Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 185
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' કાળે હોય પણ બાકીના ત્રણ કાળે ન હોય. સભાવને આશ્રીને દુષમા કાળે હોય, દુષમસુષમા કાળે હોય, સુષમદૂષમાં. કાળે હોય પણ બાકીના ત્રણ કાળમાં ન હોય. જો નોઉત્સર્પિણી-અવસર્પિણી કાળમાં હોય તો શું સુષમસુષમા સમાન કાળમાં હોય, સુષમા સમાન કાળમાં હોય, સુષમદૂષમાં સમાન કાળે હોય કે દૂષમસુષમા સમાન કાળે હોય ? ગૌતમ! જન્મ અને સદ્ભાવને આશ્રીને માત્ર દૂષમ-સુષમા સમાન કાળમાં હોય, પણ બાકીના સુષમસુષમાં સમાન કાળ આદિ ત્રણમાં ન હોય. બકુશની પૃચ્છા. ગૌતમ! અવસર્પિણીકાળે હોય, ઉત્સર્પિણીકાળે હોય કે નોઅવસર્પિણી-નોઉત્સર્પિણી કાળે હોય ? તે ત્રણે પણ કાળમાં હોય. જો અવસર્પિણીકાળમાં હોય તો શું સુષમસુષમા કાળમાં હોય. પ્રશ્ન ? ગૌતમ! જન્મ અને સદ્ભાવને આશ્રીને સુષમસુષમા કાળમાં ન હોય, સુષમા કાળે ન હોય, સુષમદુષમા કાળે હોય, દૂષમસુષમા કાળે હોય, દૂષમાં કાળે હોય, દૂષમદૂષમા કાળે ન હોય. સંહરણ અપેક્ષાએ કોઈપણ કાળમાં હોય. જો ઉત્સર્પિણી કાળમાં હોય તો શું દૂષમદૂષમા કાળે હોય ઇત્યાદિ પ્રશ્ન? ગૌતમ! જન્મને આશ્રીને દૂષમદૂષમાં કાળે ન હોય આદિ જેમ પુલાકમાં કહ્યું તેમ કહેવું. સદ્ભાવને આશ્રીને દૂષમદૂષમાકાળે ન હોય, દૂષમા કાળે ન હોય એ પ્રમાણે પુલાકમાં કહ્યા મુજબ યાવત્ સુષમસુષમ કાળે ન હોય. સંહરણ અપેક્ષાએ કોઈપણ કાળમાં હોય. જો નોઅવસર્પિણી-નોઉત્સર્પિણી કાળમાં હોય તો ? પ્રશ્ન. ગૌતમ! જન્મ અને સદ્ભાવને આશ્રીને સુષમસુષમા સમાનકાળમાં ન હોય આદિ જેમ લાકમાં કહ્યું તેમ યાવત્ દુષમસુષમા સમાન કાળમાં હોય. સંહરણને આશ્રીને કોઈપણ કાળે હોય. | બકુશમાં કહ્યું તેમ પ્રતિસેવનાકુશીલ, કષાયકુશીલમાં પણ કહેવું. નિર્ચન્થ અને સ્નાતકમાં પુલાકની માફક કહેવું. વિશેષ એ કે - સંહરણ અધિક કહેવું. બાકી પૂર્વવત્. સૂત્ર-૯૧૩ ભગવદ્ ! પુલાક, કાળધર્મ(મૃત્યુ) પામી કઈ ગતિમાં જાય ? ગૌતમ ! દેવગતિમાં જાય. દેવગતિમાં જતા શું ભવનપતિમાં ઉપજે કે વ્યંતર-જ્યોતિષ્ક-વૈમાનિક ઉપજ ? ગૌતમ! ભવનપતિ-વ્યંતર-જ્યોતિષ્કમાં ન ઉપજે, પણ વૈમાનિકમાં ઉપજે છે. વૈમાનિકમાં ઉપજતા જઘન્યથી સૌધર્મકલ્પમાં, ઉત્કૃષ્ટથી સહસ્ત્રારકલ્પમાં ઉપજે છે. બકુશમાં એ પ્રમાણે જ જાણવુ. માત્ર ઉત્કૃષ્ટ અશ્રુતકલ્પમાં ઉપજે. પ્રતિસેવનાકુશીલને બકુશ માફક જાણવા. કષાયકુશીલને પુલાકવતુ જાણવા. વિશેષ એ કે - ઉત્કૃષ્ટ અનુત્તર વિમાનમાં ઉપજે. નિર્ચન્થમાં એમ જ જાણવુ. એ રીતે યાવત્ વૈમાનિકમાં ઉપજતા અજઘન્ય-ઉત્કૃષ્ટ અનુત્તરવિમાનોમાં ઉપજે. ભગવન્! સ્નાતક કાલધર્મ પામીને કઈ ગતિમાં જાય? ગૌતમ! સિદ્ધિગતિમાં જાય છે. ભગવન્! પુલાક, દેવમાં ઉત્પન્ન થતા શું ઇન્દ્રપણે ઉપજે, સામાનિકપણે, ત્રાયસ્ત્રિશકપણે, લોકપાલપણે કે અહમિંદ્રપણે ઉપજે છે ? ગૌતમ! અવિરાધનાને આશ્રીને ઇન્દ્રપણે યાવત્ લોકપાલપણે ઉપજે છે, પણ અહમિંદ્રપણે ન ઉપજે. વિરાધનાને આશ્રીને અન્ય કોઈ દેવમાં ઉપજે છે. એ પ્રમાણે બકુશ અને પ્રતિસેવનાકુશીલમાં જાણવુ. કષાયકુશીલનો પ્રશ્ન ? ગૌતમ! અવિરાધનાને આશ્રીને ઇન્દ્રપણે યાવત્ અહમિન્દ્રપણે ઉપજે. વિરાધનાને આશ્રીને અન્ય કોઈ દેવમાં ઉપજે. નિર્ચન્થનો પ્રશ્ન ? ગૌતમ! અવિરાધનાને આશ્રીને ઇન્દ્રપણે યાવતુ લોકપાલપણે ના ઉપજે. પણ અહમિંદ્રપણે ઉપજે. વિરાધનાને આશ્રીને અન્ય કોઈ દેવમાં ઉપજે. ન ! દેવલોકમાં ઉત્પન્ન થનાર પુલાકની કેટલો કાળ સ્થિતિ છે? ગૌતમ ! જઘન્યથી પલ્યોપમ પૃથત્વ, ઉત્કૃષ્ટથી 18 સાગરોપમ. બકુશનો પ્રશ્ન ? જઘન્યથી પલ્યોપમ પૃથત્વ, ઉત્કૃષ્ટથી ૨૨-સાગરોપમ. એ પ્રમાણે પ્રતિસેવના કુશીલ પણ જાણવા. કષાયકુશીલનો પ્રશ્ન ? ગૌતમ ! જઘન્યથી પલ્યોપમ પૃથક્વ, ઉત્કૃષ્ટ ૩૩સાગરોપમ. નિન્થનો પ્રશ્ન ? ગૌતમ! અજઘન્યોત્કૃષ્ટ ૩૩-સાગરોપમાં મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 185

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240