Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 197
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5 “ભગવતીસૂત્ર ભાગ-૨' તે પ્રતિસલીનતા શું છે ? તે ચાર ભેદે છે - ઇન્દ્રિય પ્રતિસલીનતા, કષાય પ્રતિસંલીનતા, યોગપ્રતિસલીનતા, વિવિક્ત શયનાસન સેવનતા. તે ઇન્દ્રિય પ્રતિસંલીનતા શું છે ? પાંચ ભેદે છે -શ્રોત્રેન્દ્રિય વિષય પ્રચાર નિરોધ અથવા શ્રોત્રેન્દ્રિય વિષય પ્રાપ્ત પદાર્થોમાં રાગદ્વેષ નિગ્રહ. એ પ્રમાણે યાવત્ સ્પર્શનેન્દ્રિય વિષય પ્રચાર નિરોધ અથવા સ્પર્શનેન્દ્રિય વિષય પ્રાપ્ત પદાર્થોમાં રાગદ્વેષ નિગ્રહ. તે ઇન્દ્રિય પ્રતિસંલીનતા છે. તે કષાય પ્રતિસંલીનતા શું છે? તે ચાર ભેદે છે - ક્રોધોદય નિરોધ અથવા ઉદય પ્રાપ્ત ક્રોધને વિફળ કરવો, એ પ્રમાણે યાવત્ લોભોય નિરોધ અથવા ઉદય પ્રાપ્ત લોભને વિફળ કરવો. તે કષાયપ્રતિસંલીનતા છે. તે યોગ પ્રતિસંલીનતા શું છે ? તે ત્રણ ભેદે છે - મન-વચન-કાય યોગ પ્રતિસલીનતા. તેમાં અકુશલ મના નિરોધ અથવા કુશલમન ઉદીરણા અથવા મનને એકાગ્ર કરવું તે મનયોગ પ્રતિસંલીનતા છે. વચન યોગ પ્રતિસલીનતા ? અકુશલ વચન નિરોધ, અથવા કુશલ વચન ઉદીરણા અથવા વચનને એકાગ્ર કરવું. કાયયોગ પ્રતિસલીનતા ? સમ્યક્ પ્રકારે સમાધિપૂર્વક પ્રશાંતભાવથી હાથ-પગને સંકુચિત કરવા, કાચબા માફક ગુણેન્દ્રિયઆલીન-મલીન થઈને રહેવું. તે આ કાય પ્રતિસલીનતા છે, તે આ યોગ પ્રતિસલીનતા છે. તે વિવિક્ત શયનાસન સેવનતા શું છે ? તે, જે આરામમાં, ઉદ્યાનમાં જેમ સોમિલ ઉદ્દેશકમાં કહ્યું તેમ યાવતુ શય્યા સંસ્મારક સ્વીકારીને વિચરવું. તે વિવિક્ત શયનાસન સેવનતા, પ્રતિસલીનતા, બાહ્ય તપ છે. તે અત્યંતર તપ શું છે? છ ભેદે છે - પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ છે. તે પ્રાયશ્ચિત્ત શું છે? તે દશ ભેદે છે - આલોચનાé યાવત્ પારાંચિતાહં. તે આ પ્રાયશ્ચિત્ત છે. તે વિનય શું છે ? વિનય સાત ભેદે છે - જ્ઞાન વિનય, દર્શન વિનય, ચારિત્ર વિનય, મન વિનય, વચન વિનય, કાય વિનય, લોકોપચાર વિનય. તે જ્ઞાનવિનય શું છે પાંચ ભેદે છે - આભિનિબોધિકજ્ઞાન વિનય યાવત્ કેવળજ્ઞાન વિનય. તે આ જ્ઞાનવિનય છે. તે દર્શન વિનય શું છે ? બે ભેદે છે - શુશ્રુષા વિનય, અનાશાતના વિનય. તે શુશ્રુષા વિનય શું છે ? અનેક પ્રકારે છે. સત્કાર, સન્માન આદિ જેમ શતક-૧૪, ઉદ્દેશા-૩માં કહ્યા મુજબ યાવત્ પ્રતિસંસાધનતા. - . તે અનાશાતના વિનય શું છે? તે 45 ભેદે છે. તે આ પ્રમાણે - ૧.અરિહંતોની અનાશાતના, ૨.અરિહંત પ્રજ્ઞપ્ત ધર્મની અનાશાતના, ૩.આચાર્યની અનાશાતના, 4. ઉપાધ્યાયની અનાશાતના, 5. સ્થવિરની 6. કુળની. 7. ગણની૮. સંઘની 9. ક્રિયામાં 10. સાંભોગિકની 11. આભિનિબોધિક જ્ઞાનની યાવત્ 15. કેવળજ્ઞાનની અનાશાતના. આ પંદરની 1. ભક્તિ, 2. બહુમાન, 3. ગુણકીર્તન કરવું. એટલે 15 x 3 = 45 ભેદ થયા.. તે અનાશાતના વિનય, તે દર્શન વિનય છે. - તે ચારિત્રવિનય શું છે ? પાંચ ભેદે - સામાયિક ચારિત્રવિનય યાવતુ યથાખ્યાત ચારિત્રવિનય. તે આ ચારિત્ર વિનય છે. તે મન વિનય શું છે? બે ભેદે છે - પ્રશસ્ત મન વિનય અને અપ્રશસ્ત મન વિનય. તે પ્રશસ્ત મન વિનય શું છે ? સાત ભેદે છે. તે આ - અપાપક(ક્રોધાદિ પાપરહિત), અસાવદ્ય(નિરવદ્ય), અક્રિય(કાયિકી આદિ ક્રિયા રહિત), નિરૂપકલેશ(શોકાદિ કલેશ રહિત), અનાશ્રવકર(આશ્રવ રહિત), અચ્છવિકર(સ્વ પરની પીડા રહિત), અભૂતાભિશંકિત(જીવોને ભય ન કરનાર). તે આ પ્રશસ્ત મન વિનય છે. તે અપ્રશસ્ત મન વિનય શું છે ? તે સાત ભેદે છે. તે આ - પાપક, સાવદ્ય યાવત્ ભૂતાભિશંકિત, તે અપ્રશસ્ત વિનય, મન વિનય છે. તે વચન વિનય શું છે? બે ભેદે છે - પ્રશસ્ત વચન વિનય, અપ્રશસ્ત વચન વિનય. તે પ્રશસ્ત વચન વિનય મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 197

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240