________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવદ્ ! અતીતકાળ, શું સંખ્યાત પુદ્ગલ પરિવર્ત છે? ગૌતમ ! તે અનંતા પુદ્ગલ પરિવર્ત છે. આ રીતે અનાગતકાળ, સર્વકાળ જાણવો. 85. ભગવદ્ ! અનાગતકાળ શું સંખ્યાત અતીતકાળરૂપ છે કે અસંખ્યાત કે અનંતo ? ગૌતમ! સંખ્યાતઅસંખ્યાત કે અનંત અતીતકાળરૂપ નથી. અનાગતકાળ, અતીતકાળથી સમયાધિક છે. અતીતકાળ, અનાગતકાળથી સમય ન્યૂન છે. ભગવન્! સર્વકાળ શું સંખ્યાત અતીતકાળ છે ? પ્રશ્ન. ગૌતમ! સંખ્યાત-અસંખ્યાત-અનંત અતીતકાળરૂપ નથી. સર્વકાળ, તે અતીતકાળથી સાતિરેક બમણો છે, અતીતકાળ, સર્વકાળથી સ્ટોક ન્યૂનાઈ છે. ભગવન્! સર્વકાળ, શું સંખ્યાત અનાગતકાળરૂપ છે ? ગૌતમ ! સંખ્યાત-અસંખ્યાત-અનંત અનાગતકાળરૂપ નથી. સર્વકાળ અનાગતકાળથી સ્ટોક ન્યૂન બમણો છે. અનાગતકાળ, સર્વકાળથી સાતિરેક અડધો છે. સૂત્ર-૮૯૬, 897 896. ભગવન્! નિગોદ કેટલા છે? ગૌતમ! બે ભેદે છે. તે આ - નિગોદ અને નિગોદ જીવ. ભગવન્! નિગોદ, કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે - સૂક્ષ્મ નિગોદ અને બાદર નિગોદ. એ પ્રમાણે નિગોદને જેમ જીવાભિગમમાં કહ્યા, તેમ સંપૂર્ણ કહેવા. 87. ભગવદ્ ! નામ કેટલા ભેદે છે ? છ ભેદે છે - ઔદયિક યાવત્ સંનિપાતિક. તે ઔદયિક નામ શું છે ? તે બે ભેદે છે - ઉદય અને ઉદય નિષ્પન્ન. એ પ્રમાણે શતક 17 ઉદ્દેશો-૧માં ભાવો કહ્યા, તેમ અહીં પણ કહેવા. માત્ર ‘ભાવાને બદલે અહીં ‘નામ' કહેવું. બાકી પૂર્વવત્ યાવત્ સંનિપાતિક. ભગવન્! તે એમ જ છે, એમ જ છે. શતક-૨૫, ઉદ્દેશો-૬ “નિર્ચન્થ” સૂત્ર-૮૯૮ થી 900 898. નિર્ચન્થ સંબંધી ૩૬-દ્વાર છે - 1. પ્રજ્ઞાપન, 2. વેદ, 3. રાગ, 4. કલ્પ, 5. ચારિત્ર, 6. પ્રતિસેવના, 7. જ્ઞાન, 8. તીર્થ, 9. લિંગ, 10. શરીર, 11. ક્ષેત્ર, 12. કાળ, 13. ગતિ, 14. સંયમ, 15. નિકાશ. 89, 16. યોગ, 17. ઉપયોગ, 18. કષાય, 19. વેશ્યા, 20. પરિણામ, 21. બંધ, 22. વેદ, 23. કર્મઉદીરણા, 24. ઉપસંપતુ હાન, 25. સંજ્ઞા, 26. આહાર. 900. 27. ભવ, 28. આકર્ષ, 29. કાળ, 30. અંતર, 31. સમુદ્ઘાત, 32. ક્ષેત્ર, 33. સ્પર્શના, 34. ભાવ, 35. પરિણામ, 36. અલ્પબદુત્વ - એ 36 દ્વારોથી નિર્ચન્થોને કહે છે - સૂત્ર-૯૦૧ - રાજગૃહમાં યાવત્ આમ કહ્યું - ભગવદ્ ! નિર્ચન્થો કેટલા છે ? ગૌતમ ! પાંચ નિર્ચન્થ છે. તે આ - પુલાક, બકુશ, કુશીલ, નિર્ચન્થ, સ્નાતક. ભગવન્! પુલાક કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે છે. તે આ - જ્ઞાનપુલાક, દર્શનપુલાક, ચારિત્રપુલાક, લિંગપુલાક, યથાસૂમુલાક. ભગવન્! બકુલ કેટલા ભેદે છે ? ગૌતમ! પાંચ ભેદે. તે આ - આભોગ બકુશ, અનાભોગ બકુશ, સંવૃત્ત બકુશ, અસંવૃત્ત બકુશ, યથાસૂક્ષ્મ બકુશ. ભગવન્! કુશીલ કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે છે –પ્રતિસેવના કુશીલ અને કષાય કુશીલ. ભગવદ્ ! પ્રતિસેવના કુશીલ કેટલા ભેદે છે ? ગૌતમ! પાંચ ભેદે. જ્ઞાન પ્રતિસેવના કુશીલ, દર્શન પ્રતિસેવના કુશીલ, ચારિત્ર પ્રતિસેવના કુશીલ, લિંગ પ્રતિસેવના કુશીલ અને યથાસૂક્ષ્મ પ્રતિસેવના કુશીલ, ભગવદ્ ! કષાયકુશીલ કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદે છે. તે આ પ્રમાણે - જ્ઞાનકષાય કુશીલ, દર્શન કષાય કુશીલ, ચારિત્રકષાય કુશીલ, લિંગકષાય કુશીલ અને યથાસૂક્ષ્મ કષાય કુશીલ. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 182