SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક-૩૪ શતક-૩૪, શતકશતક-૧, ઉદ્દેશો-૧ સૂત્ર-૧૦૩૩ ભગવદ્ ! એકેન્દ્રિયો કેટલા ભેદે છે ? ગૌતમ! પાંચ ભેદે છે - પૃથ્વીકાયિક યાવત્ વનસ્પતિકાયિક. આ રીતે આ ભેદ ચતુષ્ક કહેવા. ભગવદ્ ! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક આ રત્નપ્રભા પૃથ્વીની પૂર્વદિશાના ચરમાંતમાં સમુદ્ઘાતથી મરીને, જે આ રત્નપ્રભા પૃથ્વીના પશ્ચિમ ચરમાંતમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે ઉપજવા યોગ્ય હોય, તે હે ભગવન્ ! કેટલા સમયના વિગ્રહથી ઉપજે? ગૌતમ! એક, બે કે ત્રણ સમયિક વિગ્રહ વડે ઉપજે. ભગવદ્ ! એમ કેમ કહ્યું? ગૌતમ! મેં સાત શ્રેણીઓ કહી છે - ઋજુવાયતા, એકતોવક્રા, દુહતોવક્રા, એકતોખા, દુહતોખા, ચક્રવાલા, અર્ધચક્રવાલા શ્રેણી. તેમાં - ઋજવાયતા શ્રેણીએ ઉપજનાર એક સમયિક વિગ્રહથી ઉપજે. એકતોવક્રા શ્રેણીએ ઉપજનાર બે સમયિક વિગ્રહથી ઉપજે. ઉભયતોવક્રા શ્રેણી વડે ઉપજનાર ત્રિસમયિક વિગ્રહ વડે ઉપજે. તેથી હે ગૌતમ! એમ કહ્યું. ભગવન્અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક આ રત્નપ્રભાના પૂર્વ ચરમાંતમાં સમવહત થઈને જે આ રત્નપ્રભાના પશ્ચિમ ચરમતમાં પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે ઉપજે, તો હે ભગવન્! તે કેટલા સમયના વિગ્રહથી ઉપજ ? ગૌતમ! એકસમયિક બાકી પૂર્વવત્ યાવત્ તેથી કહ્યું કે યાવત્ વિગ્રહથી ઉપજે છે. આ પ્રમાણે અપર્યાપ્ત સૂક્ષ્મપૃથ્વીકાયિક પૂર્વ ચરમાંતમાં સમવહત થઈને પશ્ચિમ ચરમાંતમાં બાદર પૃથ્વીકાયિકમાં અપર્યાપ્તામાં ઉપજે. તે જ પૂર્વવતુ પર્યાપ્તામાં કહેવુ. એ પ્રમાણે અપ્રકાયિકમાં ચાર આલાવા કહેવા - 1. સૂક્ષ્મ અપર્યાપ્તા, 2. સૂક્ષ્મ પર્યાપ્તા, 3. બાદર અપર્યાપ્તા, 4. બાદર પર્યાપ્તાનો ઉપપાત કહેવો. એ પ્રમાણે સૂક્ષ્મ તેઉકાયિકના બંને ઉપપાત કહેવા. ભગવદ્ ! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક, આ રત્નપ્રભાના પૂર્વ ચરમાંતમાં સમવહત થઈને જે મનુષ્ય ક્ષેત્રમાં અપર્યાપ્ત બાદર તેઉકાયિકપણે ઉપજવા યોગ્ય હોય, તે હે ભગવન્! કેટલા સમયના વિગ્રહથી ઉપજે? બાકી પૂર્વવતુ. એ રીતે પર્યાપ્ત બાદર તેઉકાયિકપણે ઉત્પાદ કહેવો. વાયુકાયિક સૂક્ષ્મબાદરમાં, અપ્રકાયિકના ઉપપાત સમાના ઉત્પાદ કહેવો. એ પ્રમાણે વનસ્પતિકાયિકમાં પણ કહેવું. 20 ભેદ થયા. ભગવન્! પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક, આ રત્નપ્રભા પૃથ્વીના ઈત્યાદિ? પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક પણ પૂર્વ ચરમાંતમાં સમવહત થઈને આ જ ક્રમ વડે આ જ વીશ સ્થાનોમાં બાદર પર્યાપ્ત વનસ્પતિકાયિક સુધી ઉપપાત કહેવો. 40 ભેદ.. એ રીતે અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિક પણ કહેવા. 60 ભેદ. એ રીતે અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિક પણ કહેવા 80 ભેદ.. એ પ્રમાણે અપ્રકાયિક પણ ચારે ગમકમાં પૂર્વ ચરમાંતથી સમવહત થઈને આ જ વક્તવ્યતાથી પૂર્વોક્ત વીશ સ્થાનોમાં ઉપપાત કહેવો 160 ભેદ.. અપર્યાપ્ત અને પર્યાપ્ત સૂક્ષ્મ તેઉકાયિકોનો આ વીશ સ્થાનોમાં ઉપપાત કહેવો. ભગવદ્ ! અપર્યાપ્ત બાદર તેઉકાયિક, મનુષ્ય ક્ષેત્રમાં સમવહત થઈને આ રત્નપ્રભા પૃથ્વીના પશ્ચિમ ચરમાંતમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે ઉપજાવ યોગ્ય હોય, તો હે ભગવન્! તે કેટલા સમયના વિગ્રહથી ઉપજે? બધું જ પૂર્વવતું. યાવત્ તેથી આમ કહ્યું. આ પ્રમાણે ચારે પ્રકારના-પૃથ્વીકાયિકમાં, એ રીતે અપકાયમાં પૂર્વવત્ ઉપપાત કહેવો. અપર્યાપ્ત-પર્યાપ્ત સૂક્ષ્મ તેઉકાયિકમાં એ પ્રમાણે જ ઉપપાત કહેવો. ભગવદ્ ! અપર્યાપ્ત બાદર તેઉકાયિક મનુષ્ય ક્ષેત્રમાં સમવહત થઈને. જે મનુષ્ય ક્ષેત્રમાં અપર્યાપ્ત બાદર મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 216
SR No.035606
Book TitleAgam 05 Bhagwati 02 Gujarati Translation
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2020
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_bhagwati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy