________________
જ “પહેલાં ચારિત્રદોષ ટાળવાનો તું પ્રયત્ન કરે છે તે કરતાં છે. પહેલાં દર્શનશુદ્ધિ માટે પ્રયત્ન કર ! દૃષ્ટિમાં વિકલ્પનો ત્યાગ
કરતો નથી અને બહારના ત્યાગ કરી બેસે છે તે મિથ્યાત્વના જ પોષણનું કારણ છે.” ૯
પ્રવચન-૩, તાં. ૬-૧૧-૧૯૮૨
*
*
*
(પરમાગમસાર) ૯૯ નંબરનો બોલ છે. પહેલાં ચારિત્રદોષ ટાળવાનો તું પ્રયત્ન કરે છે તે કરતાં પહેલાં દર્શનશુદ્ધિ માટે પ્રયત્ન કર !” શું કહે છે ? કે સામાન્ય રીતે, માર્ગનો ખ્યાલ નથી એવા જીવોને, અનેક પ્રકારના વ્રત-સંયમ અને બાહ્ય ત્યાગ (કરવાના) પુરુષાર્થની પ્રેરણા થાય છે. આ પદાર્થનો ત્યાગ કરું તો એ રાગ ન થાય, આ કાર્ય ન કરું તો એ રાગ ન થાય, (એમ) ખાવું-પીવું વગેરે) અનેક પ્રકારના બાહ્ય ત્યાગમાં (જીવ) પરિણમે છે. ખરેખર તો આત્માના સ્વભાવમાં સ્થિર થાય), સ્થિરતા વધે, સ્વભાવ-સ્થિરતા આવતાં, અનેક પ્રકારના બાહ્ય વિષયોમાં વૃત્તિ ઉત્પન્ન જ ન થાય, અને તે પૂર્વક બાહ્ય સંયોગોનો અભાવ થાય, એને વાસ્તવિક ત્યાગ કહેવામાં આવે છે. એ મોક્ષમાર્ગની વાસ્તવિક પદ્ધતિ છે.
એમ થયા વિના - સ્વરૂપ સ્થિરતા થયા વિના, પહેલેથી બાહ્ય પદાર્થનો ત્યાગ કરે અને એ બાહ્ય પદાર્થના ત્યાગથી પોતાને, તે પદાર્થના રાગનો અભાવ થવાનું ઇચ્છે અથવા માને, કે આ આ પદાર્થનો આ પ્રકારનો મારે