Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
શાસ્ત્રકારોનો મત સમજાવતાં શ્રીમજી કહે છે કે જે આવાં ઉત્તમ ત્રણ રત્નોને દેવ-ગુરુ-ધર્મને જ સ્વીકારે છે, તેમના ઉપર શ્રદ્ધા રાખે છે, તેમની આજ્ઞામાં રહે છે, એ જીવો નિયમા સમ્યગદર્શન પામેલા છે.
વ્યવહારદષ્ટિએ આ રીતે શ્રદ્ધાળુણસંપન્ન અને સમ્યકત્વ પામનારાને શ્રીમજી લખે છે કે તેને સંસાર કેવો લાગે? "સંસાર સુખના એકમાં પણ જો દુઃખનું વેદન ન થાય તો વેધસંવેધ પદ સમકિત પૂર્ણ પામ્યા ન કહેવાય”. શિક્ષાપાઠ-૫૨ માં સંસારનું સ્વરૂપ સમજાવે છે.
જ્ઞાનીઓએ વૈરાગ્ય શા માટે બોધ્યો ? સંસાર કેવો છે ? જ્ઞાનીઓએ એને અનંત ખેદમય, અનંત દુઃખમય, અવ્યવસ્થિત ચળ - વિચળ અને અનિત્ય કહ્યો છે.
"અનંતભવનું પર્યટન, અનંતકાળનું અજ્ઞાન, અનંતજીવનનો વ્યાઘાત, અનંતમરણ, અનંતશોક એ વડે કરીને સંસારચક્રમાં આત્મા ભમ્યા કરે
જ્ઞાનીઓ સંસારને ક્ષણભર પણ સુખરૂપ કહેતા નથી, તલ જેટલી જગ્યા પણ સંસારની ઝેર વિના રહી નથી.
અનંતપાપ, અનંતશોક, અનંત દુઃખ જોઇને જ્ઞાનીઓએ આ સંસારને અસાર કહ્યો છે, તે સત્ય છે, એ ભણી પાછું વાળી જોવા જેવું નથી, ત્યાં દુઃખ દુઃખને દુઃખ જ છે, દુઃખનો એ સમુદ્ર છે.
વૈરાગ્ય એજ અનંત સુખમાં લઇ જનાર ઉત્કૃષ્ટ ભોમિયો છે.
જ્ઞાનધારા-૧
૨૦)
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=