Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' બકુશવતુ. આ પ્રમાણે પરિહારવિશુદ્ધિ સુધી જાણવુ. સૂક્ષ્મ સંપરાય સંયત વિશે પ્રશ્ન ? ગૌતમ ! આયુ અને મોહનીયા વજીને છ કર્મપ્રકૃતિ બાંધે. યથાખ્યાત સંયત સ્નાતક મુજબ છે. ભગવન્! સામાયિક સંયત કેટલી કર્મપ્રકૃતિઓ વેદે છે ? ગૌતમ ! નિયમા આઠ કર્મપ્રકૃતિને વેદે છે. એ પ્રમાણે સૂક્ષ્મસંપરાય સુધી જાણવુ. યથાખ્યાત વિશે પ્રશ્ન? ગૌતમ! સાત કે ચાર ભેદે વેદે. જો સાત ભેદે વેદે તો મોહનીયવર્જિત સાત કર્મપ્રકૃતિ વેદે, ચારને વેદતા વેદનીય, આયુ, નામ અને ગોત્ર એ ચાર કર્મપ્રકૃતિઓને વેદે છે. ભગવન્! સામાયિક સંયત, કેટલી કર્મપ્રકૃતિઓ ઉદરે છે ? ગૌતમ! સાત ભેદે બકુશવત્. એ પ્રમાણે પરિહાર-વિશુદ્ધિ સુધી કહેવું. સૂક્ષ્મ સંપરાય વિશે પ્રશ્ન ? ગૌતમ ! છ ભેદે કે પાંચ ભેદે ઉદીરે. છ ને ઉદીરતો આયુ અને વેદનીય સિવાયની છ કર્મપ્રકૃતિને ઉદીરે. પાંચને ઉદીરતો આયુ, વેદનીય, મોહનીય વર્જીને પાંચ કર્મપ્રકૃતિ ઉદીરે. યથાખ્યાત સંયત વિશે પ્રશ્ન ? ગૌતમ ! પાંચ ભેદે કે બે ભેદે ઉદીરે અથવા ન ઉદીરે. પાંચ ઉદીરતો આયુ બાકી બધું નિર્ચન્વવત્ કહેવું. 950. ભગવદ્ ! સામાયિક સંયત, સામાયિક સંયતપણાને છોડતો શું છોડે ? શું પ્રાપ્ત કરે ? ગૌતમ! સામાયિક સંયતત્વને છોડે છે અને છેદોપસ્થાપનીય કે સૂક્ષ્મ સંપરાય સંયત, અસંયત, સંયતાસંયતને પામે છે. છેદોપસ્થાપનીયનો પ્રશ્ન ? ગૌતમ! છેદોપસ્થાપનીય સંયતત્વ છોડે છે, સામાયિક-પરિહારવિશુદ્ધિસૂક્ષ્મસંપરાય-અસંયમ કે સંયમાસંયમ પ્રાપ્ત કરે છે. પરિહારવિશુદ્ધિ વિશે પ્રશ્ન ? ગૌતમ! પરિહારવિશુદ્ધિ સંયતત્વને છોડે છે. છેદોપસ્થાપનીય સંયમ કે અસંયમને પ્રાપ્ત કરે છે. સૂક્ષ્મસંપરાય વિશે પ્રશ્ન ? ગૌતમ! સૂક્ષ્મસંપરાયત્વને છોડે છે. સામાયિક સંયમ, છેદોપસ્થાપનીય સંયમ, યથાખ્યાત સંયમ કે અસંયમ પ્રાપ્ત કરે છે. યથાખ્યાત સંયત વિશે પ્રશ્ન ? ગૌતમ! યથાખ્યાત સંયતપણાને છોડે છે. સૂક્ષ્મ સંપરાય સંયમ, અસંયમ, સિદ્ધિગતિને પામે છે. 51. ભગવદ્ ! સામાયિક સંયત શું સંજ્ઞોપયુક્ત હોય ? નોસંજ્ઞોપયુક્ત હોય ? ગૌતમ! સંજ્ઞોપયુક્ત બકુશવત્ જાણવા. એ રીતે પરિહારવિશુદ્ધિ સુધી જાણવુ. સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત, પુલાકવત્ છે. ભગવદ્ ! સામાયિક સંયત શું આહારક હોય કે અનાહારક ? પુલાકવત્ જાણવુ. એ રીતે સૂક્ષ્મસંપરાય સુધી જાણવુ. યથાખ્યાત સંયતને સ્નાતક મુજબ જાણવા. ભગવન્! સામાયિક સંયત કેટલા ભવગ્રહણ કરે ? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ આઠ. એ પ્રમાણે છેદોપસ્થાપનીયને જાણવા. પરિહાર વિશુદ્ધિક વિશે પ્રશ્ન? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી ત્રણ સમય. એ પ્રમાણે યથાખ્યાત સંયત સુધી કહેવું. સૂત્ર-૯૫૨ ભગવન્! સામાયિક સંયતને એક ભવગ્રહણમાં કેટલા આકર્ષ હોય ? ગૌતમ! જઘન્યથી બકુશની માફક. છેદોપસ્થાપનીયનો પ્રશ્ન? ગૌતમ ! જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી વીસ પૃથત્વ. પરિહાર વિશુદ્ધિકનો પ્રશ્ન ? ગૌતમ ! જઘન્યથી એક ઉત્કૃષ્ટથી ત્રણ. સૂક્ષ્મ સંપરાયનો પ્રશ્ન ? ગૌતમ ! જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી ચાર. યથાખ્યાત વિશે પ્રશ્ન ? ગૌતમ ! જઘન્યથી એક ઉત્કૃષ્ટથી બે. ભગવન્! સામાયિક સંયતના વિવિધ ભવગ્રહણથી કેટલા આકર્ષ છે? ગૌતમ! બકુશવતું. છેદોપસ્થાપનીયની પૃચ્છા. ગૌતમ ! જઘન્યથી બે, ઉત્કૃષ્ટથી 900 થી ૧૦૦૦ની વચ્ચે. પરિહારવિશુદ્ધિકના જઘન્યથી બે, ઉત્કૃષ્ટથી સાત. સૂક્ષ્મસંપાયના જઘન્યથી બે, ઉત્કૃષ્ટથી નવ. યથાખ્યાત સંયતના જઘન્યથી બે, ઉત્કૃષ્ટથી પાંચ. સૂત્ર-૯૫૩ ભગવન્! સામાયિક સંયત કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી દેશન્યૂના 900 વર્ષ ઓછા પૂર્વકોડી. એ પ્રમાણે છેદોપસ્થાપનીય પણ જાણવા. પરિહાર વિશુદ્ધિક જઘન્યથી એક સમય, મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 194