Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
ઉદેશી દેવીદાસ કાનજી – ઉપવાસીના વિચારો
એમણે લખેલા નીન, ચારિત્ર્ય, નિષ્ઠા જેવાં જીવન-વિધાયક પ્રેરકબળાને મહિમા કરતા લધુનિબંધો છે. ‘મધુબિન્દુ’ (૧૯૪૪)માં એમની ભાષાને વાર્તાઓ છે. જીવન અને સાહિત્ય’(૧૯૪૩)માં સંગ્રહના શીર્ષકને અનુસરના એમના લેખા સંગ્રહિત છે.
બા.મ. ઉદ્દેશી દેવીદાસ કાનજી: પદ્યના ઉપયોગથી સંવાદઢબે લખાયેલી કૃતિ સદ્ ગુણી ચની’(૧૮૯૨)ના કર્તા.
કી...
ઉદ્ગાર (૧૯૬૨) નિબન રાવળનો કાવ્યસંગ્રહત કુલ એકવીસ રચનાઓ આપતા આ સંગ્રહમાં કવિના પેાતાના અવાજ વિશિષ્ટ છે. આ રચનાઓ માટે ભાગે પ્રતીકો અને કલ્પનાની આધુનિક છાયા સાથે લયાન્વિત પંકિતઓના પદ્યમાં વિસ્તરે છે. અને કેન્દ્રમાં સંવેદનની સમત્કૃતિ ધરાવે છે. ‘સવાર - ૧’, ‘ઉર્દૂ ગ’, ‘કામ’ જેવી રચનાઓ ધ્યાન ખેંચે છે. ‘મુંબઈ’ને વિકરાળ પંખીની મળેલી રૂપકાત્મકતા રોચક અને વ્યંક છે. હો.
ઉન્નયન (૧૯૪૫): સુન્દરમ્ ના વાર્તાસંગ્રહ. ૧૯૩૯માં ‘ખાલકી અને નાગરિકા' નામે પ્રસિદ્ધ સંગ્રહમાં બીજી પાંચ વાર્તાઓ ઉમેરી નવેસરથી થયેલું આ પ્રકાશન છે. ‘ખાલકી' આ સંગ્રહની જ નહીં, ગુજરાતી વાર્તાસાહિત્યની ઉત્તમ વાર્તાઓમાંની એક છે. બીવરને પહેલી ગ્રામીણ યુવતી બાકીની સમાગમ ક્ષણ સુધી પહોંચતી આ વાર્તાની વાસ્તવલક્ષી તાજગી અને એનું કલાત્મક પરિણામ અપૂર્વ છે. ‘નાગરિકા’માં પુસ્તકડ પતિની સાથે સમાગમ ઇચ્છતી અને જુદી રીતે ફંટાઈ જતી નાગરી નાનું આલેખન છે તેટલી વાર્તાઓમાં મિત્ર નિરૂપણ અને શિથિલ સંવિધાન હોવા છતાં ‘નાસિંહ’કે પ્રસાદની ખેંચની' જેવી વાતો ધ્યાનાર્ય બનેલી છે.
શ
ઉન્મીલન (૧૯૩૪): અનંતય રાવળના વિવેચનસંગ્રનાનામારા વીરા વિવેચનલેખાના આ સંગ્રહમાં "કાપીને ગદ્યસાહિત્ય, ધર્માંતર અને કાન્તની કવિતા', 'પંડિતયુગના મહારથી’તથા ‘કવિશ્રીની તિતર રચનાઓ' એ અભ્યાસલેખા છે. એમાં કાપીના સમગ્ર વાહનની સમગ્રદી તપાસ કરતા પહેલા અભ્યાસલેખ સૌથી વિશેષ ધ્યાનપાત્ર છે. 'રમણભાઈની સાહિત્યધના, નંદશંકરની અર્થયાત્રા' તથા સાહિત્ય ક્ષેત્રનું ભવ' એ આકાશવાણી પર પાયેલા વાાિપ છે. સંગ્રહમાં, રાક રૂપે લખાયેલા લેખોની સંખ્યા વિશેષ છે. વસ્તુ તરફ જાવાનો સૌજન્યપૂર્ણ અભિગમ જાને પોતાને ઇષ્ટ વાત અસંદિગ્ધ રીતે કટુ બન્યા વગર કહેવાની તસ્યના આ વિવેચનલેખાની લાક્ષણિકતા છે,
૮.ગા.
