Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ કર્મભૂમિમાં હોય, અકર્મભૂમિમાં ન હોય, બકુશ માફક કહેવા. એ પ્રમાણે છેદોપસ્થાપનીય પણ કહેવા, પરિહાર વિશુદ્ધિકને પુલાવત્ કહેવા. બાકીના સામાયિક સંયતવત્ જાણવા. સૂત્ર-૯૪ થી 947 944. ભગવદ્ ! સામાયિક સંયત શું અવસર્પિણીકાળે હોય, ઉત્સર્પિણીકાળે હોય કે નોઅવસર્પિણીનોઉત્સર્પિણી કાળે હોય ? ગૌતમ ! અવસર્પિણી કાળે બકુશવત્ કહેવું. એ રીતે છેદોપસ્થાપનીયમાં પણ કહેવુ. માત્ર જન્મ અને સદ્ભાવ આશ્રીને ચાર આરામાં નથી હોતા, સંહરણની અપેક્ષાએ કોઈપણ પલિભાગ (આરા)માં હોય છે. બાકી પૂર્વવત્. પરિવાર વિશુદ્ધિમાં પ્રશ્ન? ગૌતમ! અવસર્પિણી કે ઉત્સર્પિણી કાળમાં હોય છે. નોઅવસર્પિણી-નોઉત્સર્પિણી. કાળમાં નથી હોતા. અવસર્પિણી કાળમાં હોય તો પુલાકવતું જાણવા, ઉત્સર્પિણી કાળમાં પણ મુલાકવત્ છે. સૂક્ષ્મસંપરાય, નિર્ચન્વવત્ છે. એ રીતે યથાખ્યાત પણ છે. 945. ભગવન્! સામાયિક સંયત કાલધર્મ પામીને કઈ ગતિમાં જાય છે ? દેવગતિમાં જાય. દેવગતિમાં જાય તો શું ભવનપતિમાં ઉપજે કે વ્યંતર, જ્યોતિષ્ક કે વૈમાનિકમાં ઉપજ ? ગૌતમ ! ભવનપતિમાં ન ઉપજે, આદિ કષાયકુશીલ વત્ કહેવું. એ પ્રમાણે છેદોપસ્થાપનીયમાં કહેવું. પરિહાર વિશુદ્ધિકને પુલાકવત્ કહેવા. સૂક્ષ્મસંપરાયને નિર્ચન્વવત્ કહેવા. યથાખ્યાત વિશે પ્રશ્ન ? ગૌતમ! એ પ્રમાણે યથાખ્યાતસંયત પણ યાવત્ અજઘન્યોત્કૃષ્ટ અનુત્તર વિમાનોમાં ઉપજે, કોઈક સિદ્ધ થાય, યાવત્ સર્વે દુઃખોનો અંત કરે છે. ભગવન્! સામાયિક સંયત, દેવલોકમાં ઉપજતા શું ઇન્દ્રપણે ઉપજે પ્રશ્ન ? ગૌતમ ! અવિરાધનાને આશ્રીને, કષાયકુશીલમાં કહ્યા મુજબ જાણવુ. એ પ્રમાણે છેદોપસ્થાપનીય પણ કહેવા. પરિહારવિશુદ્ધિકને પુલાકવત્ કહેવા. બાકીના બધાને નિર્ચન્વવત્ કહેવા. ભગવદ્ સામાયિક સંયતને દેવલોકમાં ઉપજતા કેટલો કાળ સ્થિતિ હોય છે ? ગૌતમ! જઘન્યથી બે પલ્યોપમ, ઉત્કૃષ્ટ ૩૩-સાગરોપમ. એ પ્રમાણે છેદોપસ્થાપનીયને કહેવા. પરિહાર વિશુદ્ધિકનો પ્રશ્ન ? ગૌતમ ! જઘન્યથી બે પલ્યોપમ, ઉત્કૃષ્ટથી 18 સાગરોપમ. બાકી નિર્ચન્જ પ્રમાણે. 946. ભગવદ્ ! સામાયિક સંયતને કેટલા સંયમસ્થાનો છે ? ગૌતમ ! અસંખ્ય સંયમસ્થાનો છે. એ રીતે યાવત્ પરિહાર વિશુદ્ધિકને કહેવા. સૂક્ષ્મ સંપરાય વિશે પ્રશ્ન ? ગૌતમ ! અસંખ્ય અંતર્મુહૂર્ત સમય સમાન. યથાવાતા સંયત વિશે પ્રશ્ન ? ગૌતમ! એક અજઘન્યોત્કૃષ્ટ સંયમસ્થાન. ભગવન્! આ સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિક, સૂક્ષ્મ સંપરાય, યથાખ્યાત સંયતોના સંયમ સ્થાનોમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડા યથાખ્યાત સંયતના એક અજઘન્ય-ઉત્કૃષ્ટ સંયમ સ્થાન છે, સૂક્ષ્મ સંપરાય સંયતના અંતર્મુહૂર્તિક સંયમ સ્થાન અસંખ્યાતગણા છે. પરિવાર વિશુદ્ધિક સંયતના સંયમ સ્થાન અસંખ્યાતગણા છે. સામાયિક સંયતના અને છેદોપસ્થાપનીય સંયતના સંયમસ્થાનો તુલ્ય અને અસંખ્યાતગણા છે. 947. ભગવનું ! સામાયિક સંયતના કેટલા ચારિત્રપર્યવો છે ? ગૌતમ ! અનંતા ચારિત્રપર્યવો છે. એ પ્રમાણે યાવત્ યથાખ્યાત સંયતના છે. ભગવન્! સામાયિક સંયત, સામાયિક સંયતના સ્વસ્થાન સંનિકર્ષ ચારિત્રપર્યવોથી શું હીન-તુલ્ય કે અધિક છે ? ગૌતમ! કદાચ હીન-છ સ્થાન પતિત. ભગવદ્ ! સામાયિક સંયત છેદોપસ્થાપનીય પરસ્થાન સંનિકર્ષ, ચારિત્રપર્યવોથી પ્રશ્ન ? ગૌતમ! કદાચ હીન-છ સ્થાન પતિત. એ પ્રમાણે પરિવાર વિશુદ્ધિકના પણ જાણવા. ભગવદ્ ! સામાયિક સંયત, સૂક્ષ્મ સંપરાય સંયતના પરસ્થાન સંનિકર્ષથી ચારિત્રપર્યવમાં પૃચ્છા. ગૌતમ! મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 192