Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 194
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' બકુશવતુ. આ પ્રમાણે પરિહારવિશુદ્ધિ સુધી જાણવુ. સૂક્ષ્મ સંપરાય સંયત વિશે પ્રશ્ન ? ગૌતમ ! આયુ અને મોહનીયા વજીને છ કર્મપ્રકૃતિ બાંધે. યથાખ્યાત સંયત સ્નાતક મુજબ છે. ભગવન્! સામાયિક સંયત કેટલી કર્મપ્રકૃતિઓ વેદે છે ? ગૌતમ ! નિયમા આઠ કર્મપ્રકૃતિને વેદે છે. એ પ્રમાણે સૂક્ષ્મસંપરાય સુધી જાણવુ. યથાખ્યાત વિશે પ્રશ્ન? ગૌતમ! સાત કે ચાર ભેદે વેદે. જો સાત ભેદે વેદે તો મોહનીયવર્જિત સાત કર્મપ્રકૃતિ વેદે, ચારને વેદતા વેદનીય, આયુ, નામ અને ગોત્ર એ ચાર કર્મપ્રકૃતિઓને વેદે છે. ભગવન્! સામાયિક સંયત, કેટલી કર્મપ્રકૃતિઓ ઉદરે છે ? ગૌતમ! સાત ભેદે બકુશવત્. એ પ્રમાણે પરિહાર-વિશુદ્ધિ સુધી કહેવું. સૂક્ષ્મ સંપરાય વિશે પ્રશ્ન ? ગૌતમ ! છ ભેદે કે પાંચ ભેદે ઉદીરે. છ ને ઉદીરતો આયુ અને વેદનીય સિવાયની છ કર્મપ્રકૃતિને ઉદીરે. પાંચને ઉદીરતો આયુ, વેદનીય, મોહનીય વર્જીને પાંચ કર્મપ્રકૃતિ ઉદીરે. યથાખ્યાત સંયત વિશે પ્રશ્ન ? ગૌતમ ! પાંચ ભેદે કે બે ભેદે ઉદીરે અથવા ન ઉદીરે. પાંચ ઉદીરતો આયુ બાકી બધું નિર્ચન્વવત્ કહેવું. 950. ભગવદ્ ! સામાયિક સંયત, સામાયિક સંયતપણાને છોડતો શું છોડે ? શું પ્રાપ્ત કરે ? ગૌતમ! સામાયિક સંયતત્વને છોડે છે અને છેદોપસ્થાપનીય કે સૂક્ષ્મ સંપરાય સંયત, અસંયત, સંયતાસંયતને પામે છે. છેદોપસ્થાપનીયનો પ્રશ્ન ? ગૌતમ! છેદોપસ્થાપનીય સંયતત્વ છોડે છે, સામાયિક-પરિહારવિશુદ્ધિસૂક્ષ્મસંપરાય-અસંયમ કે સંયમાસંયમ પ્રાપ્ત કરે છે. પરિહારવિશુદ્ધિ વિશે પ્રશ્ન ? ગૌતમ! પરિહારવિશુદ્ધિ સંયતત્વને છોડે છે. છેદોપસ્થાપનીય સંયમ કે અસંયમને પ્રાપ્ત કરે છે. સૂક્ષ્મસંપરાય વિશે પ્રશ્ન ? ગૌતમ! સૂક્ષ્મસંપરાયત્વને છોડે છે. સામાયિક સંયમ, છેદોપસ્થાપનીય સંયમ, યથાખ્યાત સંયમ કે અસંયમ પ્રાપ્ત કરે છે. યથાખ્યાત સંયત વિશે પ્રશ્ન ? ગૌતમ! યથાખ્યાત સંયતપણાને છોડે છે. સૂક્ષ્મ સંપરાય સંયમ, અસંયમ, સિદ્ધિગતિને પામે છે. 51. ભગવદ્ ! સામાયિક સંયત શું સંજ્ઞોપયુક્ત હોય ? નોસંજ્ઞોપયુક્ત હોય ? ગૌતમ! સંજ્ઞોપયુક્ત બકુશવત્ જાણવા. એ રીતે પરિહારવિશુદ્ધિ સુધી જાણવુ. સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત, પુલાકવત્ છે. ભગવદ્ ! સામાયિક સંયત શું આહારક હોય કે અનાહારક ? પુલાકવત્ જાણવુ. એ રીતે સૂક્ષ્મસંપરાય સુધી જાણવુ. યથાખ્યાત સંયતને સ્નાતક મુજબ જાણવા. ભગવન્! સામાયિક સંયત કેટલા ભવગ્રહણ કરે ? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ આઠ. એ પ્રમાણે છેદોપસ્થાપનીયને જાણવા. પરિહાર વિશુદ્ધિક વિશે પ્રશ્ન? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી ત્રણ સમય. એ પ્રમાણે યથાખ્યાત સંયત સુધી કહેવું. સૂત્ર-૯૫૨ ભગવન્! સામાયિક સંયતને એક ભવગ્રહણમાં કેટલા આકર્ષ હોય ? ગૌતમ! જઘન્યથી બકુશની માફક. છેદોપસ્થાપનીયનો પ્રશ્ન? ગૌતમ ! જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી વીસ પૃથત્વ. પરિહાર વિશુદ્ધિકનો પ્રશ્ન ? ગૌતમ ! જઘન્યથી એક ઉત્કૃષ્ટથી ત્રણ. સૂક્ષ્મ સંપરાયનો પ્રશ્ન ? ગૌતમ ! જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી ચાર. યથાખ્યાત વિશે પ્રશ્ન ? ગૌતમ ! જઘન્યથી એક ઉત્કૃષ્ટથી બે. ભગવન્! સામાયિક સંયતના વિવિધ ભવગ્રહણથી કેટલા આકર્ષ છે? ગૌતમ! બકુશવતું. છેદોપસ્થાપનીયની પૃચ્છા. ગૌતમ ! જઘન્યથી બે, ઉત્કૃષ્ટથી 900 થી ૧૦૦૦ની વચ્ચે. પરિહારવિશુદ્ધિકના જઘન્યથી બે, ઉત્કૃષ્ટથી સાત. સૂક્ષ્મસંપાયના જઘન્યથી બે, ઉત્કૃષ્ટથી નવ. યથાખ્યાત સંયતના જઘન્યથી બે, ઉત્કૃષ્ટથી પાંચ. સૂત્ર-૯૫૩ ભગવન્! સામાયિક સંયત કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી દેશન્યૂના 900 વર્ષ ઓછા પૂર્વકોડી. એ પ્રમાણે છેદોપસ્થાપનીય પણ જાણવા. પરિહાર વિશુદ્ધિક જઘન્યથી એક સમય, મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 194

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240