________________
|
| 2015
શરીરની અત્યંતર શુદ્ધિ
શરીરની સ્નાન વડે જે શુદ્ધિ થાય છે, તે બાહ્ય શુદ્ધિ છે. તે જ પસાધનામાં ઉપકારક બને છે, પણ તેના કરતાં યે શરીરની અત્યંતર શુદ્ધિ વિશેષ ઉપકારક બને છે. અત્યંતર શુદ્ધિ એટલે અંદરની શુદ્ધિ. શરીર બહારથી શુદ્ધ હોય, પણ અંદરથી શુદ્ધ ન હોય, તેમાં અનેક પ્રકારનો મલ ભરેલો હેય, તે જપસાધનામાં ચિત્ત જોઈએ તેવું ચાટતું નથી, તેમાં વિક્ષેપ થયા કરે છે અને આખરે તે છોડી દેવાનું મન થાય છે. આ - શરીરની અંદર વિવિધ પ્રકારના રોગો હોય, તે પણ '' એક પ્રકારની અશુદ્ધિ જ છે અને તે પણ જપસાધનામાં
અંતરાયરૂપ છે, માથું દુખતું હોય, પેટમાં ગરબડ હોય, શરીર માંડતું ન હોય કે કોઈ ભાગમાં દર્દ થયા કરતું હોય તે પસાધનામાં બેસવાનું દિલ જ થતું નથી, પછી જપસાધના થાય શી રીતે ? આપણું પ્રાચીન પુરુષોએ કહ્યું