________________
“પ્રશ્ન :- આત્મા જાણવાની કોશિશ કરીએ છીએ છતાં આત્મા જાણવામાં કેમ નથી આવતો ?
ઉત્તર :- સાચી કોશિશ કરી નથી. કોશિશ ઊંધી કરે છે. જ પુણ્યમાં એકતા કરે છે. રાગમાં એકતા કરી લાભ માને છે.
વ્રતાદિમાં લાભ માની અભિમાન કરે છે. એ બધા વિપરીત બુદ્ધિ છોડીને જ્ઞાયકમૂર્તિ આત્માની સન્મુખ દેખે ત્યારે આત્મા જાણવામાં આવે છે.” ૧૬૨.
જે
પ્રવચન-૬, તા. ૨૮-૧-૧૯૮૩
(પરમાગમસાર) ૧૬૨૦મો બોલ).
પ્રશ્ન :- આત્મા જાણવાની કોશિશ કરીએ છીએ છતાં આત્મા જાણવામાં કેમ નથી આવતો ?
પ્રશ્રકારને કોઈ એવો અભિપ્રાય છે કે અમારો પ્રયત્ન તો છે પણ પ્રયત્નનું ફળ કેમ નથી ? આની અંદર આનું સમાધાન થયું નથી. પ્રશ્નનું અસમાધાન એ છે કે અમારો પ્રયત્ન છે, કોશિશ એટલે પ્રયત્ન, પણ એનું ફળ જે આત્માનું જ્ઞાન થવું જોઈએ, અનુભવ થવો જોઈએ એ કેમ નથી? આ પ્રશ્ન
ઉત્તર :- સાચી કોશિષ કરી નથી. કોશિશ ઊંધી કરે છે. ઠીક !