Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 201
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' એ પ્રમાણે અસુરકુમારની વક્તવ્યતા કહેવી. વિશેષ એ કે તેજોલેશ્યા, સ્ત્રીવેદક-પુરુષવેદકને અધિક કહેવા. નપુંસક વેદકને ન કહેવા. બાકી પૂર્વવતુ. એ રીતે જ પહેલો-બીજો ભંગ કહેવો. આ પ્રમાણે સ્વનિતકુમાર સુધી કહેવું. આ પ્રમાણે પૃથ્વીકાયિકને, અપ્રકાયિકને યાવત્ પંચેન્દ્રિય તિર્યંચયોનિકને, એ બધે પહેલો-બીજો ભંગ કહેવો. વિશેષ એ કે - જેને જેટલી વેશ્યા, દષ્ટિ જ્ઞાન, અજ્ઞાન, વેદ, યોગ જે જેને હોય, તે તેને કહેવા. બાકી પૂર્વવતુ તેમજ જાણવુ. મનુષ્યને જીવપદની વક્તવ્યતા માફક બધુ સંપૂર્ણ કહેવું. વ્યંતરને અસુરકુમાર મુજબ કહેવા. જ્યોતિષ્ક, વૈમાનિકને તેમજ કહેવા. વિશેષ એ કે વેશ્યા જાણી લેવી. બાકી પૂર્વવતું. 79. ભગવન્! જીવે જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું છે, બાંધે છે, બાંધશે. એ પ્રમાણે જેમ પાપકર્મની વક્તવ્યતા છે તેમજ જ્ઞાનાવરણીયની કહેવી. વિશેષ એ કે - જીવ અને મનુષ્યમાં સકષાયી યાવત્ લોભકષાયીમાં પહેલો, બીજો ભંગ કહેવો. બાકીનું પૂર્વવત્. યાવત્ વૈમાનિક કહેવું. એ રીતે દર્શનાવરણીય કર્મના દંડક પણ સંપૂર્ણ કહેવા. ભગવન્! જીવે વેદનીયકર્મ શું બાંધ્યું છે. પ્રશ્ન ? ગૌતમ 1. કેટલાકે બાંધ્યું છે, બાંધે છે, બાંધશે. 2. કેટલાકે બાંધ્યું છે, બાંધે છે, બાંધશે નહીં. 3. કેટલાકે બાંધ્યું છે, બાંધતો નથી, બાંધશે નહીં. સલેશ્યીને એ પ્રમાણે જ ત્રીજા સિવાયના ત્રણ ભંગો છે. કૃષ્ણલેશ્યા યાવતુ પૌલેશ્યામાં પહેલો-બીજો ભંગ. શુક્લ લેશ્યીને ત્રીજા સિવાયના ત્રણ ભંગ. અલેશ્યીને ચોથો ભંગ કહેવો. કૃષ્ણપાક્ષિકને પહેલા બે ભંગો, શુક્લપાક્ષિકને ત્રીજા સિવાય ત્રણ ભંગો. એ પ્રમાણે સમ્યગ્દષ્ટિને પણ છે. મિથ્યા દષ્ટિ, મિશ્ર દષ્ટિને પહેલો-બીજો. જ્ઞાનીને ત્રીજા સિવાયના, આભિનિબોધિક યાવત્ મન:પર્યવજ્ઞાનીને પહેલો-બીજો. કેવળજ્ઞાનીને ત્રીજા સિવાયના. એ પ્રમાણે નોસંજ્ઞોપયુક્ત, અવેદક, અકષાયી, સાકારોપયુક્ત, અનાકાર ઉપયુક્ત એ બધાને ત્રીજા સિવાયના, અયોગીને છેલ્લો, બાકીનાને પહેલો-બીજો ભંગ જાણવો. ભગવન્નૈરયિકે વેદનીય કર્મ બાંધ્યું. બાંધે છે ? આ પ્રમાણે નૈરયિકથી વૈમાનિક સુધી જેને જે હોય તે કહેવું. તેમાં પહેલો-બીજો ભંગ છે. માત્ર મનુષ્યને જીવો મુજબ કહેવા. ભગવન્! જીવે મોહનીય કર્મ બાંધ્યું? જેમ પાપકર્મ તેમ મોહનીય પણ સંપૂર્ણ વૈમાનિક પર્યન્ત કહેવુ. સૂત્ર-૯૮૦ અધૂરુ.... ભગવન્જીવ આયુકર્મ બાંધ્યું. બાંધે છે ? પ્રશ્ન. ગૌતમ! કેટલાકે બાંધ્ય. ચાર ભંગ. સલેશ્યી યાવત્ શુક્લલેશ્યીને ચાર ભંગ, અશ્લીને છેલ્લો ભંગ. કૃષ્ણપાક્ષિક વિશે પ્રશ્ન ? ગૌતમ! કેટલાકે બાંધ્ય, બાંધે છે, બાંધશે. કેટલાકે બાંધ્યું છે, બાંધતો નથી, બાંધશે. શુક્લપાક્ષિક, સમ્યગદૃષ્ટિ, મિથ્યાષ્ટિને ચારે ભંગો છે. સમ્યગુ મિથ્યાષ્ટિની પૃચ્છા. ગૌતમ! કેટલાકે બાંધ્યું, બાંધતા નથી, બાંધશે. કેટલાકે બાંધ્ય, બાંધતો નથી, બાંધશે નહીં. જ્ઞાની યાવત્ અવધિજ્ઞાનીને ચારે ભંગ, મન:પર્યવજ્ઞાનીનો પ્રશ્ન. ગૌતમ! કેટલાકે બાંધ્યું, બાંધે છે, બાંધશે. કેટલાકે બાંધ્યું, બાંધતો નથી, બાંધશે. કેટલાકે બાંધ્યું, બાંધતો નથી, બાંધશે નહીં. કેવળજ્ઞાનમાં છેલ્લો ભંગ છે. એ રીતે આ ક્રમથી નોસંજ્ઞોપયુક્તને બીજા ભંગ સિવાય મન:પર્યવજ્ઞાનીવતુ કહેવા. અવેદક અને અકષાયીને ત્રીજો, ચોથો સમ્યમિથ્યાદષ્ટિવત્ કહેવો. અયોગીને છેલ્લો અને બાકીના પદોમાં ચારે ભંગ યાવતુ અનાકારોપયુક્ત કહેવા. સૂત્ર-૯૮૦ અધુરેથી.... ભગવદ્ ! નૈરયિકે આયુકર્મ બાંધ્યું છે. પ્રશ્ન ? ગૌતમ ! કેટલાકને ચારે ભંગ છે. એ રીતે સર્વત્ર નૈરયિકોને ચારે ભંગ છે. માત્ર કૃષ્ણલેશ્યી અને કૃષ્ણપાક્ષિકને પહેલો-ત્રીજો ભંગ. સમ્યમિથ્યાત્વમાં ત્રીજો-ચોથો ભંગ. અસુરકુમારને એ પ્રમાણે જ, કૃષ્ણલેશ્યીને પણ ચાર ભંગો કહેવા, બાકી બધું નૈરયિકવતું. એ પ્રમાણે સ્વનિત-કુમારો સુધી જાણવુ. પૃથ્વીકાયિકોને સર્વત્ર ચાર ભંગ. માત્ર કૃષ્ણપાક્ષિકને પહેલો-ત્રીજો ભંગ. તેજોલેશ્યી વિશે પ્રશ્ન ? ગૌતમ! બાંધ્યું છે, બાંધતો નથી, બાંધશે. બાકીના બધામાં ચાર ભંગો. એ રીતે મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 201

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240