________________
૫૦
[પરમાગમસા૨-૧૦૦]
છે. તેથી એમાં શુદ્ધ નિર્મળ એવું નિર્મળ ચૈતન્ય તત્ત્વ ભાસ્યમાન થતું નથી. અથવા જે આત્મતત્ત્વ શુદ્ધ નિર્મળ છે તે જ્ઞાન-સ્વભાવી છે. જ્ઞાનમાં જ્ઞાનનો જ સ્વભાવ ભાસ્યમાન થતો નથી. કેમકે જ્ઞાનને જ્ઞાનનો સ્વભાવ ભાસવા અર્થે એને જ્ઞાનથી વિરુદ્ધ એવા જડ તત્ત્વનો જે જ્ઞાનમાં રસ છે એ રસ ટાળ્યો નથી – આમ છે. શ્રીમદ્ભુએ મુમુક્ષુઓને માટે ઘણું માર્ગદર્શન આપ્યું છે.
(અહીંયા કહે છે) એક વાર આત્માના નિધાનને દેખે તો બહારના નિધાનોની નિર્માલ્યતા ભાસે.' આમ છે. એક વાર દેખે તો નિર્મૂલ્ય ભાસે અને વિચારીને નિર્મૂલ્ય કરે તો દેખે. કેમકે બન્ને એક સાથે થાય છે, વારાફરતી કરવાનો પ્રશ્ન નથી. આત્માને ઓળખવાના પ્રયાસમાં વિચારની સ્થિતિમાં નિર્મૂલ્યતા, વિચારીને આવવી જોઈએ. વિચારીને આવવી જોઈએ.
વિચારીને એટલે વિચાર તો કરવામાં આવે છે. વિચાર નથી કરવામાં આવતો એવું નથી, પણ મૂલ્ય જાય છે કે નહિ એ સવાલ છે. આની કિંમત નથી, આની કિંમત નથી, આની કિંમત નથી, એમ વિચારવા છતાં એની કિંમત ખરેખર જાય છે કે નહિ, આટલો સવાલ છે. અંદરથી ગઈ છે કે નહિ, એ સવાલ છે.
જો એને એની કિંમત જાય અને એ કિંમત છે એનું મૂળ કારણ સુખ છે. સુખની જે ભ્રાંતિ છે એને લઈને એની કિંમત છે, તો એના માટે વિચારની કઈ રીત હોવી જોઈએ ? કે જ્યાં જ્યાં એને સુખનો અનુભવ થાય, જે ખરેખર સુખ નથી પણ સુખાભાસ છે, જ્યાં જ્યાં એને સુખનો અનુભવ થાય, જે જે પરિણામમાં થાય, જે જે સંયોગમાં થાય, ઇષ્ટ સંયોગ - અનિષ્ટ વિયોગ, એ એને સુખનું કારણ છે. એમાં (એણે) ઇષ્ટપણાની, અનિષ્ટપણાની કલ્પના કરી છે. વાસ્તવિક કોઈ પદાર્થ ઇષ્ટ-અનિષ્ટ નથી અને ત્યાં સુખ છે કે સુખાભાસ છે ? (આમ) એણે અનુભવને પકડીને અવલોકીને એનું મૂલ્ય ટાળવું જોઈએ. મૂલ્ય ટાળવું જોઈએ, એની કિંમત ટાળવી જોઈએ. જ્યાં ઠીકપણું આવ્યું ત્યાં મહત્તા આવી, ત્યાં એનું મૂલ્યાંકન થઈ ગયું કે આ સારું છે. જગતમાં કોઈ જડ પદાર્થ ચૈતન્ય માટે સારો પણ નથી, ખરાબ પણ નથી. એવું જે સત્ય છે, પરમ સત્ય છે, એ કેમ બરાબર છે ? એ અનુભવમાં કેમ બરાબર છે ? વિચા૨માં બરાબર છે એમ નહિ, એ અનુભવમાં