Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' 958. આકંપ્ય, અનુમાન્ય, દૃષ્ટ, બાદર, સૂક્ષ્મ, પ્રચ્છન્ન, શબ્દાકુલ, બહુજન, અવ્રત, તત્સવી. (આ દશે આલોચનાની ગંભીરતા સમજી અત્રે તેના અર્થો આપેલ નથી) 59. દશ સ્થાને સંપન્ન અણગાર પોતાના દોષોની આલોચના કરવાને યોગ્ય હોય છે - જાતિસંપન્ન, કુલ સંપન્ન, વિનયસંપન્ન, જ્ઞાનસંપન્ન, દર્શનસંપન્ન, ચારિત્રસંપન્ન, શાંત, દાંત, અમાયી, અપશ્ચાતાપી. આઠ સ્થાનોથી સંપન્ન અણગાર આલોચના દેવાને યોગ્ય છે - આચારવાનું, આધારવાનું, વ્યવહારવાનું, અપવ્રીડક, પ્રફર્વક, અપરિસાવી, નિર્યાપક, અપાયદર્શી. સૂત્ર-૯૬૦ થી 962 960. સામાચારી દશ પ્રકારે છે, તે આ પ્રમાણે - 961. ઈચ્છાકાર, મિથ્યાકાર, તથાકાર, આવશ્યકી, નૈષધિકી, આપૃચ્છના, પ્રતિપ્રચ્છના, છંદણા, નિમંત્રણા, ઉપસંપદા. દશ સામાચારી છે. 962. પ્રાયશ્ચિત્ત દશ ભેદે છે - આલોચનાર્દ, પ્રતિક્રમણાઉં, તદુભયાઈ, વિવેકાર્ડ, વ્યુત્સર્ગોહં, તપાઉં, છેદાઉં, મૂલાઉં, અનવસ્થાપ્યાર્ડ અને પારાંચિકાઉં. સૂત્ર-૯૬૩ થી 969 963. તપ બે ભેદે છે - બાહ્ય અને અત્યંતર. તે બાહ્ય તપ શું છે? બાહ્ય તપ છ ભેદે છે. તે આ પ્રમાણે - 964. અનશન, ઉણોદરી, ભિક્ષાચર્યા, રસપરિત્યાગ, કાયક્લેશ અને પ્રતિસલીનતા. આ છ બાહ્ય તપ છે. 965. તે અનશન શું છે? બે ભેદે છે - ઇત્વરિક, યાવત્કથિત. તે ઇ–રિક અનશન શું છે ? અનેક ભેદે છે, તે આ - ચતુર્થભક્ત, છઠ્ઠ ભક્ત, અઠ્ઠમભક્ત, દશમ ભક્ત, બારસ ભક્ત, ચૌદશ ભક્ત, અર્ધમાસિક ભક્ત, માસિક ભક્ત, બેમાસિક ભક્ત, ત્રિમાસિક ભક્ત યાવત્ છ માસિક. તે યાવત્કથિત શું છે? બે ભેદે છે - પાદપોપગમન, ભક્તપ્રત્યાખ્યાન. તે પાદપોપગમન શું છે ? બે ભેદે - નીહરિમ, અનીર્ધારિમ. આ બંને નિયમથી અપ્રતિકર્મ છે. તે ભક્ત પ્રત્યાખ્યાન શું છે ? બે ભેદે છે - નીરિમ, અનીહરિમ, આ બંને નિયમા સપ્રતિકર્મ છે. તે આ ભક્ત પ્રત્યાખ્યાન છે, તે આ યાવત્કથિત છે, તે આ અનશન છે. તે અવમોદરિકા શું છે? બે ભેદે છે - દ્રવ્ય અવમોદરિકા અને ભાવ અવમોદરિકા. તે દ્રવ્ય અવમોદરિકા શું છે? બે ભેદે છે - ઉપકરણ દ્રવ્ય અવમોદરિકા અને ભોજન-પાન દ્રવ્ય અવમોદરિકા. તે ઉપકરણ દ્રવ્ય અવમોદરિકા શું છે? એક વસ્ત્ર, એક પાત્ર અને ત્યક્ત ઉપકરણ-સ્વદનતા અર્થાતા ગૃહસ્થપૂર્ણ ઉપયોગ કરી છોડી દીધેલા ઉપકરણ ગ્રહણ કરવા તે . તે ઉપકરણ દ્રવ્ય અવમોદરિકા છે. તે ભોજન-પાન દ્રવ્ય અવમોદરિકા શું છે ? કુકડીના ઇંડા પ્રમાણ આઠ કવલ આહાર કરવો તે અલ્પાહાર, બાર કવલ૦ આદિ જેમ શતક-૭ના ઉદ્દેશા-૧માં કહ્યું તેમ યાવત્ પ્રકામરસભોજી હોતા નથી એમ કહી શકાય છે. તે આ ભોજન-પાન-અવમોદરિકા, તે આ દ્રવ્ય-અવમોદરિકા છે. તે ભાવ-અવમોદરિકા શું છે ? તે અનેક ભેદે છે - અલ્પક્રોધ યાવત્ અલ્પલોભ, અલ્પશબ્દ, અલ્પઝંઝા, અલ્પ તું-તું, તે ભાવમોદરિકા. તે ભિક્ષાચર્યા શું છે ? તે અનેક ભેદે છે - દ્રવ્યાભિગ્રહચરક, આદિ જેમ ઉવવાઈ સૂત્રમાં કહ્યું તેમ યાવતું શુદ્ધ એષણીય સંવાદત્તિક. તે રસપરિત્યાગ શું છે ? અનેકવિધ છે. વિગઈ રહિતતા, પ્રણીત રસવર્જન આદિ જેમ ઉજવાઈમાં છે, તેમ ચાવત્ રક્ષાહાર કહેવું તે રસપરિત્યાગ. તે કાયક્લેશ શું છે ? તે અનેક ભેદે છે - સ્થાનાયતિગ(ઉભા રહેવું), ઉકુટુક આસનિક આદિ જેમ ઉવવાઈ સૂત્રમાં છે તેમ કહેવું. યાવત્ શરીરના સર્વ સંસ્કાર અને શોભાનો ત્યાગ કરવો). તે આ કાયક્લેશ કહ્યો. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 196