Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5 “ભગવતીસૂત્ર ભાગ-૨' જો સવેદી હોય તો કષાયકુશીલવતું બધું કહેવું. એ પ્રમાણે છેદોપસ્થાપનીય સંયત જાણવા. પરિહાર વિશુદ્ધિક સંયતને પુલાકવતુ જાણવા. સૂક્ષ્મ સંપરાય સંયત અને યથાખ્યાત સંયત બંનેને નિર્ચન્થ સમાન જાણવા. ભગવન્સામાયિક સંયત, શું સરાગ હોય કે વીતરાગ હોય ? ગૌતમ ! તે સરાગ હોય, વીતરાગ નહીં. એ પ્રમાણે સૂક્ષ્મ સંપરાય સંયત સુધી કહેવું. યથાખ્યાત સંયતને નિર્ચન્થને સમાન કહેવા. ભગવન્! સામાયિક સંયત, શું સ્થિતકલ્પમાં હોય કે અસ્થિત કલ્પમાં હોય ? ગૌતમ! સ્થિતકલ્પમાં પણ હોય, અસ્થિતકલ્પમાં પણ હોય. છેદોપસ્થાપનીય સંયતનો પ્રશ્ન ? ગૌતમ! સ્થિતકલ્પમાં હોય, અસ્થિતકલ્પમાં ના હોય, એ પ્રમાણે પરિહારવિશુદ્ધિ કહેવા. બાકીના સામાયિક સંયતવતું જાણવા. ભગવદ્ ! સામાયિક સંયત, શું જિનકલ્પમાં હોય, સ્થવિર કલ્પમાં હોય કે કલ્પાતીત હોય ? ગૌતમ ! કષાયકુશીલ માફક સંપૂર્ણ કહેવા. છેદોપસ્થાપનીય અને પરિહારવિશુદ્ધિક બકુશ માફક કહેવા. બાકીના નિર્ચન્થ માફક કહેવા. 943. ભગવદ્ ! સામાયિક સંયત શું પુલાક હોય યાવત્ સ્નાતક હોય ? ગૌતમ ! પુલાક, બકુશ યાવત્ કષાય-કુશીલ હોય, પણ નિર્ચન્થ કે સ્નાતક ન હોય. એ પ્રમાણે છેદોપસ્થાપનીય જાણવા. પરિહારવિશુદ્ધિક સંયતા વિશે પ્રશ્ન ? ગૌતમ! પુલાક, બકુશ કે પ્રતિસેવના કુશીલ ન હોય પણ કષાયકુશીલ હોય, નિર્ચન્થ કે સ્નાતક ન હોય. એ પ્રમાણે સૂક્ષ્મ-સંપરાય પણ જાણવા. યથાખ્યાત સંયત વિશે પ્રશ્ન ? ગૌતમ! પુલાક યાવત્ કષાયકુશીલ ન હોય. નિર્ચન્થ કે સ્નાતક હોય. ભગવન્! સામાયિક સંયત, શું પ્રતિસેવી હોય કે અપ્રતિસેવી ? ગૌતમ ! પ્રતિસેવી હોય, અપ્રતિસવી ન હોય. જો પ્રતિસેવી હોય તો શું મૂલગુણ પ્રતિસેવી હોય? બાકી પુલાક મુજબ કહેવું. છેદોપસ્થાપનીય સંયતને સામાયિક સંયત માફક જાણવા. પરિહાર વિશુદ્ધિ સંયત વિશે પ્રશ્ન ? ગૌતમ ! પ્રતિસવી ન હોય, અપ્રતિસેવી હોય. એ પ્રમાણે યથાખ્યાત સંયત સુધી કહેવું. ભગવન્! સામાયિક સંયત કેટલા જ્ઞાનમાં હોય ? બે, ત્રણ કે ચાર જ્ઞાનમાં હોય. એ રીતે જેમ કષાયકુશીલ કહ્યા, તેમ ચાર જ્ઞાન ભજનાએ કહેવા. એ પ્રમાણે યાવત્ સૂક્ષ્મસંપરાય કહેવા. યથાખ્યાત સંયતને પાંચ જ્ઞાના ભજનાએ જ્ઞાનોદ્દેશક મુજબ કહેવા. ભગવન ! સામાયિક સંયત, કેટલું શ્રુત ભણે ? ગૌતમ! જઘન્યથી અષ્ટ પ્રવચન માતા, કષાયકુશીલમાં કહ્યા મુજબ કહેવું. એ પ્રમાણે છેદોપસ્થાપનીય કહેવા. પરિહાર વિશુદ્ધિ સંયત વિશે પ્રશ્ન? ગૌતમ ! જઘન્યથી નવમાં પૂર્વની. બીજી આચાર વસ્તુ, ઉત્કૃષ્ટથી અસંપૂર્ણ દશ પૂર્વો ભણે. સૂક્ષ્મ સંપરાય સામાયિક સંયત મુજબ કહેવા. યથાખ્યાત સંયતનો પ્રશ્ન ? ગૌતમ! જઘન્યથી અષ્ટપ્રવચન માતા, ઉત્કૃષ્ટથી ચૌદ પૂર્વે કે શ્રુતવ્યતિરિક્ત હોય. ભગવન્! સામાયિક સંયત શું તીર્થમાં હોય કે અતીર્થમાં ગૌતમ! તીર્થમાં હોય, અતીર્થમાં પણ હોય, કષાયકુશીલવત્ કહેવા. છેદોપસ્થાપનીય અને પરિહારવિશુદ્ધિક પુલાવત્ કહેવા. બાકીના સંયતોને સામાયિક સંયત માફક કહેવા. ભગવન્! સામાયિક સંયત, શું સ્વલિંગ હોય, અન્ય લિંગ હોય કે ગૃહી લિંગે હોય ? પુલાક માફક કહેવા. એ પ્રમાણે છેદોપસ્થાપનીય પણ કહેવા. ભગવન્! પરિવાર વિશુદ્ધિક સંયત વિશે પ્રશ્ન? ગૌતમ! તે દ્રવ્યલિંગ અને ભાવલિંગની અપેક્ષાએ સ્વલિંગી હોય, અન્યલિંગી કે ગૃહીલિંગી ન હોય. બાકીના સંયતો, સામાયિક સંયતવત્ કહેવા. ભગવન્! સામાયિક સંયત કેટલા શરીરી હોય ? ગૌતમ! ત્રણ, ચાર કે પાંચ. કષાયકુશીલમાં કહ્યા મુજબ જાણવા, એ પ્રમાણે છેદોપસ્થાપનીયને પણ કહેવા. બાકીના સંયત પુલાકવત્ કહેવા. ભગવન્! સામાયિક સંયત શું કર્મભૂમિમાં હોય, અકર્મભૂમિમાં હોય ? ગૌતમ ! જન્મ અને સદ્ભાવને આશ્રીને મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 191