Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' કાળે હોય પણ બાકીના ત્રણ કાળે ન હોય. સભાવને આશ્રીને દુષમા કાળે હોય, દુષમસુષમા કાળે હોય, સુષમદૂષમાં. કાળે હોય પણ બાકીના ત્રણ કાળમાં ન હોય. જો નોઉત્સર્પિણી-અવસર્પિણી કાળમાં હોય તો શું સુષમસુષમા સમાન કાળમાં હોય, સુષમા સમાન કાળમાં હોય, સુષમદૂષમાં સમાન કાળે હોય કે દૂષમસુષમા સમાન કાળે હોય ? ગૌતમ! જન્મ અને સદ્ભાવને આશ્રીને માત્ર દૂષમ-સુષમા સમાન કાળમાં હોય, પણ બાકીના સુષમસુષમાં સમાન કાળ આદિ ત્રણમાં ન હોય. બકુશની પૃચ્છા. ગૌતમ! અવસર્પિણીકાળે હોય, ઉત્સર્પિણીકાળે હોય કે નોઅવસર્પિણી-નોઉત્સર્પિણી કાળે હોય ? તે ત્રણે પણ કાળમાં હોય. જો અવસર્પિણીકાળમાં હોય તો શું સુષમસુષમા કાળમાં હોય. પ્રશ્ન ? ગૌતમ! જન્મ અને સદ્ભાવને આશ્રીને સુષમસુષમા કાળમાં ન હોય, સુષમા કાળે ન હોય, સુષમદુષમા કાળે હોય, દૂષમસુષમા કાળે હોય, દૂષમાં કાળે હોય, દૂષમદૂષમા કાળે ન હોય. સંહરણ અપેક્ષાએ કોઈપણ કાળમાં હોય. જો ઉત્સર્પિણી કાળમાં હોય તો શું દૂષમદૂષમા કાળે હોય ઇત્યાદિ પ્રશ્ન? ગૌતમ! જન્મને આશ્રીને દૂષમદૂષમાં કાળે ન હોય આદિ જેમ પુલાકમાં કહ્યું તેમ કહેવું. સદ્ભાવને આશ્રીને દૂષમદૂષમાકાળે ન હોય, દૂષમા કાળે ન હોય એ પ્રમાણે પુલાકમાં કહ્યા મુજબ યાવત્ સુષમસુષમ કાળે ન હોય. સંહરણ અપેક્ષાએ કોઈપણ કાળમાં હોય. જો નોઅવસર્પિણી-નોઉત્સર્પિણી કાળમાં હોય તો ? પ્રશ્ન. ગૌતમ! જન્મ અને સદ્ભાવને આશ્રીને સુષમસુષમા સમાનકાળમાં ન હોય આદિ જેમ લાકમાં કહ્યું તેમ યાવત્ દુષમસુષમા સમાન કાળમાં હોય. સંહરણને આશ્રીને કોઈપણ કાળે હોય. | બકુશમાં કહ્યું તેમ પ્રતિસેવનાકુશીલ, કષાયકુશીલમાં પણ કહેવું. નિર્ચન્થ અને સ્નાતકમાં પુલાકની માફક કહેવું. વિશેષ એ કે - સંહરણ અધિક કહેવું. બાકી પૂર્વવત્. સૂત્ર-૯૧૩ ભગવદ્ ! પુલાક, કાળધર્મ(મૃત્યુ) પામી કઈ ગતિમાં જાય ? ગૌતમ ! દેવગતિમાં જાય. દેવગતિમાં જતા શું ભવનપતિમાં ઉપજે કે વ્યંતર-જ્યોતિષ્ક-વૈમાનિક ઉપજ ? ગૌતમ! ભવનપતિ-વ્યંતર-જ્યોતિષ્કમાં ન ઉપજે, પણ વૈમાનિકમાં ઉપજે છે. વૈમાનિકમાં ઉપજતા જઘન્યથી સૌધર્મકલ્પમાં, ઉત્કૃષ્ટથી સહસ્ત્રારકલ્પમાં ઉપજે છે. બકુશમાં એ પ્રમાણે જ જાણવુ. માત્ર ઉત્કૃષ્ટ અશ્રુતકલ્પમાં ઉપજે. પ્રતિસેવનાકુશીલને બકુશ માફક જાણવા. કષાયકુશીલને પુલાકવતુ જાણવા. વિશેષ એ કે - ઉત્કૃષ્ટ અનુત્તર વિમાનમાં ઉપજે. નિર્ચન્થમાં એમ જ જાણવુ. એ રીતે યાવત્ વૈમાનિકમાં ઉપજતા અજઘન્ય-ઉત્કૃષ્ટ અનુત્તરવિમાનોમાં ઉપજે. ભગવન્! સ્નાતક કાલધર્મ પામીને કઈ ગતિમાં જાય? ગૌતમ! સિદ્ધિગતિમાં જાય છે. ભગવન્! પુલાક, દેવમાં ઉત્પન્ન થતા શું ઇન્દ્રપણે ઉપજે, સામાનિકપણે, ત્રાયસ્ત્રિશકપણે, લોકપાલપણે કે અહમિંદ્રપણે ઉપજે છે ? ગૌતમ! અવિરાધનાને આશ્રીને ઇન્દ્રપણે યાવત્ લોકપાલપણે ઉપજે છે, પણ અહમિંદ્રપણે ન ઉપજે. વિરાધનાને આશ્રીને અન્ય કોઈ દેવમાં ઉપજે છે. એ પ્રમાણે બકુશ અને પ્રતિસેવનાકુશીલમાં જાણવુ. કષાયકુશીલનો પ્રશ્ન ? ગૌતમ! અવિરાધનાને આશ્રીને ઇન્દ્રપણે યાવત્ અહમિન્દ્રપણે ઉપજે. વિરાધનાને આશ્રીને અન્ય કોઈ દેવમાં ઉપજે. નિર્ચન્થનો પ્રશ્ન ? ગૌતમ! અવિરાધનાને આશ્રીને ઇન્દ્રપણે યાવતુ લોકપાલપણે ના ઉપજે. પણ અહમિંદ્રપણે ઉપજે. વિરાધનાને આશ્રીને અન્ય કોઈ દેવમાં ઉપજે. ન ! દેવલોકમાં ઉત્પન્ન થનાર પુલાકની કેટલો કાળ સ્થિતિ છે? ગૌતમ ! જઘન્યથી પલ્યોપમ પૃથત્વ, ઉત્કૃષ્ટથી 18 સાગરોપમ. બકુશનો પ્રશ્ન ? જઘન્યથી પલ્યોપમ પૃથત્વ, ઉત્કૃષ્ટથી ૨૨-સાગરોપમ. એ પ્રમાણે પ્રતિસેવના કુશીલ પણ જાણવા. કષાયકુશીલનો પ્રશ્ન ? ગૌતમ ! જઘન્યથી પલ્યોપમ પૃથક્વ, ઉત્કૃષ્ટ ૩૩સાગરોપમ. નિન્થનો પ્રશ્ન ? ગૌતમ! અજઘન્યોત્કૃષ્ટ ૩૩-સાગરોપમાં મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 185