Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી ઉપજવા યોગ્ય હોય, તે કેટલા સમયના વિગ્રહથી ઉપજે? ગૌતમ! બે, ત્રણ કે ચાર સમયના. એમ કેમ કહ્યું? ગૌતમ! મેં સાત શ્રેણીઓ કહી છે - ઋગ્વાયતા યાવત્ અર્ધચક્રવાલા. એકતોવક્રા શ્રેણીએ ઉપજતા બે સમયિક વિગ્રહ, દુહતોવક્રા શ્રેણીએ ઉપજતા જે એકમતર અનુશ્રેણીથી ઉપજે, તે ત્રણ સમયિક વિગ્રહ, જે વિશ્રેણિએ ઉપજવા યોગ્ય હોય તે ચાર સમયિક વિગ્રહ વડે ઉપજે છે, તેથી એમ કહ્યું. એ પ્રમાણે આ ગમક વડે પૂર્વ ચરમાંતમાં સમવહત થઈને દક્ષિણ ચરમાંતમાં ઉત્પાદ કહેવો યાવત્ પર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિકાયિકથી પર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિમાં કહેવું. બધે બે, ત્રણ કે ચાર સમય વિગ્રહ. ભગવદ્ અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક લોકના પૂર્વ ચરમાંતે સમવહત થઈને જે લોકના પશ્ચિમી ચરમાંતે અપર્યાપ્ત સૂક્ષ્મપૃથ્વીમાં ઉપજવા યોગ્ય હોય તે કેટલા સમયના વિગ્રહથી ઉપજે? ગૌતમ! એક, બે, ત્રણ કે ચાર સમયના. એમ કેમ? એ રીતે જેમ પૂર્વ ચરમાંતમાં સમવહત થઈને પૂર્વ ચરમાંતમાં ઉપપાત છે, તેમ પૂર્વ ચરમાંતમાં સમવહત થઈને પશ્ચિમી ચરમાંતમાં સર્વેનો ઉપપાત કહેવો. ભગવન્! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક લોકના પૂર્વ ચરમાંતે સમવહત થઈને જે લોકના ઉત્તર ચરમાંતમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીપણે ઉપજવા યોગ્ય હોય, તે એ રીતે જેમ પૂર્વ ચરમાંતમાં સમવહત થઈને દક્ષિણ ચરમાંતમાં ઉપપાત કહ્યો, તેમ આ ઉપપાત - 4. પણ કહેવો. ભગવન અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક લોકના દક્ષિણી ચરમાંતમાં સમવહત થઈને જે લોકના દક્ષિણ જ ચરમાંતમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે ઉપજવા યોગ્ય હોય એ રીતે જેમ પૂર્વમાં સમવહત થઈને પૂર્વમાં જ ઉપપાત કહ્યો, તેમ દક્ષિણમાં સમવહત થઈને દક્ષિણમાં જ ઉપપાત કહેવો. તે પ્રમાણે જ સંપૂર્ણ યાવત્ પર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિકાયિકથી પર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિકાયિકમાં, દક્ષિણ ચરમાંતમાં ઉપપાત કહેવો, એ રીતે દક્ષિણમાં સમવહત થઈ પશ્ચિમ ચરમાંતમાં ઉત્પાદ કહેવો. સ્વસ્થાનમાં તેમજ એક-બે-ત્રણ-ચાર સમયિક વિગ્રહ. પૂર્વમાં, તેમાં પશ્ચિમમાં બે, ત્રણ, ચાર સમયિક, પશ્ચિમી ચરમાંતમાં સમવહત થઈને પશ્ચિમમાં જ ઉત્પન્ન થનારને, સ્વસ્થાન મુજબ, ઉત્તરમાં ઉત્પન્ન થનારને એક સમયિક વિગ્રહ નથી. બાકી પૂર્વવતુ. પૂર્વમાં, સ્વસ્થાન મુજબ, દક્ષિણમાં એક સમયિક વિગ્રહ નથી, બાકી પૂર્વવત્, ઉત્તરમાં સમવહત થઈને ઉત્તરમાં જ ઉત્પન્ન થનારને, સ્વસ્થાન મુજબ. ઉત્તરમાં સમવહત થઈને પૂર્વમાં ઉત્પન્ન થનારને પૂર્વવતુ. વિશેષ એ - એક સમયિક વિગ્રહ નથી. ઉત્તરમાં સમવહત થઈને દક્ષિણમાં ઉપજનારને, સ્વસ્થાન મુજબ. ઉત્તરમાં સમવહત થઈને પશ્ચિમમાં ઉપજનારને એક સમયિક વિગ્રહ નથી, બાકી પૂર્વવત્ યાવત્ સૂક્ષ્મ વનસ્પતિ કાયિક પર્યાપ્તો, સૂક્ષ્મ વનસ્પતિકાયિક પર્યાપ્તામાં પૂર્વવત્ . ભગવદ્ ! બાદર પૃથ્વીકાયિક પર્યાપ્તાના સ્થાનો ક્યાં છે ? ગૌતમ ! સ્વસ્થાનમાં આઠે પૃથ્વીમાં, જેમ સ્થાનપદમાં કહ્યા તેમ, યાવત્ સૂક્ષ્મ વનસ્પતિકાયિક જે પર્યાપ્તા અને જે અપર્યાપ્તા છે, તે બધા એક જ પ્રકારના અવિશેષ કે ભિન્નતા રહિત સર્વલોક પર્યાપન્ન કહ્યા છે. ભગવન ! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકને કેટલી કર્મપ્રકૃતિઓ કહી છે ? ગૌતમ! આઠ. જ્ઞાનાવરણીય યાવત્ અંતરાય. એ રીતે ચાર-ચાર ભેદથી એકેન્દ્રિય શતક મુજબ યાવત્ પર્યાપ્તા બાદર વનસ્પતિ ભગવદ્ ! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકો કેટલી કર્મપ્રકૃતિ બાંધે ? ગૌતમ! સાત બાંધે કે આઠ બાંધે, એકેન્દ્રિય શતક અનુસાર યાવત્ પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિક કહેવું. ભગવદ્ ! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક કેટલી કર્મપ્રકૃતિ વેદે છે ? ગૌતમ! ચૌદ. એકેન્દ્રિય શતકમાં કહ્યા મુજબ જ્ઞાનાવરણીય યાવત્ પુરુષવેદબધ્ય, એ રીતે યાવત્ પર્યાપ્તા બાદર વનસ્પતિકાયિક. ભગવન્! એકેન્દ્રિયો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય૦ પ્રશ્નો ? વ્યુત્ક્રાંતિ પદના પૃથ્વીકાયિકના ઉત્પાદ સમાન જાણવું. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 219