Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' અર્થ સમર્થ નથી. તો પણ તેઓ આહાર તો કરે જ છે. ભગવન્તે જીવોને એ પ્રમાણે સંજ્ઞા યાવત્ વચન હોય છે કે - તેઓ ઇષ્ટ-અનિષ્ટ સ્પર્શને વેદે કે પ્રતિસંવેદે છે? ના, તે અર્થ સમર્થ નથી, તો પણ તેઓ વેદન-પ્રતિસંવેદન કરે છે. ભગવન્તે જીવો શું પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન યાવત્ મિથ્યાદર્શનશલ્ય રહેલા છે ? ગૌતમ ! પ્રાણાતિપાત યાવત્ મિથ્યાદર્શનશલ્યમાં રહેલા હોય છે. તે જીવો બીજા જીવોની હિંસાદિ કરે છે, પણ તેઓને આ જીવ અમારી હિંસાદિ કરનાર છે, તેવું ભેદ જ્ઞાન હોતું નથી. ભગવદ્ ! તે જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? શું તેઓ નૈરયિકોથી આવીને ઉત્પન્ન થાય છે ? એ પ્રમાણે જેમ પ્રજ્ઞાપના સૂત્ર, પદ-૬ ના વ્યુત્ક્રાંતિ પદમાં પૃથ્વીકાયિકનો ઉત્પાદ કહ્યો, તેમ અહીં કહેવો. ભગવદ્ ! તે જીવોની કેટલી કાળસ્થિતિ છે ? ગૌતમ ! જઘન્યા અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટી બાવીશ હજાર વર્ષ. ભગવન્! તે જીવોને કેટલા સમુધ્ધાતો છે? ગૌતમ ! ત્રણ, તે આ છે - વેદના, કષાય, મારણાંતિક સમુધ્ધાત. ભગવન્! તે જીવો મારણાંતિક સમઘાતથી સમવહત થઈ મરે કે અસમવહત થઈને મરે ? ગૌતમ ! સમવહત થઈને પણ મરે, અસમવહત થઈને પણ મરે. ભગવન્તે જીવો અનંતર ઉદ્વર્તીને ક્યાં જાય છે ? ક્યાં ઉત્પન્ન થાય છે ? પ્રજ્ઞાપના સૂત્ર, પદ-૬ ના વ્યુત્ક્રાંતિપદ મુજબ ઉદ્વર્તના કહેવી. ભગવન્! શું યાવતું ચાર-પાંચ અપ્રકાયિક ભેગા થઈને એક સાધારણ શરીર બાંધે છે ? બાંધીને પછી આહાર કરે છે? જે પૃથ્વીકાયિકના આલાવા છે, તે જ અહીં કહેવા યાવત્ ઉદ્વર્તે છે. વિશેષ એ કે - સ્થિતિ ઉત્કૃષ્ટથી 7000 વર્ષ કહેવી. બાકી બધું પૂર્વવત્. ભગવન્શું યાવત્ ચાર-પાંચ તેઉકાયિકo ? પૂર્વવતુ. વિશેષ એ કે - ઉત્પાદ, સ્થિતિ, ઉદ્વર્તના પન્નવણા. સૂત્ર મુજબ, બાકી પૂર્વવત્ કહેવું. વાયુકાયિકને એ પ્રમાણે જ જાણવા. સમુદ્યાત ચાર કહેવા. ભગવદ્ ! કદાચ યાવતુ ચાર-પાંચ વનસ્પતિકાયિક પ્રચ્છા, ગૌતમ ! તે અર્થ સમર્થ નથી. અનંતા વનસ્પતિકાયિક એકઠા થઈ સાધારણ શરીર બાંધે છે. બાંધીને ત્યારપછી આહાર કરે છે, પરિણમાવે છે. બાકી બધું તેઉકાયિકવત્ કહેવું યાવતુ ઉદ્વર્તે છે. વિશેષ એ કે - આહાર નિયમા છ દિશાથી, સ્થિતિ જઘન્યથી અંતર્મહત્તે, ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત. બાકી પૂર્વવત્. સૂત્ર-૭૬૨ ભગવન્! આ સૂક્ષ્મ-બાદર, પર્યાપ્તા-અપર્યાપ્તા પૃથ્વી-અપૂતેઉ-વાયુ અને વનસ્પતિકાયિક જીવોની. જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહનાઓમાંથી કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ગૌતમ ! 1. સૌથી થોડી અપર્યાપ્તા સૂક્ષ્મ નિગોદની જઘન્ય અવગાહના, 2. અપર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાયિકની જઘન્યા અવગાહના અસંખ્યાતગણી, 3. અપર્યાપ્તા સૂક્ષ્મ તેઉકાયની જઘન્યા અવગાહના અસંખ્યાતગણી, 4. અપર્યાપ્તા સૂક્ષ્મ અપકાયની જઘન્યા અસંખ્યાતગણી, 5. અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીની જઘન્યા અસંખ્યાતગણી. 6. અપર્યાપ્તા બાદરવાયુની જઘન્યા અવગાહના અસંખ્યાતગણી, 7. અપર્યાપ્તા બાદર તેઉની જઘન્યા અવગાહના અસંખ્યાતગણી, 8. અપર્યાપ્તા બાદર અપકાયની જઘન્યા અવગાહના અસંખ્યાતગણી, 9. અપર્યાપ્તા બાદર પૃથ્વીની જઘન્યા અવગાહના અસંખ્યાતગણી, 10, 11. પર્યાપ્તા-અપર્યાપ્તા પ્રત્યેકશરીરી બાદર વનસ્પતિકાયની બાદર નિગોદની જઘન્યા અવગાહના બંને તુલ્ય અને અસંખ્યાતગણી. 12. તેનાથી પર્યાપ્તા સૂક્ષ્મનિગોદની જઘન્યા અવગાહના અસંખ્યાતગણી, 13. તેની જ અપર્યાપ્તાની ઉત્કૃષ્ટી અવગાહના વિશેષાધિક, 14. તેની જ પર્યાપ્તાની ઉત્કૃષ્ટી અવગાહના વિશેષાધિક, 15. પર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાયિકની જઘન્યા અવગાહના અસંખ્યાતગણી, 16. તેની જ અપર્યાપ્તાની ઉત્કૃષ્ટી અવગાહના વિશેષાધિક, 17. મુનિ દીપરત્નસાગર કૃત્ “(ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 113