________________
४३
કહાન રત્ન સરિતા પ્રતિકૂળ ગણવામાં આવે છે. (કષાય) તીવ્ર હો કે મંદ હો (તેને) સાનુકૂળ નહિ પણ એને પ્રતિકૂળે જોવામાં આવે છે, કેમકે એ વિભાવ જાતિના છે, પ્રતિકુળ જાતિના છે. એમ છે.
એટલે સમ્યફદૃષ્ટિ જીવ શુભાશુભને છેદીને મોક્ષ સ્વભાવે ઉપજે છે, પરિણમે છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિમાં એ લખ્યું છે, કે “તેહ શુભાશુભ છેદતાં, ઉપજે મોક્ષસ્વભાવ.' મોક્ષસ્વભાવ ક્યારે ઉપજે છે ? કે શુભાશુભ છેદતાં ઊપજે છેઅભાવ કરીને (ઊપજે છે), એને પોષણ આપીને ઊપજે છે. પાલન-પોષણ કરવામાં આવે છે, એમ કહ્યું નથી.
અહીંયા તો કહે છે કે મોક્ષસ્વભાવ ઉપજ્યા પહેલાં શુભ પરિણામમાં બાહ્ય ત્યાગ આદિના જે કોઈ પણ પરિણામ હોય, તોપણ પ્રથમ પ્રયત્ન એણે શુદ્ધાત્માના શ્રદ્ધાન સંબંધિત કરવો અને એ શ્રદ્ધાન ઉત્પન્ન ન થાય ત્યાં સુધીના ચાહે તે પ્રકારના શુભ પરિણામ થાય; (કેમકે) થશે જ, પરંતુ) તેને મુખ્ય કરવાં નહિ અથવા એને શ્રદ્ધાવા નહિ કે આ મને લાભનું કારણ થયું, મારા કલ્યાણનું કારણ થયું.
એ ૯૯ મો બોલ છે. કાલે આપણે ચાલ્યો હતો. થોડા વિશેષ વિચાર હતાં એટલે બે લીટી ફરીથી લીધી.
Vઅંતર્મુખ થઈ, સ્વપદનું પરમેશ્વરરૂપ અવલોકતાં, વર્તમાનમાં જ પોતે પરમેશ્વરરૂપ છે !! અહો! અવલોકનમાત્રથી પરમેશ્વર થાય! એવી અવલોકના ન કરે તો, પોતાનું નિધાન પોતે લૂંટાવી દરિદ્રી થઈ ભટકે છે ! અને ભવ વિપત્તિને વહોરે છે – અનુભવ પ્રકાશ
-પૂજ્ય ભાઈશ્રી (અનુભવ સંજીવની-૧૯૮૭)