Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક-૩૧ શતક-૩૧, ઉદ્દેશો-૧ સૂત્ર-૧૦૦૩ રાજગૃહ નગરમાં યાવત્ ગૌતમસ્વામીએ આમ પૂછ્યું - ભગવન્! મુકયુગ્મ કેટલા છે ? ગૌતમ! ચાર. કૃતયુમ, ચોજ, દ્વાપરયુગ્મ, કલ્યો. ભગવદ્ ! એમ કેમ કહ્યું કે ચાર મુદ્રધુમ્મ છે ? ગૌતમ! જે રાશિ ચતુષ્ક અપહારથી અપહારતા છેલ્લે ચાર શેષ વધે, તે મુદ્રકૃતયુગ્મ. જે રાશી ચાર-ચારના અપહારથી શેષ ત્રણ વધે તે ક્ષદ્ર સ્રોજ. જે રાશી ચાર-ચારના અપહારથી છેલ્લે શેષ - બે વધે તે મુદ્ર દ્વાપરયુગ્મ. જે રાશી ચાર-ચારના અપહારથી છેલ્લે શેષએક વધે તે મુદ્ર કલ્યોજ. ભગવન્! ક્ષદ્ર કૃતયુગ્મ નૈરયિક ક્યાં ઉપજ ? શું નૈરયિકાદિથી ઉપજે, પ્રશ્ન ? ગૌતમ ! નૈરયિકથી આવીને ના ઉપજે, એ પ્રમાણે નૈરયિકોનો ઉપપાત “વ્યુત્ક્રાંતિ' પદમાં કહ્યા મુજબ કહેવો. ભગવન્! તે જીવો એક સમયમાં કેટલા ઉપજ ? ગૌતમ ! ચાર, આઠ, બાર કે સોળ કે સંખ્યાત-અસંખ્યાત. ભગવન્! તે જીવો કઈ રીતે ઉપજ ? ગૌતમ ! જેમ કોઈ કૂદક પુરુષ કૂદવાના અધ્યવસાયથી. એ રીતે શતક૨૫, ઉદ્દેશા-૮માં નૈરયિક વક્તવ્યતામાં કહ્યું, તેમ અહીં પણ કહેવું. યાવત્ આત્મપ્રયોગથી ઉપજે, પરપ્રયોગથી નહીં. ભગવદ્ ! રત્નપ્રભા પૃથ્વી મુદ્રકૃતયુગ્મ નૈરયિક ક્યાંથી આવીને ઉપજ ? ઔધિક નૈરયિકની વક્તવ્યતા સંપૂર્ણ અહીં રત્નપ્રભામાં પણ કહેવી યાવત્ પરપ્રયોગથી ન ઉપજે. એ રીતે શર્કરામભા યાવત્ અધઃસપ્તમીમાં કહેવુ. એ રીતે ઉત્પાદ, વ્યુત્ક્રાંતિ પદ મુજબ કહેવો. ક્યાં સુધી કહેવુ ?, અસંજ્ઞી પહેલી સુધી, સરીસર્પ બીજી સુધી, પક્ષી ત્રીજી સુધી ઇત્યાદિ ગાથા મુજબ ઉત્પાદ સુધી કહેવું. બાકી પૂર્વવત્ જાણવુ. ભગવન્સ્રોજ નૈરયિક ક્યાંથી આવીને ઉપજ ? શું નૈરયિકથી આદિ ? ઉત્પાદ, ‘વ્યુત્ક્રાંતિ પદ મુજબ કહેવો. ભગવદ્ ! તે જીવો એક સમયમાં કેટલા ઉપજ ? ગૌતમ! ત્રણ, સાત, અગિયાર, પંદર કે સંખ્યાત કે અસંખ્યાત ઉપજે. બાકી બધુ કૃતયુગ્મ નૈરયિક સમાન જાણવુ. એ રીતે અધઃસપ્તમી સુધી. ભગવન્! મુદ્ર દ્વાપરયુગ્મ નૈરયિક ક્યાંથી આવીને ઉત્પન્ન થાય ? મુદ્ર કૃતયુગ્મ સમાન જાણવુ. વિશેષ એ કે - પરિમાણ બે-છ-દશ-ચૌદ કે સંખ્યાત કે અસંખ્યાત ઉપજે. બાકી પૂર્વવત્ અધઃસપ્તમી સુધી કહેવું. શુદ્ર કલ્યોજ નૈરયિક ક્યાંથી આવીને ઉપજ ? શુદ્ર કૃતયુગ્મ સમાન જાણવુ. માત્ર પરિમાણમાં ભેદ છે - એક, પાંચ, નવ, તેર, સંખ્યાત કે અસંખ્યાત ઉપજે. બાકી પૂર્વવત્. એ પ્રમાણે અધઃસપ્તમી સુધી કહેવું. ભગવન! તે એમ જ છે, એમ જ છે, યાવતુ વિચરે છે. શતક-૩૧, ઉદ્દેશો-૨ સૂત્ર-૧૦૦૪ ભગવન્! મુદ્રકૃતયુમ કૃષ્ણલેશ્યી નૈરયિક ક્યાંથી આવીને ઉપજે છે ? ઔધિકગમ અનુસાર જાણવું યાવત્ પર-પ્રયોગથી ન ઉપજે. વિશેષ એ કે ઉપપાત, વ્યુત્ક્રાંતિ પદ સમાન કહેવો. તેનો ઉપપાત ધૂમપ્રભા પૃથ્વીમાં થાય. બાકી પૂર્વવત્ જાણવુ. ધૂમપ્રભા પૃથ્વી કૃષ્ણલેશ્યી સુદ્રકૃત યુગ્મ નૈરયિક ક્યાંથી આવીને ઉપજે છે? સંપૂર્ણ પૂર્વવત્ જાણવુ. એ રીતે તમાં અને અધઃસપ્તમી પૃથ્વી સુધી જાણવુ. વિશેષ એ કે - ઉપપાત સર્વત્ર વ્યુત્ક્રાંતિપદ મુજબ કહેવો. કૃષ્ણલેશ્યી ક્ષુદ્ર વ્યોજ નૈરયિક ક્યાંથી આવીને ઉપજે છે? પૂર્વવત્. વિશેષ એ કે ત્રણ, સાત, અગિયાર, પંદર, સંખ્યાત કે અસંખ્યાત ઉપજે. બાકી પૂર્વવત્ યાવત્ અધઃસપ્તમી જાણવુ. કૃષ્ણલેશ્યી ક્ષુદ્ર દ્વાપરયુગ્મ નૈરયિક ક્યાંથી આવીને ઉપજે? પૂર્વવત્, વિશેષ એ - બે, છ, દશ, ચૌદ આદિ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 210