ઉપક્રમ (૧૯૯૭) ત્યંત કોઠારીને લાંબા અભ્યાસપુત લેખાનો સં. સિક્કાંતચર્ચા, અર્વાચીન-મધ્યકાલીન કૃતિઓ, સાહિત્ય
૩૨ : ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
પ્રકાર-એમ વિવિધ ક્ષેત્ર અંગેનાં તર્કપુષ્ટ તારણા અહીં સચવાયાં છે. 'કળા એટલે શું, 'નાટકમાં રસ અને ક્રિયા', 'જીવનનો વૈભવમાં કળાનો મહેલ હા બેખાની ચિર્ચામાં
પ્રાયાના સમન્વય છે; તો મેઘાણી, કાન્ત કે પ્રેમાનંદ વિશેનાં લખાણમાં તટસ્થ મુલવણીને પ્રયાસ છે. ગુજરાતી નવલકથા અને મારી પરના એમના ખારક તેમ જ સ્થૂલિભદ્ર વિષયક ત્રણ ફાગુકાવ્યો પરના એમના તુલનાત્મક નિષ્કર્ષ ધ્યાન ખેંચે છે.
મોટા.
ઉપરવાસ-સહવાસ——અંતરવાસ (૧૯૭૫): ત્રણ ભાગમાં વિસ્તરતી પોતાની આ બૃહદ કથાને રઘુવીર ચૌધરીએ વર્તનની આત્મકથા' તરીકે ઓળખાવી છે. વાનમ પછીના ગાળામાં જે રીતે નવાં રાજકીય, સામાજિક અને આર્થિક પરિબળો આપણે ત્યાં ગતિશીલ થયાં અને તેના પરિણામે વતનના લોકજીવનમાં જે બાહ્ય અને ડાંગરિક પરિવર્તન રખાયું તેનો આ દસ્તાવેજી કા છે. ૧૯૪૭થી ૧૯૭૨ સુધીના સમયગાળા લઈ તેમાં ચૂંટણીમાનું રાજકારણ, મહાગુજરાતની ચળવળ અને ગુજરાત રાજ્યની સ્થાપના, સેવાદળ, સહકારી પ્રવૃત્તિ જેવી અનેક ઘટનાઓ લેખકે અહીં રજૂ કરી છે; પણ એક સર્જક લેખે રઘુવીરના મુખ્ય રસ તે, આ બધાં નવીન પરિબળોએ માનવ
ચારિત્ર્ય પર તેમ જ માનવી-માનવી વચ્ચેના વ્યવહારો અને સંબંધો પર કે રીનની કરી પાડી છે તેનું સંખ્યાબળું આલેખન કરવામાં છે. પિયુ ભગત, કરસન મુખી, મગા મનાર, હોળીચા વગેરેનું આયમની પૈડી; નરસંગ, ભીમા, લાલા, ઢડા, કંકુ, વાલી વગેરેની વચલી પેઢી; અને દેવુ, લવજી, હતી, રમણ, હિમની વગેરેની તરણ પેઢી – એમ ત્રણ પેઢીની કથા એમણે સહેતુક રજૂ કરી છે. નરસંગ, દેવુ, રમણ અને લવજી જેવાં અગ્રણી પાત્રાનાં મનામંથનામાં કે તેમની મથામણામાં વિઘટિત થતા સમાજીવનનું માર્મિક ચિત્ર જોવા મળે છે, વળી, જૂની માન્યતાઓ અને અંધશ્રદ્ધાઓને લઈને જીવન ગુજારતાં જૂની પેઢીનાં પાત્રા સામે નવા વિચારો, નવી લાગણીઓ અને નવી સભાનતા ધરાવતાં તપાત્ર આ ફ્લામાં આગવા પરિપ્રેક્ષ્ય રચી આપે છે. સર્જક પાસે વતનના લોકજીવનનો વિશાળ અનુભવ હોવાથી ભિન્ન-ભિન્ન પ્રકૃતિવાળાં પત્રનું ભાતીગળ વિષ્ણુ એ ઊભું કરી શકવા છે; અલબત્ત, કેવળ દસ્તાવેજી દૃષ્ટિએ સ્થાન પામેલી અનેક વિગતો જિવાતા જીવનને અહીં સપાટીએ જ સ્પર્શે છે, તેમ જ કથામાં સ્થાન પામેલાં મુખ્ય-ગૌણ સર્વ વૃત્તાંતોનું સંકલન પણ શનિલ ડી જવા પામ્યું છે, એ તેની ચાક્કસ મર્યાદાઓ છે. અલબત્ત, સમયના પ્રભાવને સભાનપણે ઝીલવા મથતી આ સમાજથા એકંદરે પ્રભાવક છે.
પ્ર.પ.
ઉપવાસી: જુઓ, ગાંધી ભોગીલાલ ચુનીલાલ, ઉપવાસીના વિચારો : નટવરલાલ પ્ર. બૂચને હાસ્યનિબંધ, અન્ય પડામાં પણ ખાદ્યપદાર્ધના પ્રક્ષેપો કરનું ઉપવાસનુંમાનસ
For Personal & Private Use Only
www.jainlibrary.org