SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' અપ્રકાયિક વનસ્પતિકાયિક પણ સંપૂર્ણ કહેવા. તેઉકાયિક-વાયુકાયિકને બધે જ પહેલો-ત્રીજો ભંગ. બે-ત્રણ-ચાર ઇન્દ્રિયવાળાને પણ સર્વત્ર પહેલો, ત્રીજો ભંગ, માત્ર સમ્યત્વ, જ્ઞાન, આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાનમાં ત્રીજો ભંગ. પંચેન્દ્રિય તિર્યંચયોનિકોને કૃષ્ણપાક્ષિકમાં પહેલો-ત્રીજો ભંગ, સમ્યત્વ-મિથ્યાત્વમાં ત્રીજા-ચોથો ભંગ. સમ્યત્વ, જ્ઞાન, આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન એ પાંચ પદોમાં બીજા સિવાયના ત્રણ ભંગો. બાકીના માં ચાર ભંગો. મનુષ્યોને જીવ માફક કહેવા. માત્ર સમ્યત્વ ઔધિક જ્ઞાન, આભિનિબોધિક જ્ઞાન-શ્રુતજ્ઞાનઅવધિજ્ઞાનમાં બીજા સિવાયના ભંગો છે, બાકી પૂર્વવત્. વ્યંતર, જ્યોતિષ્ક વૈમાનિક ત્રણે અસુરકુમારવત્ જાણવા. નામ, ગોત્ર, અંતરાય ત્રણે જ્ઞાનાવરણીય માફક કહેવી. ભગવન! તે એમ જ છે, એમ જ છે, યાવતુ વિચરે છે. શતક-૨૬, ઉદ્દેશો-૨ સૂત્ર-૯૮૧ ભગવન્! અનંતરોપપન્નક નૈરયિકે પાપકર્મ બાંધ્યો ? તે પ્રમાણે જ ગૌતમ ! કોઈક બાંધે. પહેલો-બીજો ભંગ. ભગવનું ! સલેશ્યી અનંતરોપપન્નક નૈરયિક પાપકર્મ બાંધ૦ પ્રશ્ન ? ગૌતમ! પહેલો, બીજો ભંગ. એ રીતે સર્વત્ર પહેલો-બીજો ભંગ. વિશેષ એ - સમ્યત્વ મિથ્યાત્વ, મનોયોગ, વચનયોગ ન પૂછવો. એ રીતે સ્વનિતકુમાર પર્યન્ત કહેવું. બેઇન્દ્રિય-તેઇન્દ્રિય-ચતુરિન્દ્રિયને વચનયોગ ન કહેવો. પંચેન્દ્રિય તિર્યંચોને પણ સમ્યત્વ મિથ્યાત્વ, અવધિજ્ઞાન, વિભંગ જ્ઞાન, મનોયોગ, વચનયોગ એ પાંચ પદો ન કહેવા. મનુષ્યોમાં અલેશ્યત્વ, મિશ્રદષ્ટિ, મન:પર્યવજ્ઞાન,કેવળજ્ઞાન,વિર્ભાગજ્ઞાન,નોસંજ્ઞોપયુક્ત, અવેદક, અકષાયી, મનોયોગી, વચનયોગી, અયોગી આ અગિયાર પદો ન કહેવા, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકને નૈરયિકોવત્ કહેવા. પૂર્વોક્ત ત્રણ પદ ન કહેવા. બાકીના જે સ્થાનો, તેમાં સર્વત્ર પહેલો-બીજો ભંગ કહેવો. એકેન્દ્રિયોને સર્વત્ર પ્રથમબીજો ભંગ કહેવા. પાપકર્મમાં કહ્યા મુજબ જ્ઞાનાવરણીય કર્મનો દંડક કહેવો. એ રીતે આયુને વર્જીને અંતરાયકર્મ સુધી દંડક કહેવા. ભગવન્અનંતરોપપન્નક નૈરયિકે શું આયુકર્મ બાંધ્યું છે. પ્રશ્ન ? ગૌતમ! બાંધ્યું છે, બાંધતો નથી, બાંધશે. ભગવદ્ ! સલેક્શી અનંતરોપપન્નક નૈરયિકે શું આયુકર્મ બાંધ્યું ? પૂર્વવત્ ત્રીજો ભંગ. એ રીતે યાવત્. અનાકારોપયુક્ત, સર્વત્ર ત્રીજો ભંગ, એ પ્રમાણે મનુષ્ય વર્જીને યાવતુ વૈમાનિક કહેવું. મનુષ્યોને સર્વત્ર ત્રીજા-ચોથો ભંગ કહેવો. માત્ર કૃષ્ણ-પાક્ષિકમાં ત્રીજો ભંગ કહેવો. બધામાં ભિન્નતા પૂર્વવતુ. ભગવન્! તે એમ જ છે, એમ જ છે. શતક-૨૬, ઉદ્દેશો-૩ સૂત્ર-૯૮૨ ભગવન્પરંપરાત્પન્ન નૈરયિકે પાપકર્મ બાંધ્ય પ્રશ્ન ? ગૌતમ ! કેટલાકે પહેલો, બીજો ભંગ. જેમ ઉદ્દેશા૧ માં કહ્યું, તેમ આ ઉદ્દેશો પણ કહેવો. નૈરયિકોના તે રીતે જ નવ દંડક કહેવા. આઠ કર્મપ્રકૃતિમાં જેને જે કર્મની વક્તવ્યતા હોય તે તેને અન્યૂનાધિક જાણવી યાવત્ અનાકારોપયુક્ત વૈમાનિક. ભગવન્! તે એમ જ છે. એમ જ છે. શતક-૨૬, ઉદ્દેશો-૪ થી 11 સૂત્ર-૯૮૩ થી 90 983. ભગવન્! અનંતરાવગાઢ નૈરયિકે પાપકર્મ બાંધેલુ0 પ્રશ્ન ? ગૌતમ! કેટલાકે બાંધ્યું. એ પ્રમાણે જેમ અનંતરોત્પન્નકના નવ દંડક સહિતનો ઉદ્દેશો કહેલો, તેમ અનંતરાવગાઢ પણ અન્યૂનાધિક નૈરયિક યાવત્ વૈમાનિક સુધી કહેવો. ભગવદ્ ! તે એમ જ છે. 4. 984. ભગવન્! પરંપરાવગાઢ નૈરયિકે પાપકર્મ બાંધેલો પ્રશ્ન ? પરંપરોત્પન્ન ઉદ્દેશા સમાન સંપૂર્ણ કહેવું. ભગવન્! તેમજ છે. 5. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 202
SR No.035606
Book TitleAgam 05 Bhagwati 02 Gujarati Translation
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2020
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_bhagwati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy