Book Title: Jap Dhyan Rahasya
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Aradhana Vastu Bhandar

View full book text
Previous | Next

Page 402
________________ ૩૫૪ ધ્યાન-રહસ્ય સ્મરણ કરે છે. શ્રીનંદિષેણ નામના એક જૈન મહર્ષિએ બીજા તીર્થકર શ્રી અજિતનાથ અને સોળમા તીર્થકર શ્રી શાંતિનાથની સંયુક્ત સ્તુતિ કરતાં જણાવ્યું છે કે अजियजिण सुहप्पवत्तणं, तव पुरिसुत्तम नामकित्तणं । . तय धिइ-मइ-पवत्तणं, तव य जिणुत्तम संति कित्तणं ॥४॥ હે પુરુત્તમ અજિતનાથ! તમારું નામસ્મરણ શુભને અથવા સુખને પ્રવર્તાવનારું છે અને તે જિનોત્તમ શાંતિનાથ ! તમારું નામસ્મરણ ધૃતિ અને મતિનું પ્રવર્તન કરનારું છે, અર્થાત્ સ્થિરબુદ્ધિને આપનારું છે.” જૈનધર્મમાં તીર્થકરોનાં નામપૂર્વક જપ કરવાના અનેક વિધાન છે, તે એની નામસ્મરણની શ્રદ્ધા વ્યક્ત કરે છે. પ્રશ્ન- આ વિષયમાં બૌદ્ધધર્મની શી સ્થિતિ છે? ઉત્તર- હિંદુ અને જૈન ધર્મની જેમ બૌદ્ધ ધર્મ નામસ્મરણ પર વિશેષ ભાર આપેલે નથી, છતાં તથાગતની વિવિધ પ્રકારે સ્તુતિ કરવાની પ્રથા તે તેમનામાં પણ છે. ન પ્રશ્ન- ઈસાઈ ધર્મ નામસ્મરણમાં માને છે ઉત્તર- જરૂર. બટલરના ઉપદેશમાં કહ્યું છે કે “હે " પ્રભુ ! જે લેકો તારા નામમાં રાચે છે, તે તારા ઈશ્વરી તેજમાં પ્રવાસ કરે છે. ઈસાઈએ ભગવાનનું નામસ્મરણ કરવા માટે માળાનો ઉપયોગ કરે છે. છે. પ્રશ્ન- આ બાબતમાં ઈસ્લામ ધર્મનું શું મંતવ્ય છે?

Loading...

Page Navigation
1 ... 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477