Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' રત્નપ્રભાના યાવત્ પશ્ચિમી ચરમાંતમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે ઉપજવા યોગ્ય હોય. એ રીતે આ આલાવા. વડે પહેલા ઉદ્દેશામાં કહ્યા મુજબ લોકચરમાંત સુધી કહેવુ. ભગવન્પરંપરાત્પન્ન પૃથ્વીકાયિકના સ્થાનો ક્યાં છે ? ગૌતમ! સ્વસ્થાનમાં આઠે પૃથ્વીમાં, એ રીતે આ આલાવાથી પહેલા ઉદ્દેશા મુજબ તુલ્ય સ્થિતિક સુધી કહેવું. ભગવન્! તે એમ જ છે, એમ જ છે. 1037, ઉ. 4 થી 11. એ પ્રમાણે બાકીના આઠે ઉદ્દેશા યાવતુ અચરમ કહેવા. વિશેષ એ - અનંતર અનંતર સદશ, પરંપર પરંપર સદશ, ચરમ અને અચરમ પૂર્વવત્ જાણવા. એ રીતે આ ૧૧-ઉદ્દેશા છે. - શતક-૩૪, શતકશતક-૨ થી 12 સૂત્ર-૧૦૩૮ થી 1043 1038, શ-૨. ભગવન્! કૃષ્ણલેશ્યી એકેન્દ્રિય કેટલા ભેદે છે ? ગૌતમ! પાંચ ભેદે ભેદ ચતુષ્ક કૃષ્ણલેશ્યી એકેન્દ્રિય મુજબ વનસ્પતિકાયિક સુધી કહેવા. ભગવદ્ ! કૃષ્ણલેશ્યી અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક, આ રત્નપ્રભાના. પૂર્વ ચરમાંતથીએ રીતે આ આ આલાવા વડે ઔધિક ઉદ્દેશ સમાન લોકના ચરમાંતથી સર્વત્ર કૃષ્ણલેશ્યીના ઉપપાત સુધી કહેવું. ભગવન્કૃષ્ણલેશ્યી અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકોના સ્થાનો ક્યાં છે ? એ રીતે આ આલાવા વડે ઔધિક ઉદ્દેશા મુજબ તુલ્યસ્થિતિ સુધી જાણવું. ભગવદ્ ! તે એમ જ છે. આ રીતે આ આલાવા વડે પ્રથમ શ્રેણી શતક મુજબ અગિયારે ઉદ્દેશા કહેવા. 1039, શ-૩. એ પ્રમાણે નીલલેશ્યીમાં પણ કહેવું. 1040, શ-૪. એ પ્રમાણે કાપોતલેશ્યીમાં પણ કહેવું. 1041, શ-૫. ભવસિદ્ધિક વિષયક શતક પણ એ રીતે કહેવું. 1042, શ-૬. અનંતરોત્પન્ન કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિક એકેન્દ્રિયો કેટલા ભેદે છે ? અનંતરોત્પન્ન ઉદ્દેશા મુજબ અને ઔધિક મુજબ કહેવું. ભગવન ! પરંપરાત્પન્ન કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિક એકેન્દ્રિયો કેટલા ભેદે છે ? પાંચ ભેદે. પરંપરોત્પન્ન કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિક એકેન્દ્રિય ઔધિક ભેદચતુષ્ક યાવત્ વનસ્પતિકાયિક કહેવું. - ભગવન્! પરંપરાત્પન્ન કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિક અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક, આ રત્નપ્રભા પૃથ્વીમાં આ રીતે આ આલાવાથી ઔધિક ઉદ્દેશા મુજબ લોકના ચરમાંત સુધી કહેવું. સર્વત્ર કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિકમાં ઉપપાતા કહેવો. ભગવદ્ ! પરંપરાત્પન્ન કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિક પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકના સ્થાનો છે ? એ રીતે આ આલાવાથી ઔધિક ઉદ્દેશા સમાન તુલ્યસ્થિતિ સુધી કહેવું. એ પ્રમાણે આ આલાવાથી કૃષ્ણલેશ્યી અભયસિદ્ધિક એકેન્દ્રિયના પૂર્વવત્ 11 ઉદ્દેશા સહિત પૂર્ણ 1043, શ૭ થી 12. નીલલેશ્યી ભવસિદ્ધિક એકેન્દ્રિયમાં સાતમું. કાપોતલેશ્યીમાં આઠમું, ભવસિદ્ધિકના ચાર શતક મુજબ અભવસિદ્ધિકના પણ ચાર શતક કહેવા. એ રીતે આ બાર એકેન્દ્રિય શ્રેણી કહી. હે ભગવન !આપ કહો છો તે એમજ છે, તે એમજ છે. - શતક-૩૪ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ | મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 221