Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' તેઉકાયિકપણે ઉપજવા યોગ્ય હોય, તે હે ભગવન્! કેટલા સમયના વિગ્રહથી ઉપજે? બધું પૂર્વવતુ. એ રીતે પર્યાપ્ત બાદર તેઉકાયિકપણે પણ ઉપપાત કહેવો. વાયુકાયિકપણે અને વનસ્પતિકાયિકપણે, પૃથ્વીકાયિકના ઉપપાત સમાન ચાર ભેદ વડે ઉપપાત કહેવો. એ રીતે પર્યાપ્ત બાદર તેઉકાયિક પણ સમયક્ષેત્રમાં સમવહત થઈને આ જ વીશ સ્થાનોમાં ઉપપાત કહેવો જેમા અપર્યાપ્તાનો કહ્યો. એ રીતે સર્વત્ર પણ બાદર તેઉકાયિક અપર્યાપ્તા અને પર્યાપ્તાનો સમયક્ષેત્રમાં ઉત્પાદ અને સમુધ્ધાત કહેવો. 240 ભેદ.. વાયુકાયિક અને વનસ્પતિકાયિકને પૃથ્વીકાયિકવત્ ભેદ ચતુષ્ક વડે ઉપપાત કહેવો થાવત્ પર્યાપ્તા. 400 ભેદ.. ભગવદ્ ! બાદર વનસ્પતિકાયિક. આ રત્નપ્રભા પૃથ્વીના પૂર્વી ચરમાંતમાં સમવહત થઈને જે આ રત્નપ્રભાના પશ્ચિમી ચરમાંતમાં પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિકપણે ઉપજવા યોગ્ય હોય, તે કેટલા સમયના વિગ્રહથી? બધું પૂર્વવત્. ભગવન્! અપર્યાપ્ત સૂક્ષ્મપૃથ્વી, આ રત્નપ્રભાના પશ્ચિમ ચરમાંતમાં સમવહત થઈ જે આ રત્નપ્રભાના પૂર્વી ચરમાંતમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી ઉપજવા યોગ્ય હોય તે કેટલા સમયના વિગ્રહથી? પૂર્વવત્. એ પ્રમાણે જેમ પૂર્વ ચરમાંતમાં સર્વે પદોમાં સહવહત થઈને પશ્ચિમી ચરમાંતમાં સમયક્ષેત્રમાં ઉપપાતિક અને જે સમયક્ષેત્રમાં સમવહત પશ્ચિમી ચરમાંતમાં સમયક્ષેત્રમાં ઉપપાતિક એ રીતે આ ક્રમથી પશ્ચિમી ચરમાંતમાં સમવહત થઈ પૂર્વી ચરમાંતમાં સમયક્ષેત્રમાં ઉપપાત તે જ ગમક વડે કહેવો. એ પ્રમાણે આ જ ગમક વડે દક્ષિણી ચરમાં તે સમવહત થઈને ઉત્તરિલ ચરમાંતમાં સમયક્ષેત્રમાં ઉપપાત, એ પ્રમાણે ઉત્તરીય ચરમાંતે અને મનુષ્યક્ષેત્રમાં સમવહત થઈને દક્ષિણી ચરમાંતમાં અને સમયક્ષેત્રમાં ઉપપાત તે જ ગમક વડે કહેવો. ભગવન્અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક શર્કરામભાના પૂર્વી ચરમાંતમાં સમવહત થઈને શર્કરા પ્રજાના પશ્ચિમી ચરમાંતમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી ઉપજવા યોગ્ય હોય ? રત્નપ્રભામાં કહ્યા મુજબ કહેવું. એ રીતે આ ક્રમ વડે યાવત્ પર્યાપ્ત સૂક્ષ્મ તેઉકાયિકોમાં કહેવું. ભગવદ્ અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક શર્કરામભાના પૂર્વી ચરમાંતમાં સમવહત થઈને સમય ક્ષેત્રમાં અપર્યાપ્ત બાદર તેઉકાયિકપણે ઉપજવા યોગ્ય હોય, તે કેટલા સમયના ? બે કે ત્રણ સમયના વિગ્રહથી ઉપજે. એમ કેમ કહ્યું? ગૌતમ! મેં સાત શ્રેણી કહી છે - ઋગ્વાયતા યાવત્ અર્ધ ચક્રવાલા. એકતોવક્રા શ્રેણીથી ઉપજનાર બે સમયિક વિગ્રહથી ઉપજે, દુહતોવક્રા શ્રેણીથી ઉપજનાર ત્રિસમયિક વિગ્રહથી ઉત્પન્ન થાય. તેથી એ પ્રમાણે બાદરતેજસ્કાયિકમાં કહેવું. બાકી રત્નપ્રભાવતું. જે બાદ તેઉકાયિકના અપર્યાપ્તા અને પર્યાપ્તાઓ મનુષ્ય ક્ષેત્રમાં સમવહત થઈને બીજી પૃથ્વીના પશ્ચિમી ચરમતમાં ચતુર્વિધ પૃથ્વીકાયિકમાં, ચતુર્વિધ અપ્રકાયિકમાં, દ્વિવિધ તેઉકાયિકમાં, ચતુર્વિધ વાયુકાયિકમાં, ચતુર્વિધ વનસ્પતિકાયિકમાં ઉપજે છે તેનો પણ આ રીતે બે કે ત્રણ સમયના વિગ્રહથી ઉત્પાદ કહેવો. પર્યાપ્ત, અપર્યાપ્ત બાદર તેઉકાયિક જે તેમાં જ ઉપજે તો રત્નપ્રભા સમાન એકબે-ત્રણ સમયિક વિગ્રહ કહેવો, બાકી રત્નપ્રભા મુજબ બધુ જાણવુ. શર્કરા પ્રભા માફક અધઃસપ્તમી સુધી કથન કરવું. સૂત્ર-૧૦૩૪ અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક અધોલોક ક્ષેત્ર નાડીથી બહારના ક્ષેત્રમાં સમવહત થઈને જે ઉર્ધ્વલોક ક્ષેત્ર નાડીના બાહ્ય ક્ષેત્રમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી ઉપજવા યોગ્ય હોય તો હે ભગવન્! તે કેટલા સમયના વિગ્રહથી ઉપજે? ગૌતમાં ત્રણ કે ચાર સમયના. એમ કેમ કહ્યું - 4.? ગૌતમ! અપર્યાપ્ત સુક્ષ્મ પ્રથ્વી બહારના ક્ષેત્રમાં સમવહત થઈને ઉર્ધ્વલોક નાડીના બહારના ક્ષેત્રમાં અપર્યાપ્ત સૂક્ષ્મપૃથ્વી એક પ્રતર અનુશ્રેણી વડે ઉપજવા યોગ્ય હોય. તે ત્રણ સમય વિગ્રહથી ઉપજે. જે વિશ્રેણિએ ઉપજવા યોગ્ય હોય તે ચાર સમયિક વિગ્રહથી મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 217