Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 207
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવદ્ ! અલેશ્યી યાવત્ ક્રિયાવાદી શું નૈરયિકાયુ પ્રશ્ન? ગૌતમ! ચારે આયુ બાંધે. એ પ્રમાણે અજ્ઞાનવાદી, વિનયવાદી પણ જાણવા. શુક્લપાક્ષિકો, સલેશ્યી સમાન જાણવા. ભગવન્! સમ્યગદષ્ટિ ક્રિયાવાદી જીવો શું નૈરયિકાયુ પ્રશ્ન ? ગૌતમ! નૈરયિક કે તિર્યંચાયુ ન બાંધે. મનુષ્ય કે દેવાયુ બાંધે. મિથ્યાદષ્ટિ, કૃષ્ણપાક્ષિકવત્ છે. ભગવદ્ ! મિશ્રદષ્ટિ અજ્ઞાનવાદી જીવો શું નૈરયિકાયુ અલેશ્યીવત્ જાણવા. એ પ્રમાણે વિનયવાદી પણ જાણવા. જ્ઞાની, આભિનિબોધિક-શ્રુત-અવધિજ્ઞાની, સમ્યગદષ્ટિ સમાન જાણવા. ભગવન્! મન:પર્યવજ્ઞાની વિશે પ્રશ્ન? ગૌતમ! માત્ર દેવાયુ બાંધે, અન્ય ત્રણ ન બાંધે. જો દેવાયુ બાંધે તો ગૌતમ! માત્ર વૈમાનિક દેવાયુ બાંધે, અન્ય ત્રણ ભવનવાસીઆદિ ન બાંધે. કેવળજ્ઞાની, અલેશ્યીવત્ જાણવા.અજ્ઞાનીથી વિર્ભાગજ્ઞાની, કૃષ્ણપાક્ષિકવત્ જાણવા. ચારે સંજ્ઞામાં, સલેક્શીવતું. નોસંજ્ઞોપયુક્ત, મન:પર્યવજ્ઞાની સમાન જાણવા. સવેદક યાવત્ નપુંસકવેદક, સલેશ્યી સમાન. અવેદક, અલેશ્યી સમાન. સકષાયી યાવત્ લોભકષાયી, સલેશ્યી સમાન છે. અકષાયી, અલેશ્યીવત્ છે. સયોગી યાવત્ કાયયોગી, સલેશ્યી સમાન. અયોગી, અલેશ્યીવતું. સાકાર-અનાકારોપયુક્તક, સલેશ્યીવતુ જાણવા. સૂત્ર- 9 ભગવન્ક્રિયાવાદી નૈરયિક, નૈરયિકાયુ. બાંધે ? ગૌતમ! નૈરયિક-તિર્યંચ કે દેવાયુ ન બાંધે, માત્ર મનુષ્પાયુ બાંધે. ભગવન્! અક્રિયાવાદી નૈરયિક વિશે પ્રશ્ન. તિર્યંચ કે મનુષ્યાથુ બાંધે, દેવ કે નારકાયુ ન બાંધે. એ પ્રમાણે અજ્ઞાનવાદી અને વિનયવાદી પણ જાણવા. ભગવન ! સલેશ્યી ક્રિયાવાદી નૈરયિક શું નૈરયિકાય બાંધે ? એ પ્રમાણે બધા જ નૈરયિકો જે ક્રિયાવાદી છે. તે એક જ મનુષ્યાય બાંધે છે. જે અક્રિયાવાદી, અજ્ઞાનવાદી, વૈનાયિકવાદી છે, તે બધા સ્થાનોમાં નૈરયિક કે દેવાયુ ના Raa. બાંધતા નથી. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી નૈરયિક સમાન જાણવુ. ભગવદ્ ! અક્રિયાવાદી પૃથ્વીકાયિક વિશે પ્રશ્ન. ગૌતમ! નૈરયિક કે દેવાયુ ન બાંધે, તિર્યંચ કે મનુષ્યાયુ બાંધે. એ રીતે અજ્ઞાનવાદી જાણવા. ભગવન્! સલેશ્યી પૃથ્વીકાયિકના જે જે પદ હોય છે, તેમાં - તેમાં અજ્ઞાનવાદી અને અક્રિયાવાદી બંને આ પ્રમાણે બે આયુ બાંધે. માત્ર તેજોલેશ્યામાં કોઈ આયુનો બંધ ન થાય. એ રીતે અવનસ્પતિકાયિકને પણ જાણવા. તેઉ-વાયુકાયિક સર્વસ્થાનોમાં મધ્યના બે સમવસરણમાં એકમાત્ર તિર્યંચયોનિક આયુ બાંધે. બે-ત્રણ-ચાર ઇન્દ્રિયોવાળાને પૃથ્વીકાયિક માફક જાણવા. માત્ર સમ્યત્વ અને જ્ઞાનમાં કોઈ આયુ ન બાંધે. ભગવન્ક્રિયાવાદી પંચેન્દ્રિય તિર્યંચયોનિક શું નૈરયિકાયુ બાંધે? પ્રશ્ન. ગૌતમ! મન:પર્યવજ્ઞાની સમાન. અક્રિયાવાદી, અજ્ઞાનવાદી, વિનયવાદી ચારે પ્રકારનું આયુ બાંધે. સલેક્શી, ઔધિક જીવવત્ જાણવા. ભગવન્! કૃષ્ણલેશ્યી ક્રિયાવાદી પંચેન્દ્રિયતિર્યંચ૦? નૈરયિક આયુનો પ્રશ્ન? ગૌતમ! નૈરયિક યાવત્ દેવ, એકે આયુ ન બાંધે. અક્રિયાવાદી, અજ્ઞાનવાદી, વિનયવાદી ચારે પ્રકારના આયુ બાંધે. કૃષ્ણલેશ્યી માફક નીલલેશ્યી, કાપોત-લેશ્યી પણ જાણવા. તેજલેશ્યી, સલેશ્યીવતુ જાણવા. વિશેષ એ કે - અક્રિયાવાદી, અજ્ઞાનવાદી, વિનયવાદી નૈરયિકાયુ ન બાંધે, બાકીના ત્રણ બાંધે. એ પ્રમાણે પદ્મવેશ્યા પણ જાણવી. શુલ્લેશ્યા પણ કહેવી. કૃષ્ણપાક્ષિક આ ત્રણે સમવસરણમાં ચારે આયુ બાંધે. શુક્લપાક્ષિક, સલેશ્યીવતુ જાણવા. સમ્યગદષ્ટિ મન:પર્યવજ્ઞાનીવત્ વૈમાનિક દેવાયું બાંધે. મિથ્યાદષ્ટિ, કૃષ્ણપાક્ષિકવતું. મિશ્રદષ્ટિ એકપણ ન બાંધે, નૈરયિક સમાન છે. જ્ઞાની યાવત્ અવધિજ્ઞાની, સમ્યગદષ્ટિવત્ છે. અજ્ઞાની યાવત્ વિર્ભાગજ્ઞાની કૃષ્ણપાક્ષિકવત્ છે. બાકીના મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 207

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240