે એમાં એને જાગૃતિ આવે કે આ નુકસાનનું કારણ છે ત્યારે એને મુમુક્ષુતા જાગી છે એમ કહેવામાં આવે છે. એ એનું ભાવ લક્ષણ છે. બાકી બધાં બહારનાં દ્રવ્ય લક્ષણ છે. દ્રવ્ય અને ભાવે ગણાય ને ? દ્રવ્ય આમ છે) ને ભાવે આમ (છે). (જાગૃતિમાં આવે ત્યારે એને વિભાવ રસ મંદ પડે. જો વિભાવરસ મંદ પડે તો એની સમજણ છે એ વધારે કામ કરતી થાય અને એ સમજણમાં એને પોતાનું જ જે જ્ઞાન સ્વરૂપ આત્મસ્વરૂપ છે, એ સમજાય. સમજાય એટલે પ્રતિભાસે. પ્રતિભાસે એટલે ઓળખાણ થાય અને ઓળખાણ થાય તો અનંત ગુણ ભંડાર છે એનો મહિમા આવ્યા વિના રહે નહિ. * શ્રીમજી લખે છે - જ્યારે કોઈપણ મુમુક્ષુ જીવની પરિણતિ એવી દશાને પામે કે જે કાંઈ માયિક સુખ છે; માયિક સુખ એટલે આ જગતમાં કહેવાતું સુખ છે (તેને માયિક સુખ કહે છે); એવા (માયિક સુખના પ્રસંગો પ્રાપ્ત થવા છતાં તે તે અનુકૂળતાનાં પ્રસંગોમાં થતાં જે પરિણામ, તે પરિણામમાં તેને મૂંઝવણ થાય. જ્યારે જગતના કહેવાતાં સુખમાં, સુખ થવાને બદલે મૂંઝવણ થાય ત્યારે તે જીવની મતિ ગુણથી ઉત્પન્ન થતાં સુખમાં જાય છે. આ બહુ સુંદર વિષય છે ! અવગુણના કાળમાં જે સુખ થાય એમાં સુખ થવાને બદલે મૂંઝવણ થાય. * (આ) એમણે બહુ સારો વિષય ખોલ્યો છે. કોઈપણ માણસ. કોઈ પણ જીવ જ્યારે મૂંઝાય છે ત્યારે રસ્તો કાઢે છે. જ્યાં સુધી મૂંઝાય નહિ ત્યાં સુધી રસ્તો કાઢે નહિ. રસ્તો કાઢવાનો આ એક છેલ્લો તબક્કો છે. સામાન્ય રસ્તો કાઢવાનો વિચાર આવે ત્યારે સામાન્ય વિચાર કરે ને રસ્તો ન મળે તોપણ એનું ગાડું ચાલે. (મુમુક્ષુજીવને જ્યાં સુધી) સામાન્ય જિજ્ઞાસા છે ત્યાં સુધી એમ ને એમ સામાન્ય પ્રશ્નો પૂછે ને સાંભળી લે. ઠીક છે ને સારું છે ને એમને એમ (ચાલે). પણ મૂંઝવણ થાય અંદરમાં તો રસ્તો શોધે). જેમ કોઈ નાક દબાવે, તો નાક દાબે ત્યારે એને એવી મૂંઝવણ થાય કે કાં મોઢું ખોલવું પડે અને (જો) એનું મોઢું સીવી લીધું હોય તો શું દશા થાય ? કે ગમે તેમ કરીને શ્વાસોશ્વાસ લીધા વિના પ્રાણ છૂટી જશે ! હવે ચાલશે નહિ. એમ (જ્યારે) જીવને મૂંઝવણ થાય છે ત્યારે એને એ સુખ સુખરૂપે અનુભવાતું નથી. પણ એની વૃત્તિ . એ જીવની વૃત્તિ ગુણથી ઉત્પન્ન