Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 214
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' SHI, 9. પરંપરપર્યાપ્તકો, પરંપરાત્પન્નવર્. 10. ચરમો પણ પરંપરાત્પન્નવર્. 11. એ પ્રમાણે અચરમ પણ જાણવી. આ પ્રમાણે ૧૧-ઉદ્દેશાઓ છે. ભગવન્! તે એમ જ છે, યાવત્ વિચરે છે. એકેન્દ્રિય શતક પૂરુ. શતક-૩૩, શતક શતક-૨, ઉદ્દેશો-૧ થી 11 સૂત્ર-૧૦૨૨ ભગવન્! કૃષ્ણલેશ્યી એકેન્દ્રિય કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે. પૃથ્વીકાયિક યાવત્ વનસ્પતિકાયિક. ભગવદ્ ! કૃષ્ણલેશ્યી પૃથ્વીકાયિક કેટલા ભેદે છે ? બે ભેદે - સૂક્ષ્મ અને બાદર પૃથ્વીકાયિક. ભગવદ્ ! કૃષ્ણલેશ્યી સૂક્ષ્મ પૃથ્વીકાયિક કેટલા ભેદે છે ? ગૌતમ ! આ આલાવા વડે એ રીતે ચાર ચાર ભેદો જેમ ઔધિક ઉદ્દેશામાં કહ્યા તેમ વનસ્પતિકાય સુધી કહેવું. ભગવદ્ ! કૃષ્ણલેશ્યી અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાયિકને કેટલી કર્મપ્રકૃતિઓ છે? પૂર્વવત્, ઔધિક ઉદ્દેશાનુસાર આ આલાવો કહેવો. એ પ્રમાણે જ બાંધે છે, એ પ્રમાણે જ વેદે છે. ભગવન્! તેમજ છે. તેમજ છે. ભગવન્અનંતરોત્પન્ન કૃષ્ણલેશ્યી એકેન્દ્રિય કેટલા ભેદે છે ? ગૌતમ! પાંચ ભેદે. એ રીતે આ અભિલાપ વડે પૂર્વવત્ બે-બે ભેદો યાવત્ વનસ્પતિકાયિક કહેવા. ભગવદ્ ! અનંતરોત્પન્ન કૃષ્ણલેશ્યી સૂક્ષ્મ પૃથ્વીકાયિકોની કેટલી કર્મ પ્રકૃતિઓ છે ? એ રીતે આ અભિલાપ વડે, ઔધિક અનંતરોત્પન્ન ઉદ્દેશા મુજબ જ ‘વેદે છે સુધી કહેવું. ભગવદ્ ! તેમ જ છે. ભગવન્! પરંપરાત્પન્ન કૃષ્ણલેશ્યી એકેન્દ્રિય કેટલા ભેદે છે ? ગૌતમ! પાંચ ભેદે - પૃથ્વીકાયિકાદિ. એ રીતે આ અભિલાપ વડે પૂર્વવત્ ચાર ભેદો, વનસ્પતિકાયિક સુધી કહેવા. ભગવદ્ ! પરંપરાત્પન્ન કૃષ્ણલેશ્યી અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકને કેટલી કર્મપ્રકૃતિ છે ? એ રીતે આ અભિલાપથી ઔધિક પરંપરાત્પન્ન ઉદ્દેશા મુજબ યાવત્ વેદે છે' કહેવું. એ રીતે આ અભિલાપ વડે જેમ ઔધિક એકેન્દ્રિય શતકના ૧૧-ઉદ્દેશા કહ્યા, તેમ કૃષ્ણલેશ્યી શતક પણ અચરમ-ચરમ કૃષ્ણલેશ્યી એકેન્દ્રિય સુધી કહેવો. શતક-૩૩, શતક શતક-૩, ઉદ્દેશો-૧ થી 11 સૂત્ર-૧૦૨૩ કૃષ્ણલેશ્યી માફક નીલલેશ્યી શતક પણ કહેવો. ભગવન્! તેમજ છે. તેમજ છે. શતક-૩૩, શતક શતક-૪ થી 12 સૂત્ર-૧૦૨૪ થી 1032 ૧૦૨૪-શ-૪. એ રીતે કાપોતલેશ્યી શતક કહેવું. ૧૦૨૫-શ-૫. ભગવન ! ભવસિદ્ધિક એકેન્દ્રિયો કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે. પૃથ્વી યાવતું વનસ્પતિકાયિક. તેના ચાર-ચાર ભેદ આદિ વક્તવ્યતા વનસ્પતિકાયિક સુધી જાણવી. ભગવન્! ભવસિદ્ધિક અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાયિકને કેટલી કર્મપ્રકૃતિઓ છે ? એ રીતે આ આલાવા વડે પહેલા એકેન્દ્રિયશતક મુજબ ભવસિદ્ધિક શતક પણ કહેવા. ઉદ્દેશક પરિપાટી તેમજ અચરમ સુધી કહેવી. ભગવન્! તે એમ જ છે. પાંચમું એકેન્દ્રિય શતક પૂર્ણ. ૧૦૨૬-શ-૬. ભગવદ્ ! કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિક એકેન્દ્રિયો કેટલા ભેદે છે ? ગૌતમ! પાંચ ભેદેપૃથ્વીકાયિક યાવત્ વનસ્પતિકાયિક. ભગવન્! કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિક પૃથ્વીકાયિક કેટલા ભેદે છે? ગૌતમ! બે ભેદે - સૂક્ષ્મ અને બાદર મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 214

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240