Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' પૂર્વવતુ. આ પ્રમાણે ધૂમપ્રભાથી અધઃસપ્તમી સુધી જાણવુ. કૃષ્ણલેશ્યી કલ્યોજ નૈરયિક ક્યાંથી આવીને ઉપજે? પૂર્વવત્. વિશેષ એ કે - એક, પાંચ, નવ, તેર, સંખ્યાત કે અસંખ્યાત ઉપજે. બાકી પૂર્વવત્. એ પ્રમાણે ધૂમપ્રભામાં, તમામાં અને અધઃસપ્તમીમાં પણ જાણવું. ભગવન્! તે એમ જ છે, એમ જ છે. શતક-૩૧, ઉદ્દેશો-૩ સૂત્ર-૧૦૦૫ ભગવન્! મુદ્ર કૃતયુગ્મ નીલલેશ્યી નૈરયિક ક્યાંથી આવીને ઉપજે? કૃષ્ણલેશ્યી ક્ષુદ્ર કૃતયુગ્મ સમાન જાણવુ. વિશેષ એ કે ઉપપાત વાલુકાપ્રભા સમાન જાણવો. બાકી પૂર્વવત્, વાલુકાપ્રભા પૃથ્વી નીલલેશ્યી મુદ્ર કૃતયુમ નૈરયિક ? પૂર્વવત્. એ પ્રમાણે પંકપ્રભામાં પણ જાણવુ, ધૂમપ્રભામાં પણ જાણવુ. આ પ્રમાણે ચારે યુગ્મોમાં જાણવુ. વિશેષ એ કે પરિમાણ જાણી લેવુ. પરિમાણ કૃષ્ણલેશ્યી ઉદ્દેશા મુજબ છે. બાકી પૂર્વવત્. ભગવદ્ ! તે એમ જ છે. શતક-૩૧, ઉદ્દેશો-૪ સૂત્ર-૧૦૦૬ કાપોતલેશ્યી ક્ષુદ્ર કૃતયુગ્મ નૈરયિક ક્યાંથી આવીને ઉપજે? કૃષ્ણલેશ્યી કૃતયુગ્મ સમાન જાણવું. વિશેષ એ - ઉપપાત રત્નપ્રભાપૃથ્વી સમાન જાણવો. બાકી પૂર્વવત્, ઉપપાત રત્નપ્રભામાં થાય. એ પ્રમાણે ચારે યુગ્મોમાં જાણવુ. વિશેષ એ કે પરિમાણ જાણવુ. પરિમાણ, કૃષ્ણલેશ્યી ઉદ્દેશા સમાન છે. બાકી પૂર્વવતું. ભગવન્! તે એમ જ. શતક-૩૧, ઉદ્દેશો-૫ સૂત્ર-૧૦૦૭ ભગવન્! શુદ્રકૃતયુગ્મ ભવસિદ્ધિક નૈરયિક ક્યાંથી આવીને ઉપજે? ઔધિક ગમક મુજબ સંપૂર્ણ કહેવું. યાવત્ પરપ્રયોગથી ન ઉપજે. રત્નપ્રભા પૃથ્વી ભવસિદ્ધિક ક્ષદ્ર કૃતયુગ્મ નૈરયિકઇ? સંપૂર્ણ પૂર્વવત્. એ પ્રમાણે અધઃસપ્તમી પૃથ્વી સુધી કહેવું. એ રીતે ક્ષુદ્ર વ્યાજ યાવત્ કલ્યોજ સુધી જાણવુ. પરિમાણ પૂર્વ કથિત ઉદ્દેશો-૧ મુજબ જાણવા શતક-૩૧, ઉદ્દેશો-૬ સૂત્ર-૧૦૦૮ ભગવદ્ ! કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિક ક્ષુદ્ર કૃતયુગ્મ નૈરયિક ક્યાંથી આવીને ઉપજ ? ઔધિક કૃષ્ણલેશ્યી ઉદ્દેશા મુજબ સંપૂર્ણ જાણવુ. ચારે યુગ્મોમાં કહેવું. યાવત્ અધઃસપ્તમી પૃથ્વી કૃષ્ણલેશ્યી ક્ષુદ્ર કલ્યોજ નૈરયિક ક્યાંથી, આવીને ઉપજ ? પૂર્વવત્ ભગવદ્ ! તે એમ જ છે 2.. શતક-૩૧, ઉદ્દેશો-૭ સૂત્ર-૧૦૦૯ નીલલેશ્યી ભવસિદ્ધિકો ચારે યુગ્મોમાં ઔધિક નીલલેશ્યી ઉદ્દેશક મુજબ કહેવા. ભગવદ્ ! તે એમ જ છે યાવત્ વિચરે છે. શતક-૩૧, ઉદ્દેશો-૮ સૂત્ર–૧૦૧૦ કાપોતલેશ્યી ભવસિદ્ધિક ચારે યુમોમાં ઉત્પાદ, ઔધિક કાપોતલેશ્યી ઉદ્દેશા મુજબ કહેવો. ભગવન ! તે એમ જ છે, યાવત્ વિચરે છે. શતક-૩૧, ઉદ્દેશો-૯ થી 28 સૂત્ર-૧૦૧૧ થી 1015 1011 - ઉ૦ 9 થી 12. જેમ ભવસિદ્ધિકના ચાર ઉદ્દેશા કહ્યા, તેમ અભવસિદ્ધિકના પણ ચારે ઉદ્દેશા, મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 211