Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 202
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' અપ્રકાયિક વનસ્પતિકાયિક પણ સંપૂર્ણ કહેવા. તેઉકાયિક-વાયુકાયિકને બધે જ પહેલો-ત્રીજો ભંગ. બે-ત્રણ-ચાર ઇન્દ્રિયવાળાને પણ સર્વત્ર પહેલો, ત્રીજો ભંગ, માત્ર સમ્યત્વ, જ્ઞાન, આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાનમાં ત્રીજો ભંગ. પંચેન્દ્રિય તિર્યંચયોનિકોને કૃષ્ણપાક્ષિકમાં પહેલો-ત્રીજો ભંગ, સમ્યત્વ-મિથ્યાત્વમાં ત્રીજા-ચોથો ભંગ. સમ્યત્વ, જ્ઞાન, આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન એ પાંચ પદોમાં બીજા સિવાયના ત્રણ ભંગો. બાકીના માં ચાર ભંગો. મનુષ્યોને જીવ માફક કહેવા. માત્ર સમ્યત્વ ઔધિક જ્ઞાન, આભિનિબોધિક જ્ઞાન-શ્રુતજ્ઞાનઅવધિજ્ઞાનમાં બીજા સિવાયના ભંગો છે, બાકી પૂર્વવત્. વ્યંતર, જ્યોતિષ્ક વૈમાનિક ત્રણે અસુરકુમારવત્ જાણવા. નામ, ગોત્ર, અંતરાય ત્રણે જ્ઞાનાવરણીય માફક કહેવી. ભગવન! તે એમ જ છે, એમ જ છે, યાવતુ વિચરે છે. શતક-૨૬, ઉદ્દેશો-૨ સૂત્ર-૯૮૧ ભગવન્! અનંતરોપપન્નક નૈરયિકે પાપકર્મ બાંધ્યો ? તે પ્રમાણે જ ગૌતમ ! કોઈક બાંધે. પહેલો-બીજો ભંગ. ભગવનું ! સલેશ્યી અનંતરોપપન્નક નૈરયિક પાપકર્મ બાંધ૦ પ્રશ્ન ? ગૌતમ! પહેલો, બીજો ભંગ. એ રીતે સર્વત્ર પહેલો-બીજો ભંગ. વિશેષ એ - સમ્યત્વ મિથ્યાત્વ, મનોયોગ, વચનયોગ ન પૂછવો. એ રીતે સ્વનિતકુમાર પર્યન્ત કહેવું. બેઇન્દ્રિય-તેઇન્દ્રિય-ચતુરિન્દ્રિયને વચનયોગ ન કહેવો. પંચેન્દ્રિય તિર્યંચોને પણ સમ્યત્વ મિથ્યાત્વ, અવધિજ્ઞાન, વિભંગ જ્ઞાન, મનોયોગ, વચનયોગ એ પાંચ પદો ન કહેવા. મનુષ્યોમાં અલેશ્યત્વ, મિશ્રદષ્ટિ, મન:પર્યવજ્ઞાન,કેવળજ્ઞાન,વિર્ભાગજ્ઞાન,નોસંજ્ઞોપયુક્ત, અવેદક, અકષાયી, મનોયોગી, વચનયોગી, અયોગી આ અગિયાર પદો ન કહેવા, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકને નૈરયિકોવત્ કહેવા. પૂર્વોક્ત ત્રણ પદ ન કહેવા. બાકીના જે સ્થાનો, તેમાં સર્વત્ર પહેલો-બીજો ભંગ કહેવો. એકેન્દ્રિયોને સર્વત્ર પ્રથમબીજો ભંગ કહેવા. પાપકર્મમાં કહ્યા મુજબ જ્ઞાનાવરણીય કર્મનો દંડક કહેવો. એ રીતે આયુને વર્જીને અંતરાયકર્મ સુધી દંડક કહેવા. ભગવન્અનંતરોપપન્નક નૈરયિકે શું આયુકર્મ બાંધ્યું છે. પ્રશ્ન ? ગૌતમ! બાંધ્યું છે, બાંધતો નથી, બાંધશે. ભગવદ્ ! સલેક્શી અનંતરોપપન્નક નૈરયિકે શું આયુકર્મ બાંધ્યું ? પૂર્વવત્ ત્રીજો ભંગ. એ રીતે યાવત્. અનાકારોપયુક્ત, સર્વત્ર ત્રીજો ભંગ, એ પ્રમાણે મનુષ્ય વર્જીને યાવતુ વૈમાનિક કહેવું. મનુષ્યોને સર્વત્ર ત્રીજા-ચોથો ભંગ કહેવો. માત્ર કૃષ્ણ-પાક્ષિકમાં ત્રીજો ભંગ કહેવો. બધામાં ભિન્નતા પૂર્વવતુ. ભગવન્! તે એમ જ છે, એમ જ છે. શતક-૨૬, ઉદ્દેશો-૩ સૂત્ર-૯૮૨ ભગવન્પરંપરાત્પન્ન નૈરયિકે પાપકર્મ બાંધ્ય પ્રશ્ન ? ગૌતમ ! કેટલાકે પહેલો, બીજો ભંગ. જેમ ઉદ્દેશા૧ માં કહ્યું, તેમ આ ઉદ્દેશો પણ કહેવો. નૈરયિકોના તે રીતે જ નવ દંડક કહેવા. આઠ કર્મપ્રકૃતિમાં જેને જે કર્મની વક્તવ્યતા હોય તે તેને અન્યૂનાધિક જાણવી યાવત્ અનાકારોપયુક્ત વૈમાનિક. ભગવન્! તે એમ જ છે. એમ જ છે. શતક-૨૬, ઉદ્દેશો-૪ થી 11 સૂત્ર-૯૮૩ થી 90 983. ભગવન્! અનંતરાવગાઢ નૈરયિકે પાપકર્મ બાંધેલુ0 પ્રશ્ન ? ગૌતમ! કેટલાકે બાંધ્યું. એ પ્રમાણે જેમ અનંતરોત્પન્નકના નવ દંડક સહિતનો ઉદ્દેશો કહેલો, તેમ અનંતરાવગાઢ પણ અન્યૂનાધિક નૈરયિક યાવત્ વૈમાનિક સુધી કહેવો. ભગવદ્ ! તે એમ જ છે. 4. 984. ભગવન્! પરંપરાવગાઢ નૈરયિકે પાપકર્મ બાંધેલો પ્રશ્ન ? પરંપરોત્પન્ન ઉદ્દેશા સમાન સંપૂર્ણ કહેવું. ભગવન્! તેમજ છે. 5. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 202

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240