Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક-૩૪ શતક-૩૪, શતકશતક-૧, ઉદ્દેશો-૧ સૂત્ર-૧૦૩૩ ભગવદ્ ! એકેન્દ્રિયો કેટલા ભેદે છે ? ગૌતમ! પાંચ ભેદે છે - પૃથ્વીકાયિક યાવત્ વનસ્પતિકાયિક. આ રીતે આ ભેદ ચતુષ્ક કહેવા. ભગવદ્ ! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક આ રત્નપ્રભા પૃથ્વીની પૂર્વદિશાના ચરમાંતમાં સમુદ્ઘાતથી મરીને, જે આ રત્નપ્રભા પૃથ્વીના પશ્ચિમ ચરમાંતમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે ઉપજવા યોગ્ય હોય, તે હે ભગવન્ ! કેટલા સમયના વિગ્રહથી ઉપજે? ગૌતમ! એક, બે કે ત્રણ સમયિક વિગ્રહ વડે ઉપજે. ભગવદ્ ! એમ કેમ કહ્યું? ગૌતમ! મેં સાત શ્રેણીઓ કહી છે - ઋજુવાયતા, એકતોવક્રા, દુહતોવક્રા, એકતોખા, દુહતોખા, ચક્રવાલા, અર્ધચક્રવાલા શ્રેણી. તેમાં - ઋજવાયતા શ્રેણીએ ઉપજનાર એક સમયિક વિગ્રહથી ઉપજે. એકતોવક્રા શ્રેણીએ ઉપજનાર બે સમયિક વિગ્રહથી ઉપજે. ઉભયતોવક્રા શ્રેણી વડે ઉપજનાર ત્રિસમયિક વિગ્રહ વડે ઉપજે. તેથી હે ગૌતમ! એમ કહ્યું. ભગવન્અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક આ રત્નપ્રભાના પૂર્વ ચરમાંતમાં સમવહત થઈને જે આ રત્નપ્રભાના પશ્ચિમ ચરમતમાં પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે ઉપજે, તો હે ભગવન્! તે કેટલા સમયના વિગ્રહથી ઉપજ ? ગૌતમ! એકસમયિક બાકી પૂર્વવત્ યાવત્ તેથી કહ્યું કે યાવત્ વિગ્રહથી ઉપજે છે. આ પ્રમાણે અપર્યાપ્ત સૂક્ષ્મપૃથ્વીકાયિક પૂર્વ ચરમાંતમાં સમવહત થઈને પશ્ચિમ ચરમાંતમાં બાદર પૃથ્વીકાયિકમાં અપર્યાપ્તામાં ઉપજે. તે જ પૂર્વવતુ પર્યાપ્તામાં કહેવુ. એ પ્રમાણે અપ્રકાયિકમાં ચાર આલાવા કહેવા - 1. સૂક્ષ્મ અપર્યાપ્તા, 2. સૂક્ષ્મ પર્યાપ્તા, 3. બાદર અપર્યાપ્તા, 4. બાદર પર્યાપ્તાનો ઉપપાત કહેવો. એ પ્રમાણે સૂક્ષ્મ તેઉકાયિકના બંને ઉપપાત કહેવા. ભગવદ્ ! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક, આ રત્નપ્રભાના પૂર્વ ચરમાંતમાં સમવહત થઈને જે મનુષ્ય ક્ષેત્રમાં અપર્યાપ્ત બાદર તેઉકાયિકપણે ઉપજવા યોગ્ય હોય, તે હે ભગવન્! કેટલા સમયના વિગ્રહથી ઉપજે? બાકી પૂર્વવતુ. એ રીતે પર્યાપ્ત બાદર તેઉકાયિકપણે ઉત્પાદ કહેવો. વાયુકાયિક સૂક્ષ્મબાદરમાં, અપ્રકાયિકના ઉપપાત સમાના ઉત્પાદ કહેવો. એ પ્રમાણે વનસ્પતિકાયિકમાં પણ કહેવું. 20 ભેદ થયા. ભગવન્! પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક, આ રત્નપ્રભા પૃથ્વીના ઈત્યાદિ? પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક પણ પૂર્વ ચરમાંતમાં સમવહત થઈને આ જ ક્રમ વડે આ જ વીશ સ્થાનોમાં બાદર પર્યાપ્ત વનસ્પતિકાયિક સુધી ઉપપાત કહેવો. 40 ભેદ.. એ રીતે અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિક પણ કહેવા. 60 ભેદ. એ રીતે અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિક પણ કહેવા 80 ભેદ.. એ પ્રમાણે અપ્રકાયિક પણ ચારે ગમકમાં પૂર્વ ચરમાંતથી સમવહત થઈને આ જ વક્તવ્યતાથી પૂર્વોક્ત વીશ સ્થાનોમાં ઉપપાત કહેવો 160 ભેદ.. અપર્યાપ્ત અને પર્યાપ્ત સૂક્ષ્મ તેઉકાયિકોનો આ વીશ સ્થાનોમાં ઉપપાત કહેવો. ભગવદ્ ! અપર્યાપ્ત બાદર તેઉકાયિક, મનુષ્ય ક્ષેત્રમાં સમવહત થઈને આ રત્નપ્રભા પૃથ્વીના પશ્ચિમ ચરમાંતમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે ઉપજાવ યોગ્ય હોય, તો હે ભગવન્! તે કેટલા સમયના વિગ્રહથી ઉપજે? બધું જ પૂર્વવતું. યાવત્ તેથી આમ કહ્યું. આ પ્રમાણે ચારે પ્રકારના-પૃથ્વીકાયિકમાં, એ રીતે અપકાયમાં પૂર્વવત્ ઉપપાત કહેવો. અપર્યાપ્ત-પર્યાપ્ત સૂક્ષ્મ તેઉકાયિકમાં એ પ્રમાણે જ ઉપપાત કહેવો. ભગવદ્ ! અપર્યાપ્ત બાદર તેઉકાયિક મનુષ્ય ક્ષેત્રમાં સમવહત થઈને. જે મનુષ્ય ક્ષેત્રમાં અપર્યાપ્ત બાદર મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 216