Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5 “ભગવતીસૂત્ર ભાગ-૨' મનોયોગી હોય, વચનયોગી કે કાયયોગી હોય ? ગૌતમ ! ત્રણે યોગ હોય. એ પ્રમાણે નિર્ચન્થ સુધી જાણવુ. સ્નાતકની પૃચ્છા, ગૌતમ!સયોગી-અયોગી બંને હોય. જો સયોગી હોય તો શું મનોયોગી હોયઆદિ બધુ પુલાકની જેમ જાણવુ. 917. ભગવનું ! પુલાક, સાકારોપયુક્ત હોય કે અનાકાર ઉપયુક્ત? ગૌતમ! તે બંને હોય, એ રીતે સ્નાતક સુધી જાણવુ. 918. ભગવન્! પુલાક, સકષાયી હોય કે અકષાયી ? ગૌતમ ! સકષાયી હોય, અકષાયી નહીં. જો સકષાયી હોય તો કેટલા કષાયમાં હોય ? ગૌતમ! ચારે કષાયમાં હોય. એ રીતે બકુશ, પ્રતિસેવનાકુશીલ પણ છે. કષાયકુશીલનો પ્રશ્ન ? ગૌતમ! સંકષાયી હોય, અકષાયી ન હોય. જો સકષાયી હોય તો ભગવન્! તે કેટલા. કષાયમાં હોય ? ગૌતમ ! ચાર-ત્રણ-બે કે એકમાં હોય. ચારમાં હોય તો સંજવલન ક્રોધ-માન-માયા-લોભમાં હોય? ત્રણમાં હોય તો સંજવલન માન-માયા-લોભમાં હોય, બેમાં હોય તો સંજ્વલન માયા-લોભમાં હોય, એકમાં હોય તો સંજવલન લોભમાં હોય. નિર્ચન્થનો પ્રશ્ન? ગૌતમ! સકષાયી ન હોય, અકષાયી હોય. જો અકષાયી હોય તો શું ઉપશાંત કષાયી હોય કે ક્ષીણ કષાયી ? ગૌતમ! બંને હોય. સ્નાતકને આ પ્રમાણે જ જાણવા. વિશેષ એ કે - ઉપશાંતકષાયી ના હોય, ક્ષીણકષાયી હોય. સૂત્ર-૯૧૯, 920 919. ભગવન્! મુલાક, સલેશ્યી હોય કે અલેશ્યી ? ગૌતમ ! સલેશ્યી હોય, અલેશ્યી નહીં. જો સલેશ્યી હોય તો હે ભગવન્! તે કેટલી લેશ્યામાં હોય છે ? ગૌતમ ! ત્રણે વિશુદ્ધ લશ્યામાં હોય છે - તેજોલેશ્યા, પદ્મવેશ્યા અને શુક્લ લેગ્યામાં. એ પ્રમાણે બકુશ અને પ્રતિસેવના કુશીલ છે. કષાયકુશીલમાં પ્રશ્ન ? ગૌતમ! સલેક્શી હોય, અલેશ્યી નહીં. જો સલેશ્યી હોય, તો હે ભગવન્! તે કેટલી લેશ્યામાં હોય ? ગૌતમ! છ એ લેગ્યામાં હોય. તે આ -કૃષ્ણલેશ્યા યાવત્ શુક્લ લેગ્યામાં. ભગવન્! નિર્ચન્થ વિશે પ્રશ્ન ? ગૌતમ! સલેશ્યી હોય, અલેશ્યી નહીં. જો સલેક્શી હોય, તો હે ભગવન્! તે કેટલી લેગ્યામાં હોય ? ગૌતમ ! એક જ શુક્લલેશ્યામાં હોય. સ્નાતક વિશે પ્રશ્ન ? ગૌતમ ! સલેશ્યી હોય કે અલેશ્યી હોય. જો સલેશ્યી હોય તો કેટલી લેશ્યામાં હોય ? ગૌતમ! એક જ પરમશુક્લ શ્યામાં હોય. 920. ભગવદ્ ! પુલાક, વર્ધમાન પરિણામી હોય, શ્રીયમાન પરિણામી હોય કે અવસ્થિત પરિણામી હોય ? ગૌતમ! વર્ધમાન-હીયમાન-અવસ્થિત ત્રણે પરિણામી હોય. એ પ્રમાણે કષાયકુશીલ સુધી જાણવુ. નિર્ચન્થ વિશે પ્રશ્ન ? ગૌતમ! વર્ધમાન કે અવસ્થિત પરિણામી હોય, ફ્રીયમાન પરિણામી નહીં. એ પ્રમાણે સ્નાતક પણ જાણવા. ભગવન્! પુલાક, કેટલો કાળ વર્ધમાન પરિણામી હોય ? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત. કેટલો કાળ હ્રીયમાન પરિણામી હોય ? ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત. કેટલો કાળ અવસ્થિત પરિણામી હોય ? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી સાત સમય. એ પ્રમાણે કષાયકુશીલ સુધી જાણવુ. ભગવન્નિર્ચન્થ, કેટલો કાળ વર્ધમાન પરિણામી હોય ? ગૌતમ ! જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત. કેટલો કાળ અવસ્થિત પરિણામી હોય? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત. ભગવન ! સ્નાતક, કેટલો કાળ વર્ધમાન પરિણામી હોય ? ગૌતમ! જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહુર્ત. કેટલો કાળ અવસ્થિત પરિણામી હોય ? ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોડી. સૂત્ર-૯૨૧ થી 923 921. ભગવન્! પુલાક, કેટલી કર્મપ્રકૃતિ બાંધે ? ગૌતમ ! આયુને વર્જીને સાત કર્મપ્રકૃતિ બાંધે. બકુશની પૃચ્છા. ગૌતમ! સાત કે આઠ ભેદે બાંધે. સાત બાંધે તો આયુને વર્જીને સાત કર્મપ્રકૃતિ બાંધે, આઠ બાંધે તો પ્રતિપૂર્ણ આઠ કર્મ પ્રકૃતિ બાંધે. એ રીતે પ્રતિસેવનાકુશીલ છે. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 187