________________
૫
કહાન રત્ન સરિતા
૫૭
રહે નહિ. જ્યારે કોઈ ક્રિયા માર્ગે વિકાસ કરવા જાય ત્યારે એ બાહ્ય ત્યાગ કરે છે. વ્રત, નિયમ, સંયમ વગેરે ગ્રહણ કરવાનો વિચાર આવે છે અને એ પરિણામમાં એને કંઈક મહત્તા ભાસે છે ! (અહીંયા) પ્રશ્ન એ ઉપસ્થિત થાય એવો છે કે તો અમારે અનુભવ થયા પહેલાં એ બધું ન કરવું ? (તો કહે છે કે) શુદ્ધમાં પણ તારે પુરુષાર્થ કરવો (છે) અને શુભમાં પણ તારે પુરુષાર્થ કરવો (છે), જો તારે ખર્ચ જ કરવો છે તો માલ સારો લે ને! એમ કહે છે. પૈસાથી ખડ પણ મળે છે અને પૈસાથી હીરા પણ મળે
છે, હવે બન્ને ચીજ મળે છે તો તારે ખડનો શું ઉપયોગ છે ? ખડની કોઈ કિંમત નથી; હીરાની કિંમત છે, એ કિંમતી ચીજ છે. તો શા માટે ત્યાં ખર્ચ ન કરવો ? આટલો સવાલ છે, બસ !
બીજું શું છે કે વ્રત કરે એનો વાંધો નથી. સહજપણે કષાયની મંદતામાં અસંયમિત પરિણામ ન થાય તો પરિણામને પરાણે અસંયમિત કરવાનો કોઈ આની અંદર પ્રશ્ન જ નથી. કેમકે આ તો નિર્દોષતાનો માર્ગ છે. (જો) એ સહજપણે થાય તો સાથે એ સાવધાની આવવી જોઈએ કે આનું મમત્વ ને આનું અભિમાન મને ક્યાંય પણ થશે તો (આ) એક અટકવાનું બહુ મોટું સ્થાન છે. એમ જો એ ચેતીને ચાલે તો તો એ વ્રત ગ્રહણ કરનારને પણ આ અભિમાનનું કે રોકાવાનું દૂષણ ઉત્પન્ન થતું નથી. પણ અંદરમ જીવ ઘણો જાગૃત હોય તો જ આ માર્ગમાં પ્રવેશ કરી શકે, નહિતર ઃ ખા માર્ગે ચડી શકે એવું નથી, કેમકે એકલાં વ્રતાદિના પરિણામનું જ અભિમાન થાય એવું નથી.
શાસ્ત્ર (સ્વાધ્યાયના વિષયમાં) પણ એવું જ છે કે એ દિશામાં ક્ષયોપશમ (વધારે) કરે અને શાસ્ત્રની જાણકારી (કરે) ને એ વિષયનો જાણકાર થઈ જાય ત્યારે પણ એને એમ લાગે છે કે મને જ્ઞાન થયું ! પેલાને ચારિત્રનું અપણું આવે છે તો આને જ્ઞાનનું અહમુપણું આવે છે.
એટલે મોક્ષમાર્ગના જે મુખ્ય બે પડખાં છે ‘સમ્યવર્ણન-જ્ઞાન-ચારિત્રનિ મોક્ષમાર્ગ’, ‘જ્ઞાનક્રિયામ્યામ મોક્ષઃ' એમ લીધું છે ને ? બે પડખાં લીધાં છે. ‘જ્ઞાનક્રિયામ્યામ મોક્ષઃ' (કહ્યું છે) તો કોઈ ક્રિયા માર્ગે આગળ વધે ને કોઈ જ્ઞાનમાર્ગે આગળ વધે. અથવા કોઈ બન્ને માર્ગે આગળ વધે કે આપણે સંયમ સહિત જ્ઞાન કરો ! (કેમકે) જ્ઞાનયિામ્યામ મોક્ષ:' કહ્યો છે. તોપણ