________________
પિરમાગમસાર-૧૬૨] દેખત રીતે ભલે એ ઊંધી વાત ન હોય, પણ છતાં એમાં ઊંધાઈ છે ત્યારે રોકાણો છે, એ વાત નક્કી છે..આમાં કોઈને એમ નથી રાખ્યું કે, | (કોઈને) આમ લાગે કે કોઈના માટે એમ (વાત છે). એ કોઈ વાત નથી. એ તો વસ્તુની સ્થિતિ જ છે. એટલે ખુલ્લમ–ખુલ્લી એ વાત કરી છે.
એ ઊંધી કોશિશ કરે છે એમાં શું કરે છે ? કે પુણ્યમાં એકતા કરે છે. જુઓ ! વિષય એ જ લીધો છે. અનુસંધાનમાં જે વિષય લીધો છે એ, એ જ વિષય લીધો છે કે જીવ શુભરાગમાં એટલે કે પુણ્યમાં એકતા કરે છે. એકતા કરે છે એટલે એને સારા ગણે છે, એ ભાવોને - પુણ્યભાવો ને સારા ગણે છે. અથવા એ ભાવો કર્યા એનાથી પણ મને લાભ થયો. રાગમાં એકતા કરે છે એટલે એમાં લાભ માને છે કે આમ કરતાં... કરતાં.... કરતાં... આ લાભના પરિણામ ઓલા (શુદ્ધતાના) લાભ સુધી પહોંચી જશે ! એટલે એ પરિણામ સારા લાગે), (તેથી) આ અહમ્પણું - મમત્વપણું થાય) અને એનું રુચવું થાય). જે પરિણામ આત્માની જાતિનાં નથી, આત્માના સ્વભાવ જાતિના તો નથી પણ સ્વભાવ જાતિથી વિરુદ્ધ જાતિનાં છે, વીતરાગ સ્વરૂપથી વિરુદ્ધ એવાં રાગની જાતિનાં છે, ત્યાં એણે લાભ માન્યો છે. એટલે દુશ્મનના પડખે જઈને બેઠો છે ! પક્ષ કરે દુશ્મનનો અને આશા એમ ધરે કે મારું હિત થાય ! તો કહે છે કે એ તો અનાદિનાં તારા દુશ્મન તને હણી જ રહ્યાં છે. એના પડખે બેસીને તું શું લાભ કાઢીશ ? એના પડખે બેસીને કોઈ લાભ મળે એવું નથી પણ નુકસાન થાય.
રાગમાં એકતા કરી લાભ માને છે. વ્રતાદિમાં લાભ માની અભિમાન કરે છે. ,
મુમુક્ષુ :- દુશમન દુશ્મન તરીકે દેખાય તો લાભ ન માને. પૂજ્ય ભાઈશ્રી - એને લાભ માને તો કેવી રીતે દેખાય ? એ તો શ્રીગુરુ એમ કહે છે કે ભાઈ ! આ તારાં સ્વભાવથી વિરુદ્ધ જાતિનાં છે તો એ તારા દુશ્મન નહિ તો શું છે) ? તદ્દન પ્રતિપક્ષ છે. રાગ અને વીતરાગતા તદ્દન પ્રતિપક્ષ છે. સામે સામા પક્ષમાં છે. હવે તું એમાં લાભ માને છે એનો અર્થ કે તને ઓળખાણ નથી. એનું સ્વરૂપ શું છે . એની તને ઓળખાણ જ થઈ નથી. એમ છે.
વ્રતાદિમાં લાભ માની અભિમાન કરે છે. એ અભિમાન આવ્યા વિના