Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
----
-
---------
--------
-
--
--
---
-
---
-
-
-
-
-
ચતુર્વિધસંઘની વર્તમાન પરિસ્થિતિ અને પત્રકારની ભૂમિકા
ડો. કલા શાહ
(જાણીતા લેખિકા અને વક્તા છે. લાલા લજપતરાય કોલેજ મુંબઇ ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને મુંબઇ યુનિ. ના પીએચ.ડી ના ગાઇડ છે.)
જૈનશાસનના અનુયાયીઓને સામૂહિક સંઘ તરીકે ઓળખવામાં આવે છે. સંઘનાચાર અંગો છે. સર્વવિરતિ ચાને મહાવ્રતધારી સાધુતથા સાધ્વીઓ અને દેશવિરતિ એટલે કે અણુવ્રતધારી શ્રાવક-શ્રાવિકાઓ. સામાન્ય અર્થમાં પહેલા બે અંગો સાધુ-સાધ્વીઓ એ સંસારત્યાગ કરેલો હોય છે, જ્યારે બીજા બે અંગો શ્રાવક-શ્રાવિકાઓએ ત્યાગ નથી કર્યો હોતો.
ચતુર્વિધ સંઘની વર્તમાન પરિસ્થિતિ
વર્તમાન એટલે ભૌતિક સુખ સામગ્રી, સુવિધાઓમાં રાચવાનો સમય. નાનામાં નાના બાળકોથી માંડીને યુવાનો, ગૃહસ્થો, વયોવૃદ્ધો બધાં જ ભૌતિક સુખો પ્રાપ્ત કરવામાં પડ્યા છે. વર્તમાન પર “GlobalCulture” નું સતત આક્રમણ થઇ રહ્યું છે. માનવની રહેણી, તેનો પહેરવેશ, તેનો આહાર , તેના આહાર, તેના આચાર વિચાર બધાં પર ચોમેર પાશ્ચાત્ય અને ખાસ કરીને અમેરિકન સંસ્કૃતિનો પહેલો પ્રભાવ ઊડીને આંખે વળગે એવો છે.
જૈનધર્મવિશ્વધર્મબનવાની શક્યતાધરાવતો ધર્મ છે. પંચ મહાવ્રતધારી શ્રમણ શ્રમણીઓના ત્યાગ, વૈરાગ્ય, તપ, ધ્યાન, સમતા, આત્મપરાયણતા તથા મોક્ષમાર્ગની અભિલાષા વગેરે સદ્ગુણો જૈનધર્મને ઊંચું સ્થાન અપાવે છે.
જ્ઞાનધારા-૧
Y૨૯૯
૨૯૯
== જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=
જનસાહિત્ય જ્ઞાનસત્ર-૧૬