________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5 “ભગવતીસૂત્ર ભાગ-૨’ 985. ભગવન્! અનંતરાહારક નૈરયિકે પાપકર્મ બાંધેલુ0 પ્રશ્ન ? ગૌતમ! અનંતરોત્પન્ન ઉદ્દેશા મુજબ સંપૂર્ણ કહેવું. - 8.6. - 986. ભગવદ્ ! પરંપરાહારક નૈરયિકે પાપકર્મ બાંધેલુ. પ્રશ્ન ? ગૌતમ! પરંપરાત્પન્ન ઉદ્દેશા મુજબ સંપૂર્ણ કહેવું. - 8. 7. - 987. ભગવન્! અનંતર પર્યાપ્તક નૈરયિકે પાપકર્મ બાંધેલો પ્રશ્ન? ગૌતમ! અનંતરોત્પન્ન ઉદ્દેશા મુજબ સંપૂર્ણ કહેવું. - 4, 8. 988. ભગવદ્ ! પરંપર પર્યાપ્તક નૈરયિકે પાપકર્મ બાંધેલો પ્રશ્ન ? ગૌતમ! પરંપરાત્પન્ન ઉદ્દેશા મુજબ સંપૂર્ણ કહેવું. - 8-9. 989. ભગવન્! ચરમ નૈરયિકે પાપકર્મ બાંધેલ૦ પ્રશ્ન ? ગૌતમ! પરંપરાત્પન્ન ઉદ્દેશા મુજબ અહીં સંપૂર્ણ કહેવું. ભગવદ્ ! તે એમ જ છે, એમ જ છે યાવત્ વિચરે છે. 10. 990. ભગવન્! અચરમ નૈરયિકે શું પાપકર્મ બાંધેલુ આદિ પ્રશ્ન ? ગૌતમ! કેટલાકે એ પ્રમાણે જેમ પહેલો ઉદ્દેશો તેમ પહેલો-બીજો ભંગ સર્વત્ર પંચેન્દ્રિય તિર્યંચયોનિક સુધી કહેવું. ભગવદ્ ! અચરમ મનુષ્ય શું પાપકર્મ બાંધેલો પ્રશ્ન. ગૌતમ ! કેટલાકે બાંધેલુ, બાંધે છે, બાંધશે. કેટલાકે બાંધેલુ, બાંધે છે, બાંધશે નહીં. કેટલાકે બાંધેલુ, બાંધતા નથી, બાંધશે. ત્રણ ભંગ. ભગવદ્ ! સલેશ્યી અચરમ મનુષ્ય શું પાપકર્મ બાંધેલું ? પૂર્વવત્ છેલ્લા ભંગને છોડીને ત્રણ ભંગ ઉદ્દેશા-1-સમાન કહેવા. વિશેષ એ કે - જે વીસ પદોમાં ચાર ભંગ છે, તેમાં અહીં છેલ્લા ભંગને છોડીને પહેલાના ત્રણ ભંગો કહેવા. અલેશ્યી, કેવળજ્ઞાની, અયોગી આ. ત્રણેમાં પ્રશ્ન ન કરવો. બાકી પૂર્વવત્. વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક વિશે નૈરયિક સમાન કહેવુ. ભગવદ્ ! અચરમ નૈરયિકે શું જ્ઞાનાવરણીય કર્મ બાંધેલુ? ગૌતમ ! પાપકર્મ સમાન અહીં કહેવું. વિશેષ એ કે - મનુષ્યોમાં સકષાયી અને લોભકષાયીમાં પહેલો, બીજો ભંગ કહેવો અને બાકીના અઢાર પદોમાં છેલ્લા ભંગને છોડીને ત્રણ ભંગ શેષ સર્વત્ર વૈમાનિક પર્યન્ત પૂર્વવતુ. દર્શનાવરણીય કર્મમાં એ પ્રમાણે જ બધું કહેવું. વેદનીયમાં સર્વત્ર પણ પહેલો, બીજો ભંગ વૈમાનિક સુધી કહેવો. માત્ર મનુષ્યોમાં અલેશ્યી, કેવળી, અયોગી હોતા નથી. ભગવન્! અચરમ નૈરયિકે મોહનીયકર્મ બાંધેલ૦ ? ગૌતમ! પાપકર્મ માફક બધું જ વૈમાનિક પર્યન્ત કહેવું. ભગવન્! અચરમ નૈરયિકે આયુકર્મ બાંધેલું ? પ્રશ્ન. ગૌતમ! પહેલો, બીજો ભંગ કહેવો. આ પ્રમાણે નૈરયિકોના. બહુવચના સર્વે પદોમાં પહેલો, ત્રીજો ભંગ કહેવો. માત્ર સમ્યમિથ્યાત્વમાં ત્રીજો ભંગ કહેવો. આ પ્રમાણે સ્વનિતકુમાર સુધી કહેવું. પૃથ્વી, અપુ, વનસ્પતિકાયિકમાં તેજોલેશ્યામાં ત્રીજો ભંગ બાકીના પદોમાં સર્વત્ર પહેલો, ત્રીજો ભંગ કહેવો. તેલ, વાયુમાં સર્વત્ર પહેલા ત્રણ ભંગો, બે-ત્રણ-ચાર ઇન્દ્રિયોમાં એ પ્રમાણે જ કહેવું. માત્ર સમ્યત્વ, અવધિજ્ઞાન, આભિનિબો-ધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન એ ચાર સ્થાનોમાં ત્રીજો ભંગ કહેવો. પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં સમ્યકુ મિથ્યાત્વમાં ત્રીજો ભંગ. બાકીના પદોમાં સર્વત્ર પહેલો, ત્રીજો ભંગ. મનુષ્યોમાં સમ્યમિથ્યાત્વ, અવેદક, અકષાયમાં ત્રીજો ભંગ. અલેશ્યી, કેવળજ્ઞાન, અયોગીમાં ન પૂછવું. બાકી પદોમાં સર્વત્ર પહેલો-ત્રીજો ભંગ. વ્યંતર-જ્યોતિષ્કવૈમાનિકોને નૈરયિકવત્ જાણવા. નામ, ગોત્ર અને અંતરાયકર્મમાં સંપૂર્ણ જ્ઞાનાવરણીય માફક જ કહેવું. ભગવન્! તે એમ જ છે એમ જ છે કહી યાવત્ વિચરે છે. શતક-૨૬ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 203