Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવન્! વ્યંતરોના ભૂમિગત નગરાવાસ કેટલા લાખ છે ? ગૌતમ ! વ્યંતરોના ભૂમિગત નગરો અસંખ્યાતા લાખ છે. ભગવન્! તે શેના બનેલા છે? બધું પૂર્વવત્ કહેવું. ભગવન્! જ્યોતિષ્કોના વિમાનાવાસ કેટલા લાખ છે? પ્રશ્ન. ગૌતમ ! તે અસંખ્યાત લાખ છે. ભગવન્! તે શેના બનેલા છે ? ગૌતમ ! સર્વે સ્ફટિકમય છે. બાકી બધું પૂર્વવત્ કહેવું. ભગવન્! સૌધર્મકલ્પમાં કેટલા લાખ વિમાનાવાસ છે? ગૌતમ ! બત્રીસ લાખ. ભગવદ્ ! તે શેના બનેલા. છે? ગૌતમ ! સર્વે રત્નમય, સ્વચ્છ છે. બાકી પૂર્વવતુ. આ પ્રમાણે અનુત્તર વિમાન સુધી કહેવું. વિશેષ એ કે - જેના જેટલા વિમાન કે ભવન હોય તે કહેવા. ભગવન! તે એમ જ છે. તે એમ જ છે. શતક-૧૯, ઉદ્દેશા-૭નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૯, ઉદ્દેશો-૮ નિવૃત્તિ સૂત્ર-૭૭૦ થી 773 70. જીવ નિવૃત્તિ કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદે. તે આ - એકેન્દ્રિય જીવ નિવૃત્તિ યાવત્ પંચેન્દ્રિય જીવ નિવૃત્તિ. ભગવનું એકેન્દ્રિય જીવ નિવૃત્તિ કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે છે. તે આ - પૃથ્વીકાય યાવતું વનસ્પતિકાય એકેન્દ્રિય જીવ નિવૃત્તિ. ભગવન્પૃથ્વીકાયિક એકેન્દ્રિયજીવ નિવૃત્તિ કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે - સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિયજીવ નિવૃત્તિ અને બાદર પૃથ્વીકાય એકેન્દ્રિયજીવ નિવૃત્તિ આ પ્રમાણે આ આલાવા મુજબ ભેદો, જેમ શતક-૮માં બૃહદ્ બંધાધિકારમાં કહેલ તૈજસ શરીરના ભેદો સમાન જાણવું. યાવત્. ભગવદ્ ! સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિયજીવ નિવૃત્તિ કેટલા ભેદે છે ? ગૌતમ! બે ભેદ- પર્યાપ્તક અને અપર્યાપ્તક સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક યાવતુ દેવ પંચેન્દ્રિય જીવ નિવૃત્તિ, ભગવદ્ કર્મનિવૃત્તિ કેટલા ભેદે છે ? ગૌતમ ! આઠ ભેદે. તે આ - જ્ઞાનાવરણીય કર્મ નિવૃત્તિ યાવત્ અંતરાય કર્મ નિવૃત્તિ. આ પ્રકારે વૈમાનિક પર્યન્ત જાણવું. ભગવદ્ ! શરીર નિવૃત્તિ કેટલા ભેદે છે? ગૌતમ ! પાંચ ભેદે છે. તે આ - ઔદારિક શરીર નિવૃત્તિ યાવત્ કાર્પણ શરીર નિવૃત્તિ. ભગવન ! નૈરયિકોની શરીર નિવૃત્તિ કેટલા ભેદે છે ? ગૌતમ ! એ જ પ્રમાણે છે. એ પ્રમાણે યાવતુ વૈમાનિક જાણવુ. વિશેષ એ કે - જેને જેટલા શરીર હોય તે કહેવા. ભગવન્! સર્વેન્દ્રિય નિવૃત્તિ કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે. તે આ - શ્રોત્રેન્દ્રિય નિવૃત્તિ યાવતુ સ્પર્શનેન્દ્રિય નિવૃત્તિ. એ પ્રમાણે નૈરયિક સુધી કહેવું. યાવત્ સ્વનિતકુમાર કહેવા. ભગવન્પૃથ્વીકાયિક જીવોને ઇન્દ્રિય નિવૃત્તિ કેટલા ભેદે છે ? ગૌતમ ! એક સ્પર્શનેન્દ્રિય નિવૃત્તિ. એ પ્રમાણે જેને જેટલી ઇન્દ્રિયો છે તે વૈમાનિક પર્યન્ત કહેવી. ભગવનું ! ભાષા નિવૃત્તિ કેટલા ભેદે છે? ગૌતમ ! ચાર ભેદે. તે આ - સત્યાભાષાનિવૃત્તિ, મૃષાભાષાનિવૃત્તિ, સત્યામૃષાભાષાનિવૃત્તિ, અસત્યા-અમૃષાભાષાનિવૃત્તિ. આ પ્રમાણે એકેન્દ્રિયને વર્જીને જેને જે ભાષા હોય તે વૈમાનિક પર્યન્ત કહેવી. ભગવદ્ ! મનનિવૃત્તિ કેટલા ભેદે છે? ગૌતમ ! ચાર ભેદે. તે આ - સત્યમનનિવૃત્તિ યાવત્ અસત્યા-અમૃષા મનોનિવૃત્તિ. એ પ્રમાણે એકેન્દ્રિય અને વિકસેન્દ્રિયને વર્જીને વૈમાનિક સુધી કહેવું. ભગવદ્ ! કષાય નિવૃત્તિ કેટલા ભેદે છે ? ગૌતમ ! ચાર ભેદે. તે આ - ક્રોધકષાય નિવૃત્તિ યાવત્ લોભકષાય મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 117