Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવન્નિર્ચન્થ કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે છે. તે આ - પ્રથમ સમય નિર્ચન્થ, અપ્રથમ સમય નિર્ચન્થ, ચરમ સમય નિર્ચન્હ, અચરમ સમય નિર્ચન્થ, યથાસૂક્ષ્મ નિર્ચન્થ નામે પાંચમાં. ભગવદ્ ! સ્નાતક કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ - ૧.અચ્છવી, ૨.અશબલ, ૩.અકસ્મશ, ૪.સંશુદ્ધ જ્ઞાનદર્શનધર અહત જિનકેવલી, ૫.અપરિશ્રાવી. ભગવન્મુલાક, શું સવેદક હોય કે અવેદક ? ગૌતમ ! સવેદક હોય, અવેદક નહીં. જો સવેદક હોય તો શું સ્ત્રીવેદી હોય, પુરુષવેદી હોય કે પુરુષ-નપુંસકવેદી ? ગૌતમ! સ્ત્રીવેદી ન હોય, બાકીના બે વેદે હોય. ભગવન્! બકુશ, સવેદી હોય કે અવેદી ? ગૌતમ ! સવેદી હોય, અવેદી નહીં. જો સવેદી હોય તો શું સ્ત્રી વેદપુરુષ વેદે કે પુરુષનપુંસક વેદે હોય ? ગૌતમ ! આ ત્રણે વેદે હોય. એ રીતે પ્રતિસેવના કુશીલ પણ જાણવા. ભગવન્કષાયકુશીલ, શું સવેદી હોય ? ઈત્યાદિ પ્રશ્ન. ગૌતમ ! બંને હોય. જો અવેદી હોય તો શું ઉપશાંતા વેદી હોય કે ક્ષીણવેદી ? ગૌતમ! તે બંને હોય. જો સવેદી હોય તો શું સ્ત્રીવેદી, પૃચ્છા. ગૌતમ ! ત્રણે હોય. ભગવન ! નિર્ચન્થ, સવેદી કે અવેદી ? ગૌતમ ! સવેદી ન હોય, અવેદી હોય. જો અવેદી હોય, તો શું ઉપશાંત પ્રશ્ન. ગૌતમ! ઉપશાંત વેદી હોય, ક્ષીણવેદી પણ હોય. ભગવન્સ્નાતક, શું સવેદી હોય ? નિર્ચન્થ માફક સ્નાતક કહેવા. વિશેષ એ કે - ઉપશાંત વેદી ન હોય, ક્ષીણવેદી હોય. સૂત્ર-૯૦૨ થી 905 902. ભગવન્! મુલાક, સરાગ હોય કે વીતરાગ ? ગૌતમ ! સરાગ હોય, વીતરાગ નહીં. એ રીતે કષાયકુશીલ સુધી કહેવુ. ભગવન્! નિર્ચન્થ સરાગ હોય કે વીતરાગ ? ગૌતમ! સરાગ ન હોય, વીતરાગ હોય. જો વીતરાગ હોય તો શું ઉપશાંત કષાયવીતરાગ હોય કે ક્ષીણકષાય વીતરાગ ? ગૌતમ! તે બંને હોય. સ્નાતક પણ તેમજ જાણવો. પણ તે માત્ર ક્ષીણકક્ષાય વીતરાગ હોય. 903. ભગવન્! પુલાક, સ્થિતકલ્પ હોય કે અસ્થિતકલ્પ ? ગૌતમ ! તે બંને હોય. એ પ્રમાણે સ્નાતક સુધી કહેવું. ભગવન! પુલાક, જિનકલ્પમાં હોય કે સ્થવિરકલ્પમાં હોય કે કલ્પાતીત ? ગૌતમ! જિનકલ્પમાં કે કલ્પાતીત ના હોય, સ્થવિરકલ્પી હોય. બકુશની પૃચ્છા. ગૌતમ ! તે જિનકલ્પી કે સ્થવિરકલ્પી હોય, કલ્પાતીત ન હોય. એ રીતે પ્રતિસેવના કુશીલને જાણવા. કષાયકુશીલની પૃચ્છા. ગૌતમ ! તે જિનકલ્પી-સ્થવિરકલ્પી-કલ્પાતીત ત્રણે હોય. નિર્ચન્થની પૃચ્છા. ગૌતમ! જિનકલ્પી કે સ્થવિરકલ્પી ન હોય, માત્ર કલ્પાતીત હોય. એ રીતે સ્નાતક પણ જાણવા. 904. ભગવદ્ ! પુલાક, સામાયિક સંયમમાં હોય કે છેદોપસ્થાપનિય-પરિહારવિશુદ્ધિ - સૂક્ષ્મસંપરાયયથાખ્યાત સંયમમાં હોય ? ગૌતમ! સામાયિક કે છેદોપસ્થાપનીય સંયમમાં હોય, પણ પરિવાર વિશુદ્ધિ - સૂક્ષ્મસંપરાય કે યથાખ્યાત સંયમમાં ન હોય. એ રીતે બકુશ અને પ્રતિસેવના કુશીલને પણ જાણવા. કષાય કુશીલની. પૃચ્છા. ગૌતમ! સામાયિક યાવત્ સૂક્ષ્મ સંપરાય સંયમમાં હોય, પણ યથાખ્યાત સંયમમાં ન હોય. નિર્ચન્થની પૃચ્છા - ગૌતમ! સામાયિક યાવત્ સૂક્ષ્મસંપરાયમાં ન હોય, પણ યથાખ્યાત સંયમમાં હોય. એ રીતે સ્નાતક પણ જાણવા. 905. ભગવન્! મુલાક, પ્રતિસેવી હોય કે અપ્રતિસેવી ? ગૌતમ ! પ્રતિસેવી હોય, અપ્રતિસવી નહીં. જો પ્રતિસેવી હોય તો મૂલગુણ પ્રતિસેવી હોય કે ઉત્તરગુણ પ્રતિસેવી ? ગૌતમ ! તે બંને હોય. જો મૂલગુણ પ્રતિસેવના કરે તો પાંચ આશ્રવોમાંના કોઈને પણ સેવે, ઉત્તરગુણ પ્રતિસેવના કરે તો દશવિધ પચ્ચખાણમાંથી કોઈ એકનું પ્રતિસેવન કરે છે. બકુશની પૃચ્છા. ગૌતમ ! પ્રતિસેવી હોય, અપ્રતિસવી નહીં. જો પ્રતિસેવી હોય તો મૂળગુણ પ્રતિસવી ના હોય, ઉત્તરગુણ પ્રતિસેવી હોય. ઉત્તરગુણ પ્રતિસેવતા દશવિધ પ્રત્યાખ્યાનમાંના કોઈ એકને પ્રતિસેવે છે. પ્રતિસેવના કુશીલ, ગુલાકવતું જાણવા. કષાયકુશીલ૦ ? પ્રતિસવી નથી, અપ્રતિસેવી છે. એ પ્રમાણે નિર્ગસ્થ અને સ્નાતક પણ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 183