Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ ભગવદ્ ! પરમાણુ પુદ્ગલ આત્મરૂપ છે કે તેથી અન્ય છે? જેમ સૌધર્મકલ્પમાં કહ્યું, તેમ પરમાણુ પુદ્ગલમાં પણ કહેવું. ભગવદ્ ! દ્વિપ્રદેશિક સ્કંધ આત્મરૂપ છે કે અન્ય છે ? ગૌતમ ! દ્વિપ્રદેશિક સ્કંધ ૧.કથંચિત આત્મરૂપ છે, 2. કથંચિત નો આત્મરૂપ છે, 3. કથંચિત અવક્તવ્ય છે કેમ કે આત્મ-નોઆત્મ રૂપ છે, 4. કથંચિત આત્મરૂપ છે અને નોઆત્મરૂપ છે, ૫.કથંચિત આત્મરૂપ છે અને આત્મ-નોઆત્મરૂપ હોવાથી અવક્તવ્ય છે. 6. કથંચિત નોઆત્મરૂપ છે અને આત્મ-નોઆત્મરૂપ હોવાથી અવક્તવ્ય છે. એમ છ ભંગ છે. ભગવદ્ ! આમ કેમ કહ્યું? ગૌતમ! 1. દ્વિપ્રદેશી ઢંધ પોતાને આશ્રીને આત્મરૂપ છે. ૨.બીજાને આશ્રીને નોઆત્મરૂપ છે. ૩.તદુભયને આશ્રીને દ્વિસ્વદેશી સ્કંધ આત્મરૂપ-નોઆત્મરૂપ હોવાથી અવ્યક્ત છે. 4. એક દેશને આશ્રીને સદ્ભાવ પર્યાયમાં, એક દેશને આશ્રીને અસદ્ભાવ પર્યાયમાં દ્વિપ્રદેશિક સ્કંધ આત્મરૂપ અને નોઆત્મરૂપ છે. 5. એક દેશને આશ્રીને સભાવ પર્યાયમાં, દેશને આશ્રીને તદુભય પર્યાયમાં દ્વિપ્રદેશિક સ્કંધ આત્મરૂપ અને આત્મ-નોઆત્મથી અવક્તવ્ય છે. 6. એક દેશને આશ્રીને અસદ્ભાવ પર્યાયમાં અને બીજા દેશને આશ્રીને તદુભય પર્યાયમાં દ્વિપ્રદેશિક સ્કંધ નોઆત્મરૂપ અને આત્મ-નોઆત્મથી અવક્તવ્ય છે તેથી ઉપર મુજબ કહેલ છે. ભગવન્! ત્રિપ્રદેશિક સ્કંધ આત્મરૂપ છે કે તેથી અન્ય ? ગૌતમ ! ત્રિપ્રદેશિક સ્કંધ 1. કથંચિત આત્મરૂપ છે, 2. કથંચિત નોઆત્મરૂપ છે, 3. કથંચિત આત્મ-નોઆત્મથી અવક્તવ્ય છે, 4. કથંચિત આત્મ અને નોઆત્મરૂપ છે, 5. કથંચિત આત્મરૂપ અને નોઆત્માઓ રૂપ છે, 6. કથંચિત આત્માઓ રૂપ અને નોઆત્મરૂપ છે, 7. કથંચિત આત્મા રૂપ અને આત્મા-નોઆત્માથી અવક્તવ્ય છે, 8. કથંચિત એક આત્મરૂપ અને આત્માઓ-નોઆત્માઓથી અવક્તવ્ય છે. 9. કથંચિત આત્માઓ રૂપ અને આત્મ-નોઆત્મથી અવક્તવ્ય છે. 10. કથંચિત નોઆત્મરૂપ અને આત્મ-નોઆત્મથી અવક્તવ્ય છે. 11. કથંચિત આત્મરૂપ અને આત્માઓ-નોઆત્માઓથી અવક્તવ્ય છે. 12. કથંચિત નોઆત્માઓ રૂપ અને આત્મ-નોઆભથી અવક્તવ્ય છે. 13. કથંચિત આત્મ અને નોઆત્મ અને અવક્તવ્ય છે. ભગવન્એમ કેમ કહો છો કે ત્રિપ્રદેશિક સ્કંધ આ પ્રમાણે છે ? ગૌતમ ! 1. આત્માદષ્ટિથી આત્મરૂપ છે. 2. પરાદષ્ટિથી નોઆત્મરૂપ છે. 3. તદુભયાદષ્ટિથી અવક્તવ્ય છે. 4. દેશાદષ્ટિથી સંભાવ પર્યાયમાં, દેશાદષ્ટિથી અસદ્ભાવ પર્યાયમાં ત્રિપ્રદેશિક સ્કંધ આત્મ અને નોઆત્મ રૂપ છે. 5. દેશાદષ્ટિથી સભાવ પર્યાયમાં, દેશાદષ્ટિથી અસદ્ભાવ પર્યાયમાં ત્રિપ્રદેશિક સ્કંધ અનેક આત્મ-નોઆત્મ છે. 6. દેશાદૃષ્ટિથી સભાવ પર્યાયમાં, દેશાદૃષ્ટિથી અભાવ પર્યાયમાં ત્રિપ્રદેશિક સ્કંધ આત્મ અને અનેક નોઆત્મરૂપ છે. 7. દેશાદષ્ટિ સદ્ભાવ પર્યાયમાં, દેશાદષ્ટિ તદુભય પર્યાયમાં ત્રિપ્રદેશિક સ્કંધ આત્મ અને અવક્તવ્ય છે. 8. દેશાદષ્ટિથી સદુભાવ પર્યાયમાં દેશાદષ્ટિથી તદુભય પર્યાયમાં ત્રિપ્રદેશિક સ્કંધ આત્મ અને અનેક અવક્તવ્યો રૂપ છે. 9. દેશાદષ્ટિથી સભાવ પર્યાયમાં, દેશાદષ્ટિથી તદુભય પર્યાયમાં ત્રિપ્રદેશિક સ્કંધ અનેક આત્મારૂપ અને અવક્તવ્ય છે. 10. આ ત્રણ ભંગો છે. એક દેશ આદેશથી અસદુભાવ પર્યાય, એક દેશ આદેશથી તદુભય પર્યાય ત્રિપ્રદેશિક સ્કંધ નોઆત્મરૂપ અને અવક્તવ્ય છે. 11. એક દેશથી આદેશથી અભાવ પર્યાય, અનેક દેશ આદેશથી તદુભય પર્યાય ત્રિપ્રદેશિક સ્કંધ, નોઆત્મા અને અવક્તવ્ય છે. 12. અનેક દેશ આદેશથી અસભાવ પર્યાય, એક દેશ આદેશથી તદુભય પર્યાય ત્રિપ્રદેશિક સ્કંધ અનેક નોઆત્મારૂપ અને અવક્તવ્ય છે. 13. એક દેશ આદેશથી સંભાવ પર્યાય, એક દેશ આદેશથી અસદુભાવ પર્યાય, એકદેશ આદેશથી અસદૂભાવ પર્યાય, એકદેશ આદેશથી તદુભય પર્યાયે ત્રિપ્રદેશિક સ્કંધ આત્મરૂપ અને નોઆત્મરૂપ અને અવક્તવ્ય છે. હે ગૌતમ! તેથી આ ઉપર પ્રમાણે કહ્યું છે. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 26