Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 206
________________ આગમસૂત્ર 5 અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક-૩૦ શતક-૩૦, ઉદ્દેશો-૧ સૂત્ર-૯૮ ભગવદ્ ! સમવસરણ કેટલા છે? ગૌતમ ! ચાર - ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી, વિનયવાદી. ભગવનજીવો ક્રિયાવાદી છે યાવત્ વિનયવાદી છે? ગૌતમ! જીવો ક્રિયાવાદી આદિ ચારે છે. સલેક્શી જીવો શું ક્રિયાવાદી છે, પ્રશ્ન ? ગૌતમ! ક્રિયાવાદી આદિ ચારે છે. એ રીતે શુક્લલેશ્યા સુધી કહેવું. ભગવદ્ ! અલેશ્યી જીવ વિશે પ્રશ્ન? ગૌતમ! ક્રિયાવાદી છે, અક્રિયા-અજ્ઞાન-વિનયવાદી નથી. ભગવન્! કૃષ્ણપાક્ષિક જીવો શું ક્રિયાવાદી છે પ્રશ્ન ? ગૌતમ! ક્રિયાવાદી નથી, અક્રિયા-અજ્ઞાન-વિનયવાદી પણ છે. શુક્લપાક્ષિકોને સલેશ્યી સમાન જાણવા. સમ્યગદષ્ટિ, અલેશ્યીવતુ, મિથ્યાદષ્ટિ, કૃષ્ણપાક્ષિક સમાન. મિશ્રદૃષ્ટિનો પ્રશ્ન? ગૌતમ! તે ક્રિયાવાદી કે અક્રિયાવાદી નથી, પણ અજ્ઞાનવાદી અને વિનયવાદી છે. જ્ઞાની યાવત્ કેવળજ્ઞાની, અલેશ્યીવતું. અજ્ઞાની યાવત્ વિર્ભાગજ્ઞાની, કૃષ્ણપાક્ષિકવતું. આહારસંજ્ઞોપયુક્ત યાવત્ પરિગ્રહ સંજ્ઞા ઉપયુક્ત, સલેશ્યીવતુ. નોસંજ્ઞોપયુક્ત, અલેશ્યીવતુ. સવેદક યાવત્ નપુંસકવેદક, સલેશ્યીવતુ. અવેદક, અલેશ્યીવતું. સકષાયી યાવતું લોભકષાયી અલેશ્યીવતું. સાકાર-અનાકારોપયુક્ત, સલેક્શીવત્ છે. ભગવદ્ ! નૈરયિક શું ક્રિયાવાદી છે, પ્રશ્ન ? ગૌતમ! ક્રિયાવાદી યાવત્ વિનયવાદી પણ છે. ભગવન્! સલેક્શી નૈરયિક શું ક્રિયાવાદી છે ? પૂર્વવત્. એ રીતે યાવત્ કાપોતલેશ્યી નૈરયિક જાણવા. કૃષ્ણપાક્ષિકો ક્રિયાવાદી નથી. એ પ્રમાણે આ ક્રમથી જેમ જીવ વક્તવ્યતા છે, તેમજ નૈરયિકની વક્તવ્યતા અનાકારોપયુક્ત સુધી કહેવી. માત્ર છે જેને હોય, તે તેને કહેવું. બાકી ન કહેવું. નૈરયિકવત્ સ્વનિતકુમાર સુધી કહેવુ. ભગવન્! પૃથ્વીકાયિક શું ક્રિયાવાદી પ્રશ્ન ? ગૌતમ! તે ક્રિયાવાદી કે વિનયવાદી નથી. અક્રિયાવાદી છે, પણ છે. એ રીતે પૃથ્વીકાયિકમાં જે સંભવે, તે બધામાં વચ્ચેના બે સમોસરણ, અનાકારોપયુક્ત સુધી કહેવા. એ પ્રમાણે ચતુરિન્દ્રિય સુધી બધા પદોમાં બે સમોસરણ હોય. સમ્યત્વ અને જ્ઞાનમાં પણ આ બે મધ્યના. સમોસરણ જાણવા. પંચેન્દ્રિય તિર્યંચયોનિકને જીવો સમાન જાણવા. માત્ર જે હોય તે કહેવું. મનુષ્યોને જીવ સમાન સંપૂર્ણ કહેવા. વ્યંતર-જ્યોતિષ્ક-વૈમાનિકો અસુરકુમારવત્ જાણવા. ભગવન્! ક્રિયાવાદી જીવો શું નૈરયિકાયુ બાંધે કે તિર્યંચ૦-મનુષ્ય દેવ૦ આયુને બાંધે છે? ગૌતમ ! નૈરયિક કે તિર્યંચ આયુ ન બાંધે, પણ મનુષ્યાયુ, દેવાયુને બાંધે છે. જો દેવાયુ બાંધે તો શું ભવનવાસી દેવાયુ બાંધે કે યાવત્ વૈમાનિક દેવાયુ બાંધે? ગૌતમ! માત્ર વૈમાનિક દેવાયુ બાંધે. - x ભગવન્! અક્રિયાવાદી જીવો શું નૈરયિકાયુ બાંધે, આદિ પ્રશ્ન ? ગૌતમ ! નૈરયિક યાવત્ દેવાયુ બાંધે. એ રીતે અંજ્ઞાન, વિનયવાદી જાણવા. ભગવદ્ ! સલેશ્યી ક્રિયાવાદી જીવો શું નૈરયિકાયુ૦ બાંધે ? ગૌતમ! નૈરયિકાયુ ન બાંધે, એ રીતે જીવોની માફક સલેશ્યીને ચારે સમોસરણ કહેવા. ભગવન્! કૃષ્ણલેશ્યી ક્રિયાવાદી જીવો શું નૈરયિકાયુ બાંધે? ગૌતમ! માત્ર મનુષ્યાય બાંધે, બાકી ત્રણ આયુ ન બાંધે. અક્રિયા-અજ્ઞાન-વિનયવાદી ત્રણે. ચારેય આયુને બાંધે. એ રીતે નીલલેશ્યી, કાપોતલેશ્યી પણ જાણવા. ભગવન ! તેજોલેશ્યી ક્રિયાવાદી જીવો શું નૈરયિકાયુ બાંધે ? ગૌતમ ! નૈરયિક તિર્યંચ૦ આયુ ન બાંધે, મનુષ્યાય કે દેવાયુ બાંધે. જો દેવાયુ બાંધે તો પૂર્વવત્ જાણવુ. ભગવન્તેજોલેશ્યી અક્રિયાવાદી જીવ શું નૈરયિકાયુ બાંધે ? ગૌતમ! નૈરયિકાયુ ન બાંધે, મનુષ્યાદિ ત્રણે આયુ બાંધે. એ પ્રમાણે અજ્ઞાનવાદી અને વિનયવાદી જાણવા. તેજલેશ્યી માફક પદ્ધ, શુક્લલેશ્યી જાણવા. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 206

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240