Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 220
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવન્! એકેન્દ્રિયોને કેટલા સમુદ્યાત છે ? ગૌતમ! ચાર. વેદના સમુદ્યાત યાવત્ વૈક્રિયસમુધ્ધાત. ભગવદ્ ! એકેન્દ્રિયો શું તુલ્ય સ્થિતિક હોય તે તુલ્ય અને વિશેષાધિક કર્મ બાંધે ? તુલ્ય સ્થિતિક એકેન્દ્રિય ભિન્ન-વિશેષાધિક કર્મ બાંધે ? ભિન્ન સ્થિતિકો તુલ્ય-વિશેષાધિક કર્મ બાંધે ? ભિન્ન સ્થિતિક ભિન્ન-વિશેષાધિક કર્મ બાંધે? ગૌતમ! કેટલાક તુલ્યસ્થિતિકો તુલ્યવિશેષાધિક કર્મ બાંધે યાવત્ - x . કેટલાક ભિન્ન સ્થિતિકો ભિન્નવિશેષાધિક કર્મ બાંધે. ભગવન્એમ કેમ કહ્યું - 4 . ? ગૌતમ! એકેન્દ્રિયો ચાર ભેદે છે - 1. કેટલાક સમાનાયુ, સમાનોત્પન્ન, 2. કેટલાક સમાનાયુ, વિષમોત્પન્ન, 3. કેટલાક વિષમાયુ. સમાનોત્પન્ન, 4. કેટલાક વિષમાયુ વિષમાનોત્પન્ન. તેમાં જે પહેલા ભંગવાળા તુલ્યસ્થિતિક છે, તુલ્યવિશેષાધિક કર્મ બાંધે છે, બીજા છે તે તુલ્ય સ્થિતિક, ભિન્ન-વિશેષાધિક કર્મ બાંધે છે, ત્રીજા છે તે ભિન્નસ્થિતિક, તુલ્ય-વિશેષાધિક કર્મ બાંધે છે, જે ચોથા છે તે ભિન્નસ્થિતિક, ભિન્ન-વિશેષાધિક કર્મ બાંધે છે. તેથી - 4. ભગવન! તે એમ જ છે, એમ જ છે, યાવતુ વિચરે છે. શતક-૩૪, શતકશતક-૧, ઉદ્દેશો-૨ સૂત્ર-૧૦૩૫ ભગવદ્ ! અનંતરોત્પન્ન એકેન્દ્રિયો કેટલા ભેદે છે ? ગૌતમ! પાંચ ભેદે - પૃથ્વીકાયિકાદિ. બન્ને ભેદો એકેન્દ્રિય શતક મુજબ યાવત્ બાદર વનસ્પતિકાયિક. ભગવદ્ ! અનંતરોત્પન્ન બાદર પૃથ્વીકાયિક સ્થાનો ક્યાં છે? ગૌતમ! સ્વ-સ્થાનમાં આઠે પ્રથ્વીમાં રત્નપ્રભામાં જેમ સ્થાન પદે કહ્યા તેમ યાવત્ દ્વીપ-સમદ્રોમાં આ અનંતરોત્પન્ન બાદર પૃથ્વી સ્થાનો છે. ઉપપાત સર્વલોકમાં, સમુઘાત સર્વલોકમાં, સ્વસ્થાનમાં લોકના અસંખ્યાત ભાગમાં, અનંતરોત્પન્ન સૂક્ષ્મ પૃથ્વી-કાયિક એક પ્રકારના અવિશેષ અનાનાત્વ સર્વલોકમાં હે શ્રમણાયુષ્ય! વ્યાપ્ત છે. પ્રમાણે આ ક્રમથી સર્વે એકેન્દ્રિયો કહેવા. સ્વસ્થાનમાં બધામાં સ્થાનપદ મુજબ છે. તેમાં પર્યાપ્તા બાદરના ઉત્પાદ, સમુદ્યાત સ્થાનો, તેના અપર્યાપ્ત મુજબ છે. બાદર અને સૂક્ષ્મ બધામાં પૃથ્વીકાયિકમાં કહ્યા મુજબ કહેવા યાવત્ વનસ્પતિકાયિક જાણવુ. અનંતરોત્પન્ન સૂક્ષ્મ પૃથ્વીકાયિકને કેટલી કર્મપ્રકૃતિ છે? ગૌતમ! આઠ, એકેન્દ્રિયના અનંતરોત્પન્ન ઉદ્દેશા મુજબ કહેવી. તે રીતે જ બાંધે, તે રીતે જ વેદે યાવત્ અનંતરોત્પન્ન બાદર વનસ્પતિકાયિક. અનંતરોત્પન્ન એકેન્દ્રિય ક્યાં ઉપજે છે? ઔધિક ઉદ્દેશવતુ. અનંતરોત્પન્ન એકેન્દ્રિયને કેટલા સમુદ્યાત છે ? ગૌતમ! બે - વેદના અને કષાય સમુધ્ધાત. તુલ્યસ્થિતિક અનંતરોત્પન્ન એકેન્દ્રિયો શું તુલ્ય-વિશેષાધિક કર્મ બાંધે પ્રશ્નો ? પૂર્વવત્. ગૌતમ! કેટલાક તુલ્યસ્થિતિક, તુલ્યવિશેષાધિક કર્મ બાંધે, કેટલાક તુલ્યસ્થિતિક ભિન્ન-વિશેષાધિક કર્મ બાંધે. એમ કેમ કહ્યું? ગૌતમ! અનંતરોત્પન્ન એકેન્દ્રિયો બે ભેદે - કેટલાક સમાનાયુ, સમાનોત્પન્ન છે. કેટલાક સમાનાયુ વિષમોત્પન્ન છે તેમાં જે પહેલાં છે તે તુલ્યસ્થિતિકો તુલ્ય-વિશેષાધિક કર્મ બાંધે, જે બીજા છે, તે તુલ્યસ્થિતિક ભિન્ન-વિશેષાધિક કર્મો બાંધે. તેથી એમ કહ્યું. - 4. ભગવન! તે એમ જ છે. શતક-૩૪, શતકશતક-૧, ઉદ્દેશો-૩ થી 12 સૂત્ર–૧૦૩૬, 1037 - 1036, ઉ.૩. ભગવન્! પરંપરોત્પન્ન એકેન્દ્રિયો કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદે - પૃથ્વીકાયિકાદિ. ચારે ભેદો યાવત્ વનસ્પતિકાય કહેવા. ભગવન્! પરંપરાત્પન્ન અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક, આ રત્નપ્રભાના પૂર્વી ચરમાંતમાં સમવહત થઈને જે આ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 220

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240