SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક-૨૭ શતક-૨૭, ઉદ્દેશો-૧ થી 11 સૂત્ર-૯૧ ભગવદ્ ! જીવે પાપકર્મ કર્યું, કરે છે, કરશે ? કર્યું છે, કરે છે, કરશે નહીં ? કર્યું છે, કરતો નથી, કરશે ? કર્યું છે, કરતો નથી, કરશે નહીં? ગૌતમ! કેટલાકે કર્યું છે, કરે છે, કરશે. કેટલાકે કર્યું છે, કરે છે, કરશે નહીં. કેટલાકે કર્યું છે, કરતો નથી, કરશે. કેટલાકે કર્યું છે, કરતો નથી, કરશે નહીં. ભગવન્! સલેશ્યી જીવ પાપકર્મ એ પ્રમાણે આ આલાવાથી જેમ શતક-૨૬માં વક્તવ્યતા છે, તે સંપૂર્ણ અહીં કહેવી. તે રીતે જ નવ દંડકો સહિત ૧૧-ઉદ્દેશા કહેવા. “કર્યુ છે'. શતક-૨૭ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૨૮ શતક-૨૮, ઉદ્દેશો-૧ સૂત્ર-૯૨ ભગવન્જીવોએ ક્યાં પાપકર્મનું સમર્થન કર્યું અને ક્યાં આચરણ કર્યું? ગૌતમ! બધા જીવો તિર્યંચયોનિકો માં હતા.અથવા તિર્યંચયોનિ અને નૈરયિકોમાં હતા.અથવા તિર્યંચયોનિક અને મનુષ્યોમાં હતા. અથવા તિર્યંચયોનિક અને દેવોમાં હતા.અથવા તિર્યંચયોનિક, મનુષ્ય અને દેવોમાં હતા.અથવા તિર્યંચ, મનુષ્ય અને નારકમાં હતા.અથવા તિર્યંચ, નરક, દેવોમાં હતા.અથવા તિર્યંચ, નૈરયિક, મનુષ્ય, દેવોમાં હતા. તે તે ગતિમાં સમર્જન અને આચરણ કર્યું ભગવન્! સલેશ્યી જીવો પાપકર્મ ક્યાં સમાર્જન કરે, ક્યાં આચરે? પૂર્વવતું. એ રીતે કૃષ્ણલેશ્યી યાવત્ અલેશ્યી, કૃષ્ણપાક્ષિક, શુક્લપાક્ષિક, એ પ્રમાણે યાવત્ અનાકારોપયુક્ત કહેવા. ભગવદ્ ! નૈરયિકોએ પાપકર્મનું સમાર્જન ક્યાં કર્યુ સમાચરણ ક્યાં કર્યુ? ગૌતમ! બધા જીવો તિર્યંચયોનિમાં હતા ઇત્યાદિ આઠ ભંગ પૂર્વવત્ કહેવા. એ રીતે સર્વત્ર આઠ ભંગો અનાકારોપયુક્ત સુધી કહેવા. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. એ રીતે જ્ઞાનાવરણીય યાવત્ અંતરાય સુધી કહેવું. આ જ પ્રમાણે જીવાદિથી વૈમાનિક પર્યન્ત નવ દંડકો થાય છે. ભગવદ્ ! તે એમ જ છે 2. યાવત્ વિચરે છે. શતક-૨૮, ઉદ્દેશો-૨ સૂત્ર-૯૩ ભગવદ્ ! અનંતરોપપન્નક નૈરયિકે પાપકર્મ ક્યાં ગ્રહણ કર્યુ ? ક્યાં આચરણ કર્યુ ? ગૌતમ! તે બધા. તિર્યંચયોનિક માં હતા, એ પ્રમાણે અહીં પણ આઠ ભંગો છે. એ પ્રમાણે અનંતરોપપન્નક નૈરયિકોને જેને જે લેગ્યાથી અનાકારોપયોગ પર્યન્ત હોય, તે બધું જ અહીં ભજનાથી વૈમાનિક પર્યન્ત કહેવું. વિશેષ એ કે - અનંતરમાં જે છોડવા યોગ્ય છે, તે - તે બોલ બંધિશતક માફક અહીં પણ છોડી દેવા. એ પ્રમાણે જ્ઞાનાવરણીય કર્મથી અંતરાય કર્મ સુધી બધા દંડક સંપૂર્ણ કહેવા. નવ દંડક સહિત આ ઉદ્દેશો કહેવો. શતક-૨૮, ઉદ્દેશો-૩ થી 11 સૂત્ર-૯૪ એ પ્રમાણે આ ક્રમથી જેમ બંધિ શતકમાં ઉદ્દેશકોની પરિપાટી છે, તેમજ અહીં પણ આઠ અંગોમાં જાણવી. વિશેષ એ કે- જે બોલ જેમાં હોય, તે તેમાં કહેવો યાવતુ અચરમ ઉદ્દેશો. આ બધા થઈને ૧૧-ઉદ્દેશા છે. | શતક-૨૮ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ ... મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 204
SR No.035606
Book TitleAgam 05 Bhagwati 02 Gujarati Translation
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2020
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_bhagwati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy