Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 182
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવદ્ ! અતીતકાળ, શું સંખ્યાત પુદ્ગલ પરિવર્ત છે? ગૌતમ ! તે અનંતા પુદ્ગલ પરિવર્ત છે. આ રીતે અનાગતકાળ, સર્વકાળ જાણવો. 85. ભગવદ્ ! અનાગતકાળ શું સંખ્યાત અતીતકાળરૂપ છે કે અસંખ્યાત કે અનંતo ? ગૌતમ! સંખ્યાતઅસંખ્યાત કે અનંત અતીતકાળરૂપ નથી. અનાગતકાળ, અતીતકાળથી સમયાધિક છે. અતીતકાળ, અનાગતકાળથી સમય ન્યૂન છે. ભગવન્! સર્વકાળ શું સંખ્યાત અતીતકાળ છે ? પ્રશ્ન. ગૌતમ! સંખ્યાત-અસંખ્યાત-અનંત અતીતકાળરૂપ નથી. સર્વકાળ, તે અતીતકાળથી સાતિરેક બમણો છે, અતીતકાળ, સર્વકાળથી સ્ટોક ન્યૂનાઈ છે. ભગવન્! સર્વકાળ, શું સંખ્યાત અનાગતકાળરૂપ છે ? ગૌતમ ! સંખ્યાત-અસંખ્યાત-અનંત અનાગતકાળરૂપ નથી. સર્વકાળ અનાગતકાળથી સ્ટોક ન્યૂન બમણો છે. અનાગતકાળ, સર્વકાળથી સાતિરેક અડધો છે. સૂત્ર-૮૯૬, 897 896. ભગવન્! નિગોદ કેટલા છે? ગૌતમ! બે ભેદે છે. તે આ - નિગોદ અને નિગોદ જીવ. ભગવન્! નિગોદ, કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે - સૂક્ષ્મ નિગોદ અને બાદર નિગોદ. એ પ્રમાણે નિગોદને જેમ જીવાભિગમમાં કહ્યા, તેમ સંપૂર્ણ કહેવા. 87. ભગવદ્ ! નામ કેટલા ભેદે છે ? છ ભેદે છે - ઔદયિક યાવત્ સંનિપાતિક. તે ઔદયિક નામ શું છે ? તે બે ભેદે છે - ઉદય અને ઉદય નિષ્પન્ન. એ પ્રમાણે શતક 17 ઉદ્દેશો-૧માં ભાવો કહ્યા, તેમ અહીં પણ કહેવા. માત્ર ‘ભાવાને બદલે અહીં ‘નામ' કહેવું. બાકી પૂર્વવત્ યાવત્ સંનિપાતિક. ભગવન્! તે એમ જ છે, એમ જ છે. શતક-૨૫, ઉદ્દેશો-૬ “નિર્ચન્થ” સૂત્ર-૮૯૮ થી 900 898. નિર્ચન્થ સંબંધી ૩૬-દ્વાર છે - 1. પ્રજ્ઞાપન, 2. વેદ, 3. રાગ, 4. કલ્પ, 5. ચારિત્ર, 6. પ્રતિસેવના, 7. જ્ઞાન, 8. તીર્થ, 9. લિંગ, 10. શરીર, 11. ક્ષેત્ર, 12. કાળ, 13. ગતિ, 14. સંયમ, 15. નિકાશ. 89, 16. યોગ, 17. ઉપયોગ, 18. કષાય, 19. વેશ્યા, 20. પરિણામ, 21. બંધ, 22. વેદ, 23. કર્મઉદીરણા, 24. ઉપસંપતુ હાન, 25. સંજ્ઞા, 26. આહાર. 900. 27. ભવ, 28. આકર્ષ, 29. કાળ, 30. અંતર, 31. સમુદ્ઘાત, 32. ક્ષેત્ર, 33. સ્પર્શના, 34. ભાવ, 35. પરિણામ, 36. અલ્પબદુત્વ - એ 36 દ્વારોથી નિર્ચન્થોને કહે છે - સૂત્ર-૯૦૧ - રાજગૃહમાં યાવત્ આમ કહ્યું - ભગવદ્ ! નિર્ચન્થો કેટલા છે ? ગૌતમ ! પાંચ નિર્ચન્થ છે. તે આ - પુલાક, બકુશ, કુશીલ, નિર્ચન્થ, સ્નાતક. ભગવન્! પુલાક કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે છે. તે આ - જ્ઞાનપુલાક, દર્શનપુલાક, ચારિત્રપુલાક, લિંગપુલાક, યથાસૂમુલાક. ભગવન્! બકુલ કેટલા ભેદે છે ? ગૌતમ! પાંચ ભેદે. તે આ - આભોગ બકુશ, અનાભોગ બકુશ, સંવૃત્ત બકુશ, અસંવૃત્ત બકુશ, યથાસૂક્ષ્મ બકુશ. ભગવન્! કુશીલ કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે છે –પ્રતિસેવના કુશીલ અને કષાય કુશીલ. ભગવદ્ ! પ્રતિસેવના કુશીલ કેટલા ભેદે છે ? ગૌતમ! પાંચ ભેદે. જ્ઞાન પ્રતિસેવના કુશીલ, દર્શન પ્રતિસેવના કુશીલ, ચારિત્ર પ્રતિસેવના કુશીલ, લિંગ પ્રતિસેવના કુશીલ અને યથાસૂક્ષ્મ પ્રતિસેવના કુશીલ, ભગવદ્ ! કષાયકુશીલ કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદે છે. તે આ પ્રમાણે - જ્ઞાનકષાય કુશીલ, દર્શન કષાય કુશીલ, ચારિત્રકષાય કુશીલ, લિંગકષાય કુશીલ અને યથાસૂક્ષ્મ કષાય કુશીલ. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 182

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240