Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' કષાયકુશીલનો પ્રશ્ન ? ગૌતમ! સાત બાંધે, આઠ બાંધે કે છ ભેદે બાંધે. સાત બાંધતા આયુને વર્જીને સાત કર્મપ્રકૃતિ બાંધે. આઠ બાંધે તો પ્રતિપૂર્ણ આઠ બાંધે, છ બાંધે તો આયુ, મોહનીય સિવાયની છ બાંધે. નિર્ચન્થ વિશે પ્રશ્ન ? ગૌતમ! એક વેદનીય કર્મ બાંધે. સ્નાતક વિશે પ્રશ્ન? ગૌતમ! એક ભેદે બાંધે કે ન બાંધે. જો એક બાંધે તો એક વેદનીય કર્મ બાંધે. 922. ભગવન્! પુલાક કેટલી કર્મપ્રકૃતિ વેદે? ગૌતમ! નિયમા આઠ કર્મપ્રકૃતિઓ વેદે. એ રીતે કષાયકુશીલ સુધી જાણવુ. નિર્ચન્થ વિશે પ્રશ્ન ? ગૌતમ! મોહનીય વર્જીને સાત કર્મ પ્રકૃતિઓ વેદે છે. સ્નાતક વિશે પ્રશ્ન ? ગૌતમ! વેદનીય-આયુ-નામ-ગોત્રને વેદે છે. 923. ભગવદ્ ! પુલાક કેટલી કર્મપ્રકૃતિની ઉદીરણા કરે છે ? ગૌતમ! આયુ, વેદનીય વર્જીને છ કર્મપ્રકૃતિ ઉદીર છે. બકુશ વિશે પ્રશ્ન ? ગૌતમ! સાત ભેદે કે આઠ ભેદે કે છ ભેદે ઉદીરે છે. જો સાતને ઉદીરે તો આયુને વર્જીને સાત કર્મપ્રકૃતિ ઉદીરે છે, આઠને ઉદીરે તો પ્રતિપૂર્ણ આઠે કર્મપ્રકૃતિઓ ઉદીરે છે, છ ને ઉદીરે તો આયુર્વેદનીયને વર્જીને છ કર્મપ્રકૃતિને ઉદીરે છે. પ્રતિસેવના કુશીલ એ પ્રમાણે જ છે. કષાયકૂશીલ વિશે પ્રશ્ન ? ગૌતમ! સાત-આઠ-છ કે પાંચ ભેદે ઉદીરે છે. જો સાતને ઉદીરે તો આયુને વર્જીને સાત કર્મપ્રકૃતિને ઉદરે છે. આઠને ઉદીર તો પ્રતિપૂર્ણ આઠ કર્મપ્રકૃતિને ઉદીર છે. છને ઉદીર તો આયુ અને વેદનીય વર્જીને છ કર્મપ્રકૃતિને ઉદીરે છે. જો પાંચને ઉદીરે તો આયુવેદનીય-મોહનીયને વર્જીને પાંચ કર્મપ્રકૃતિને ઉદીર છે. નિર્ચન્થ વિશે પ્રશ્ન ? ગૌતમ! પાંચ ભેદે ઉદીરે અથવા બે ભેદે ઉદીરે છે. પાંચને ઉદીરે તો આયુવેદનીયમોહનીય ને વર્જીને પાંચ કર્મપ્રકૃતિને ઉદીરે છે. બેને ઉદીર તો નામ અને ગોત્રને ઉદીરે છે. સ્નાતક વિશે પ્રશ્ન ? ગૌતમ! બે ભેદે ઉદીરણા કરે અથવા એકેની પણ ઉદીરણા ન કરે. જો બેની ઉદીરણા કરે તો નામ અને ગોત્રની ઉદીરણા કરે છે. સૂત્ર-૯૧૪ થી 926 924. ભગવદ્ ! પુલાક, પુલાકત્વને છોડતા શું છોડે છે ? અને શું પામે છે? ગૌતમ ! પુલાકત્વને છોડે છે, કષાય કુશીલ કે અસંયમ પામે છે. ભગવદ્ ! બકુશ બકુશત્વને છોડતો શું છોડે ? શું પામે ? ગૌતમ! બકુશવને છોડે છે. પ્રતિસેવના કે કષાયકુશીલ ને, અસંયમ કે સંયમસંયમને પામે. ભગવદ્ ! પ્રતિસેવના કુશીલ૦? પ્રતિસેવના કુશીલત્વને છોડે છે, બકુશ-કષાયકુશીલ-અસંયમ કે સંયમસંયમને પામે. કષાયકુશીલનો પ્રશ્ન ? ગૌતમ! કષાયકુશીલત્વને છોડે છે, પુલાક, બકુશ, પ્રતિસેવનાકુશીલ, નિર્ચન્થ, અસંયમ, સંયમાસંયમને પામે. નિર્ચન્થનો પ્રશ્ન ? ગૌતમ! નિર્ચન્ધત્વને છોડે, કષાયકુશીલ, સ્નાતક કે અસંયમને પામે. સ્નાતક ? સ્નાતકત્વ છોડી સિદ્ધિગતિ પામે. 925. ભગવદ્ ! પુલાક, શું સંજ્ઞોપયુક્ત છે કે નોસંજ્ઞોપયુક્ત ? ગૌતમ ! સંજ્ઞોપયુક્ત ન હોય, નોસંજ્ઞોપયુક્ત હોય. બકુશ વિશે પૃચ્છા. ગૌતમ ! તે બંને હોય. એ રીતે પ્રતિસેવના અને કષાયકુશીલ પણ જાણવા. નિર્ગસ્થ અને સ્નાતક બંનેને પુલાકવત્ જાણવા. 926. ભગવદ્ ! પુલાક, આહારક હોય કે અનાહારક ? ગૌતમ ! આહારક હોય, અનાહારક ન હોય. એ રીતે નિર્ચન્થ સુધી જાણવુ. સ્નાતક વિશે પ્રશ્ન ? ગૌતમ! આહારક પણ હોય કે અનાહારક પણ હોય. સૂત્ર-૯૨૭,૯૨૮ 927. ભગવન્! મુલાક, કેટલા ભવ ગ્રહણ કરે ? ગૌતમ! જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી ત્રણ. બકુશનો પ્રશ્ન ? ગૌતમ ! જઘન્યથી એક ઉત્કૃષ્ટથી આઠ. એ રીતે પ્રતિસેવના અને કષાયકુશીલ પણ જાણવા. નિર્ચન્થને પુલાવત્ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 188