________________
૬૦
[પરમાગમસાર-૧૬૨]
ભલે એમાં વિકલ્પ ઊઠે છે, એમાં રાગ ઉત્પન્ન થાય છે કે હું આત્મા આવો ! આત્મા આવો ! પણ એ વિકલ્પ તે હું નથી. વિકલ્પનો (પોતાપણે) સ્વીકાર ન આવવો જોઈએ અને વિકલ્પમાં સ્વીકાર ન આવે એટલે એમાં મમત્વ કાનો પ્રશ્ન જ નથી. ઊલટાનો એ વિકલ્પથી જુદો હું જ્ઞાયકમૂર્તિ છું એવો એક પ્રયત્ન થવો જોઈએ, એને ભેદજ્ઞાનનો પ્રયત્ન કહે છે. એ ભેદજ્ઞાનના પ્રયત્નમાં એણે એકતાબુદ્ધિ તોડીને રાગ ઊભો ન થાય એવા શાયકના અહપણાના તીવ્ર પરિણામ પુરુષાર્થથી કરવા જોઈએ. જેથી અનાદિની એકત્વબુદ્ધિ તૂટીને એકવાર નિર્વિકલ્પ સ્વાનુભવ થાય તો એ ત્યાર પછી વિકલ્પમાં આવે તોપણ વિકલ્પથી છૂટી (ભિન્ન) એની જ્ઞાનધારા સળંગપણે કામ કરે અને પોતે છૂટો ને છૂટો રહે. પૂર્ણ વીતરાગતાના અભાવનાં કારણે ભલે અવસ્થામાં રાગાંશની ઉત્પત્તિ થાય તોપણ પોતે છૂટો રહી શકે. પોતે છૂટો રહી શકે તો પોતાનું સાધન છૂટો રહીને કરી શકે. પણ જો રાગની એકતામાં બંધાયેલો રહે અને રોકાયેલો રહે તો સ્વરૂપ સાધન એમાં બિલકુલ થતું નથી. આ પરિસ્થિતિ છે,
પ્રશ્ન :- મિથ્યાદ્ગષ્ટિને રાગધારા ચાલુ જ છે, જ્ઞાનધારા કેમ ચાલુ થતી નથી ?
સમાધાન :- મિથ્યાદષ્ટિને સમ્યગ્દર્શનમાં મિથ્યાત્વનો અભાવ ન થાય ત્યાં સુધી છૂટી જ્ઞાનધારા ઉત્પન્ન થતી નથી. પણ એને પોતે માત્ર જ્ઞાન સ્વરૂપ છે એમ રાગથી ભિન્ન પડવાનો અને જ્ઞાયકમાં અભેદ થવાનો પુરુષાર્થ કરવો જોઈએ.
જેને પોતાના આત્મા સંબંધીના ઉત્પન્ન થતાં રાગમાંથી પણ ખસવાની તૈયારી છે, એ બહારમાં પંચેન્દ્રિયના વિષયમાં અને ઉદયનાં રાગમાં રોકાવાનો નથી અને એમાં એને ૨સ આવવાનો નથી. નહિ તો શું છે કે જીવને જડમાં સુખબુદ્ધિ છે. એ નિર્ણય બદલવો જોઈએ. (કારણ કે) ત્યાં સુધી એને ઉદયના કાળમાં એનો રસ આવે છે. એ રસવાળા પરિણામ છે એ એને ઘણાં નુકસાન કરતાં પરિણામ છે. એને એનું (આત્મહિત કરવાનું) નથી. કેમકે એ શક્તિ ખર્ચે છે. જ્યારે રસ લ્યે છે
બળ ઉત્પન્ન થવા દેતાં
પરભાવમાં રસ લ્યે
-
છે ત્યારે એની શક્તિ એમાં ખર્ચાય છે. એટલે એની સ્વરૂપની શક્તિ કામ કરતી (નથી). (અર્થાત્) સ્વરૂપ સન્મુખ થવાના એના પુરુષાર્થની જે શક્તિ