Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 231
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક-૪૧ શતક-૪૧, ઉદ્દેશો-૧ સૂરણ-૧૦૬૮ ભગવદ્ ! રાશિયુગ્મ કેટલા છે ? ગૌતમ ! ચાર -કૃતયુગ્મ યાવત્ કલ્યો. ભગવદ્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ! જે રાશિમાં ચારથી અપહાર કરતા ચાર શેષ રહે, તે રાશિયુગ્મ, કૃતયુગ્મ છે. એ પ્રમાણે યાવત્ જે રાશિ ચાર વડે અપહાર કરાતા શેષ એક રહે તે રાશિયુગ્મ, કલ્યોજ કહેવાય. તેથી એમ કહ્યું કે યાવત્ કલ્યોજ છે. ભગવન્! રાશિયુગ્મ કૃતયુગ્મ નૈરયિક ક્યાંથી ઉપજ ? ઉપપાત વ્યુત્ક્રાંતિક પદ મુજબ કહેવો. ભગવન્! તે જીવો એક સમયથી કેટલા ઉપજે? ગૌતમ! ચાર, આઠ, બાર, સોળ, સંખ્યાતા કે અસંખ્યાતા. ઉપજે. ભગવન્! તે જીવો સાંતર ઉપજે કે નિરંતર ? ગૌતમ ! બંને. જો સાંતર ઉપજે તો જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અસંખ્યાત સમયનું અંતર કરીને ઉપજે. નિરંતર ઉપજનાર જઘન્યથી બે સમય, ઉત્કૃષ્ટથી અસંખ્ય સમય પ્રત્યેક સમયે અવિરહિત નિરંતર ઉપજે. ભગવન્! તે જીવો જે સમયે કૃતયુગ્મ, તે સમયે ચોજ. જે સમયે ચ્યોજ તે સમયે કૃતયુગ્મ હોય ? ના તેમ નથી. જે સમયે કૃતયુગ્મ, તે સમયે દ્વાપરયુગ્મ. જે સમયે દ્વાપરયુગ્મ તે સમયે કૃતયુગ્મ હોય? ના, તેમ નથી. જે સમયે કૃતયુગ્મ, તે સમયે કલ્યોજ, જે સમયે કલ્યોજ તે સમયે કૃતયુગ્મ હોય ? ના, તેમ નથી. ભગવન્! તે જીવો કઈ રીતે ઉપજે? ગૌતમ! જેમ કોઈ કૂદનાર કૂદતો એવો, ઉપપાત શતક મુજબ યાવત્ પરપ્રયોગે ન ઉપજે. ભગવદ્ ! તે જીવો, આત્મયશથી ઉપજે કે આત્મ અયશથી ? ગૌતમ ! આત્મયશથી નહીં, આત્મ અયશથી ઉપજે. જો આત્મ અયશથી ઉપજે તો આત્મયશથી નિર્વાહ કરે કે આત્મ અયશથી ? ગૌતમ! આત્મ યશથી નહીં પણ આત્મ અયશથી નિર્વાહ કરે. જો આત્મ અયશથી નિર્વાહ કરે તો સલેશ્યી હોય કે અલેશ્યી ? ગૌતમ! સલેશ્યી છે, અલેશ્યી નથી. જો સલેશ્યી હોય તો સક્રિય છે કે અક્રિય ? ગૌતમ! સક્રિય છે, અક્રિય નથી. જો સક્રિય હોય તો તે જ ભવગ્રહણથી સિદ્ધ થઈ યાવત્ અંત કરે ? ના, તેમ નથી. ભગવદ્ ! રાશિયુગ્મ કૃતયુગ્મ અસુરકુમારો ક્યાંથી ઉપજે ? નૈરયિક માફક સંપૂર્ણ કહેવું. એ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યંચ પર્યન્ત કહેવું. વિશેષ એ - વનસ્પતિકાયિક યાવત્ અસંખ્યાતા કે અનંતા ઉપજે છે. બાકી પૂર્વવતુ. મનુષ્યો. પણ એ પ્રમાણે કહેવા યાવત્ તે આત્મ યશથી ન ઉપજે, આત્મ અયશથી ઉપજે છે. જો તે આત્મ અયશથી ઉપજે તો શું આત્મયશથી નિર્વાહ કરે કે આત્મ અયશથી ? ગૌતમ! બંને રીતે કરે. જો આત્મયશથી નિર્વાહ કરે તો શું સલેશ્યી હોય કે અલેશ્યી? ગૌતમ! તે બંને હોય. જો અલેશ્યી હોય તો સક્રિય હોય કે અક્રિય ? ગૌતમ! સક્રિય ન હોય, અક્રિય હોય. જો અક્રિય હોય તો તે જ ભવગ્રહણથી સિદ્ધ થાય યાવત્ અંત કરે ? હા, તેમ કરે. જો સલેશ્યી હોય તો સક્રિય હોય કે અક્રિય ? ગૌતમ! સક્રિય હોય, અક્રિય નહીં. જો સક્રિય હોય તો તે જ ભવગ્રહણથી સિદ્ધ થાય યાવતુ અંત કરે? ગૌતમ! કેટલાક તે જ ભવથી સિદ્ધ થાય યાવતુ અંત કરે, કેટલાક નહીં. જો આત્મ અયશથી નિર્વાહ કરે તો શું સજેશ્યી હોય કે અલેશ્યી ? ગૌતમ ! સલેશ્યી છે, અલેશ્યી નથી. જો સલેશ્યી છે તો સક્રિય છે કે અક્રિય ? ગૌતમ! સક્રિય છે, અક્રિય નથી. જો સક્રિય છે, તો તે જ ભવગ્રહણથી સિદ્ધ થાય યાવત્ અંત કરે ? ના, તેમ નથી. વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકને નૈરયિક સમાન કહેવા. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 231

Loading...

Page Navigation
1 ... 229 230 231 232 233 234 235 236 237 238 239 240